શોધખોળ કરો

કોંગ્રેસની હાર, AAPનો ઉદય! ગુજરાતમાં બદલાશે રાજકીય સમીકરણો? ગઠબંધન મુદ્દે ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન

ગુજરાતની જનતા માટે AAP મજબૂત પક્ષ: વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનો વિજય નિશ્ચિત, ભાજપને ૨૦ હજાર મતથી હરાવશે - ઈસુદાન ગઢવી.

AAP vs BJP Gujarat: આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્યમાં પાર્ટીની મજબૂતાઈ અને આગામી ચૂંટણી રણનીતિ અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા છે. તેમણે ખાસ કરીને વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા માટે લડનારી સૌથી મજબૂત પાર્ટી આમ આદમી પાર્ટી છે. તેમણે દાવો કર્યો કે વિસાવદર વિધાનસભા બેઠક માટે ત્રણેય પાર્ટીઓમાં સૌથી મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. ભાજપે વિસાવદર માટે ઉમેદવાર જાહેર કર્યા બાદ ત્યાં 'સોંપો' પડી ગયો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઈસુદાન ગઢવીએ સ્પષ્ટતા કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરમાં મજબૂતાઈથી ચૂંટણી લડશે અને ભાજપને પરાજય આપશે.

ગઠબંધનના મામલે તેમણે કહ્યું હતું કે ગઠબંધન અંગેનો નિર્ણય ભલે કોંગ્રેસનો હોઈ શકે, પરંતુ વિસાવદરમાં જનતાએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ જીતશે. તેમણે પાછળની ચૂંટણીઓમાં કોંગ્રેસને માત્ર ૧૨-૧૪ હજાર જ મત મળ્યા હોવાનું યાદ અપાવ્યું હતું. ૨૦૨૨ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ગઠબંધનમાં ૧૪ ટકા મત મળ્યા હતા અને આદિવાસી વિસ્તારમાં તો ૨૫ ટકા મત મેળવ્યા હતા તેમ પણ તેમણે જણાવ્યું હતું.

ઈસુદાન ગઢવીએ ભારપૂર્વક કહ્યું કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે એવી વાત હવે કરવાનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે આમ આદમી પાર્ટીએ પોતાને સ્થાપિત કરી દીધી છે. તેમણે કોંગ્રેસ અંગે કહ્યું કે કોંગ્રેસ અગાઉ પણ ચૂંટણીઓ લડી, પરંતુ જીત મેળવી શકી નહીં.

હરિયાણાના રાજકારણ અંગેના પ્રશ્ન પર ઈસુદાન ગઢવીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓને વિદિત થાય કે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા ૫ સીટ પર તૈયાર થયા હતા. જોકે, આ વાત જૂની હોવાથી તે અંગે વધુ કંઈ કહેવાનું તેમણે ટાળ્યું હતું.

વિસાવદરની આજની સ્થિતિ અંગે વાત કરતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિસાવદરમાં જનતા ભાજપને હરાવવા માટે તૈયાર છે અને ભાજપને ૨૦ હજાર મતથી હરાવશે. તેમણે કહ્યું કે ભાજપ બધા પ્રકારના ખેલ કરશે, પરંતુ આ વખતે તેમના માટે વિસાવદરમાં જીત મેળવવી મુશ્કેલ બનશે.

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત અંગે તેમણે કહ્યું કે અમે પણ કેટલીક બેઠકો જતી કરી હતી. પાર્ટીમાં કાર્યકર્તાઓ આવતા પણ હોય અને જતા પણ હોય તે સામાન્ય પ્રક્રિયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આમ આદમી પાર્ટીના સંગઠન અંગે તેમણે માહિતી આપી કે ગુજરાતમાં તેમની ૪૫૦ ટીમો બની ગઈ છે અને ૧૦૦૦ બુથ પર કાર્યકર્તાઓ સક્રિય થઈ ગયા છે.

કોંગ્રેસના નેતાઓને લઈને રાહુલ ગાંધીએ જે વાત કરી છે તે અંગે મારે કંઈ કહેવું નથી તેમ કહીને ઈસુદાન ગઢવીએ આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ઈસુદાન ગઢવીના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત માની રહી છે અને આગામી ચૂંટણીઓમાં ભાજપને સીધી ટક્કર આપવા માટે તૈયાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget