![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
પંચમહાલના ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ કોરોનાગ્રસ્ત થયા છે. રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ થયા છે. પોતાના સંપર્કમાં આવનાર તમામે પોતાના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયામાં અપીલ કરી છે. સામાન્ય લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
![ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત Gujarat BJP leader and MP Ratansinh Radhod found corona positive ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/05/26/7c66b63846cf2f7aabe277ec8fb22e76_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગોધરાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. બીજી લહેરમાં અનેક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને સાંસદ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.
પંચમહાલના ભાજપના સાંસદ રતનસિંહ રાઠોડ કોરોનાગ્રસ્ત થયા છે. રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવતા આઇસોલેટ થયા છે. પોતાના સંપર્કમાં આવનાર તમામે પોતાના રિપોર્ટ કરાવવા સોશિયલ મીડિયામાં અપીલ કરી છે. સામાન્ય લક્ષણો જણાતા રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2869 નવા કેસ નોંધાયા છે અને 33 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9734 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,302 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,42,050 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49052 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દી વેન્ટિલેટર પર અને 48499 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.66 ટકા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
વડોદરા કોપોરેશન 375, અમદાવાદ કોપોરેશન 338, સુરત કોપોરેશન 208, વડોદરા 155, રાજકોટ કોર્પોરેશન 115, સુરત 115, જુનાગઢ કોપોરેશન 97, જુનાગઢ 96, પોરબંદર 86, ભરુચ 74, પંચમહાલ 73, ગીર સોમનાથ 69, સાબરકાંઠા 68, અમરેલી 67, બનાસકાંઠા 67, મહેસાણા 65,ખેડા 63, દેવભૂમિ દ્વારકા 58, નવસારી 58, રાજકોટ 58, કચ્છ 57, આણંદ 48, મહિસાગર 45, વલસાડ 41, જામનગર કોપોરેશન 38, પાટણ 35, અરવલ્લી 33, સુરેન્દ્રનગર 33, ભાવનગર કોર્પોરેશન 31, જામનગર 31, ગાાંધીનગર 30, ગાંધીનગર કોર્પોરેશન 28, નર્મદા 28, દાહોદ 22, ભાવનગર 19, અમદાવાદ 14, છોટા ઉદેપુર 12, મોરબી 9, તાપી 8, બોટાદ 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2869 નવા કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
વડોદરા કોપોરેશન 2, અમદાવાદ કોપોરેશન 6, સુરત કોપોરેશન 2, વડોદરા 2, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 2, જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 0, પોરબંદર 1, ભરુચ 2, પંચમહાલ 0, ગીર સોમનાથ 0, સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 0, મહેસાણા 2,ખેડા 0, દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, રાજકોટ 1, કચ્છ 0, આણંદ 0, મહિસાગર 2, વલસાડ 0, જામનગર કોપોરેશન 1, પાટણ 0, અરવલ્લી 0, સુરેન્દ્રનગર 0, ભાવનગર કોર્પોરેશન 1, જામનગર 1, ગાાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0, નર્મદા 0, દાહોદ 0, ભાવનગર 1, અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 0 મોત સાથે કુલ 33 મોત નોંધાયા છે.
રાજ્યમાં આજે કુલ 2,26,603 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજયમાં સાજા થવાનો દર 92.66 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)