શોધખોળ કરો

મુસાફરોને રાજ્ય સરકારનો મોટો ફટકો! ગુજરાત એસટી બસના ભાડામાં થયો ૧૦ ટકાનો વધારો, આજ મધરાતથી અમલ

દરરોજ ૨૭ લાખ મુસાફરો કરે છે મુસાફરી, સુવિધા અને આધુનિકરણ માટે લેવાયો નિર્ણય

GSRTC bus fare hike 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો આજ મધ્યરાત્રીથી એટલે કે તારીખ ૨૯ માર્ચ ૨૦૨૫થી અમલમાં આવશે. નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવાઓ પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત એસટી નિગમ દૈનિક ૮૦૦૦થી વધુ બસો દ્વારા ૩૨ લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને અંદાજે ૨૭ લાખ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે. નિગમ મુસાફરોની સગવડ માટે સતત પ્રયત્નશીલ છે અને આર્થિક રીતે સ્વનિર્ભર બનવા માટે ચિંતિત છે. આ સાથે જ નિગમ વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, પત્રકારો અને અન્ય પાત્રતા ધરાવતા લોકોને રાહત દરે અથવા વિના મૂલ્યે મુસાફરીની સુવિધા પણ આપે છે.

નિગમ દ્વારા છેલ્લા ૧૪ મહિનામાં અત્યાધુનિક ટેકનોલોજીવાળી ૨૯૮૭ નવી BS-6 પ્રકારની બસો સેવામાં મૂકવામાં આવી છે. જેમાં સ્લીપર કોચ, વોલ્વો, સેમી લક્ઝરી, સુપર ડિલક્સ અને મીની બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, છેલ્લા એક વર્ષમાં ૧૪ બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે, જેનો લાભ દરરોજ અંદાજે ૧ લાખ લોકો લઈ રહ્યા છે.

નિગમ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં આગામી વર્ષમાં ૨૦૫૦ નવી બસો સેવામાં મૂકવાનું આયોજન છે, જેમાં ૨૦૦ એ.સી. આરામદાયક પ્રીમિયમ બસો અને ૧૦ કારવાં સર્વિસનો સમાવેશ થાય છે. વધુમાં, નિગમમાં અંદાજે ૩૦૦૦ જેટલા ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકોની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે.

નિગમ દ્વારા વર્ષ ૨૦૧૪ બાદ વર્ષ ૨૦૨૩માં એટલે કે ૧૦ વર્ષ પછી તબક્કાવાર ભાડા વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં ૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૨૫ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે નિગમની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે નિગમના સંચાલક મંડળ દ્વારા ૨૮ માર્ચ ૨૦૨૫ની મધ્યરાત્રીથી ૧૦ ટકાનો વધુ ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.

નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસમાં ૮૫ ટકા મુસાફરો ૪૮ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે, જેના કારણે તેમને માત્ર ૧ થી ૪ રૂપિયાનો નજીવો ભાડા વધારો થશે, જેથી સામાન્ય મુસાફરો પર આ વધારાની ખાસ અસર નહીં પડે. નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબદ્ધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
Tata Punch Facelift: માત્ર ₹6845 ની EMI પર નવી ટાટા પંચ થશે તમારી, સમજો કેલક્યુલેશન 
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
8th Pay Commission : 8માં પગાર પંચમાં લેવલ 1 થી 5 સુધીના કર્મચારીઓનો કેટલો વધશે પગાર ? જાણો
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
પોસ્ટ ઓફિસની આ શાનદાર સ્કીમમાં જમા કરો 5 લાખ, 2 લાખથી વધારે મળશે રિટર્ન, જાણો ડિટેલ
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
શિયાળાની કાતિલ ઠંડીમાં ખૂજરનું સેવન વરદાન સમાન, આ બીમારીઓ તમારાથી રહેશે દૂર
Embed widget