શોધખોળ કરો

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP

વિકાસ સહાય બાદ ડૉ. કે.એલએન રાવ ઈન્ચાર્જ પોલીસવડા હતા. હવે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકને DGP બનાવાયા હતા

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતને લાંબા સમય બાદ જી.એસ.મલિક કાયમી DGP તરીકે મળ્યા.
  • તેઓ 1993 બેચના IPS, BSF-CISFમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.
  • જી.એસ.મલિક આજે ચાર્જ સંભાળશે; અમદાવાદ CP પદ ખાલી થશે.

લાંબા સમય બાદ ગુજરાતને કાયમી પોલીસવડા મળ્યા હતા. વિકાસ સહાય બાદ ડૉ. કે.એલએન રાવ ઈન્ચાર્જ પોલીસવડા હતા. હવે અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિકને DGP બનાવાયા હતા. જી.એસ. મલિક આજે જ રાજ્ય પોલીસવડાનો ચાર્જ સંભાળે તેવી શક્યતા છે. જી.એસ.મલિક 1993ની બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ હરિયાણાના જિંદના વતની છે. મલિક અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં ફરજ બજાવી ચૂક્યા છે. જી.એસ. મલિકે કચ્છમાં ASP તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 


ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP

તેઓ ગુજરાત BSFના આઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. CISFના એડી. ડીજી તરીકે પણ જી.એસ.મલિકે ફરજ બજાવી છે. અમદાવાદમાં નવા પોલીસ કમિશનરની ટૂંક સમયમાં નિયુક્તિ થશે.ગુજરાતના રાજ્યપાલના આદેશથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને પહેલા એલ.એન.રાવ જવાબદારી સંભાળી રહ્યા હતા. જી.એસ.મલિક બીએસએફમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે. હવે તે ગુજરાતના કાયમી ડીજીપી બની ગયા છે. જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત પોલીસના અનુભવી અધિકારીઓમાંના એક ગણાય છે. તેમની કારકિર્દી દરમિયાન તેમણે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. ગુજરાત પોલીસમાં વિવિધ હોદ્દાઓ પર સેવા આપ્યા બાદ તેમણે કેન્દ્ર સરકાર હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)માં પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી.

1993ની બેચના IPS જી.એસ.મલિક BSF અને CISFના ADG પણ રહી ચૂક્યા છે. 1993 બેચના વરિષ્ઠ આઈપીએસ (IPS) અધિકારી જી. એસ. મલિકને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP અને IGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગે 6 જૂન, 2026ના રોજ આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, IPSને તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કેડર પદ પર નિયુક્ત કરવામાં આવે છે.

જી.એસ. મલિકની DGP તરીકેની નિમણૂક બાદ હવે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. જેમાં અનુપમસિંહ ગેહલોત(સુરત CP), મનોજ શશીધરન(CBI), પિયુષ પટેલ(ACB ડાયરેક્ટર)નું નામ ચાલી રહ્યું છે.                                                         

Frequently Asked Questions

ગુજરાતના નવા કાયમી પોલીસવડા કોણ છે?

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકને ગુજરાતના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 1993ની બેચના IPS અધિકારી છે.

જી.એસ. મલિક ડીજીપી બનતા પહેલા કયા પદ પર ફરજ બજાવતા હતા?

જી.એસ. મલિકને ડીજીપી બનાવવામાં આવ્યા તે પહેલા તેઓ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. તેમણે ગુજરાતમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.

જી.એસ. મલિકનો પોલીસ વિભાગમાં કેવો અનુભવ છે?

જી.એસ. મલિક 1993 બેચના IPS અધિકારી છે અને મૂળ હરિયાણાના જિંદના વતની છે. તેમણે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર તેમજ BSF અને CISFમાં મહત્વની ફરજો બજાવી છે.

જી.એસ. મલિક પહેલા ગુજરાતના ઈન્ચાર્જ પોલીસવડા કોણ હતા?

જી.એસ. મલિકની નિયુક્તિ પહેલા ડૉ. કે.એલ.એન રાવ ગુજરાતના ઈન્ચાર્જ પોલીસવડા હતા. તેમને એલ.એન. રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જી.એસ. મલિકની ડીજીપી તરીકે નિમણૂકનું સત્તાવાર જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું?

ગૃહ વિભાગે 6 જૂન, 2026ના રોજ જી.એસ. મલિકને ગુજરાતના નવા ડીજીપી તરીકે નિયુક્ત કરવા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું. તેઓ તાત્કાલિક અસરથી આ પદ સંભાળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
ભાજપ સાંસદ મનસુખ વસાવાની વિવાદીત સલાહ, 'કેમિકલયુક્ત દારુ પીવા કરતાં ઘરે મહુડાનો દારુ બનાવીને પીવો'
Advertisement

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
ગુજરાતને મળ્યા કાયમી પોલીસવડા, જી.એસ.મલિકને બનાવાયા DGP
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
India T20I Squad: ભારતની ટી-20 ટીમની જાહેરાત, શ્રેયસ ઐય્યર બન્યો કેપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
વૈભવ સૂર્યવંશી ઉપરાંત આ ઘાતક ખેલાડીની પણ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, જુઓ કોણ છે?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Gujarat Rain Forecast: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર, જાણો રાજ્યમાં ક્યારે બેસશે ચોમાસું?
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
Surat: સુરતમાં ડિમોલિશનને લઈને વિવાદ, મનપાએ કહ્યું- 'અમે નથી કરી કોઈ કાર્યવાહી'
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
અમદાવાદના મોટેરામાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યું બુલડોઝર, ઘર તૂટતા મહિલાઓ અને બાળકો રડવા લાગ્યા
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
ક્યા દેશમાં રહે છે સૌથી વધુ શાકાહારી લોકો?જાણો ભારત ક્યા સ્થાન પર છે
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
8th Pay Commission: 5 લાખ કે 14 લાખ? જાણો કેટલું મળશે એરિયર? જાણો સંપૂર્ણ ગણતરી અને ફોર્મ્યુલા
Embed widget