શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા ?

Gujarat Covid-19 Update: રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા

Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે. વડોદરામાં 2 કેસ અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશન, કચ્છ અને સુરત કોર્પોરેશનમાંથી 1-1, અમદાવાદમાંથી 2 મળી કુલ 5 કોરોના સંક્રમિતો સાજા થયા. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે. હાલ રાજ્યમાં  કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 37 છે. અત્યાર સુધીમાં 1266509 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11043 લોકોના મૃત્યુ થયા છે.

રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થયું

રાજ્યમાં આજે સાંજ 5 વાગ્યા સુધીમાં કુલ 4429 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં રસીકરણનો કુલ આંક 12,78,25,775 પર પહોંચ્યો છે.

કોરોનાના વધતા જોખમ વચ્ચે વધાર્યું ટેસ્ટીંગ, જાણો દેશમાં કેટલા આવ્યા નવા કેસો

ચીન, દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન સહિત ઘણા દેશોમાં કોરોનાનો પ્રકોપ ચાલુ છે. સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે થયેલા મોતથી લોકોમાં હાહાકાર મચી ગયો છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ભારત પણ પોતાની તૈયારીઓ ઝડપથી કરી રહ્યું છે. બુધવારે (4 જાન્યુઆરી) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયથી મળેલ ડેટા અનુસાર, કોવિડ-19ના 175 નવા કેસ નોંધાયા છે જ્યારે દેશમાં સક્રિય કેસની સંખ્યા 2,570 છે.

દેશભરમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 220.11 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 95.13 કરોડ સેકન્ડ ડોઝ અને 22.41 કરોડ બૂસ્ટર ડોઝ સામેલ છે. આ સિવાય છેલ્લા 24 કલાકમાં 48,292 ડોઝ આપવામાં આવ્યા છે. ભારતનમાં હાલના સક્રિય કેસોનો આંકડો 2,570 છે.

છેલ્લા 24 કલાકમાં 2,01,690 ટેસ્ટ કરવામાં આવ્યા 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 187 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે, જેના કારણે કુલ રિકવરીનો આંકડો વધીને 4,41,45,854 થઈ ગયો છે અને એક્ટિવ કેસ 0.01% છે. આ સાથે, રિકવરી રેટ હાલમાં 98.8% છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દૈનિક સંક્રમણ દર 0.09% નોંધવામાં આવ્યો હતો જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર 0.12% છે. માહિતી મુજબ,  દેશમાં કુલ 91.13 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,01,690 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

BF.7 વેરિઅન્ટે વધારી મુશ્કેલી

ચીનમાં કોરોનાના કારણે બેકાબૂ બનેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે લોકોને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. ચીનમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે, જેના કારણે મૃત્યુઆંક પણ આસમાને પહોંચી રહ્યો છે. કોરોનાનું નવું BF.7 વેરિઅન્ટ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. અન્ય દેશોમાં પણ કોરોનાના કેસ વધવાના અહેવાલો સામે આવી રહ્યા છે.

ચીનથી ભારતમાં આવતા મુસાફરો માટે કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારત સરકાર કોરોનાના નવા BF.7 વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે કામ કરી રહી છે. ભારતમાં કોરોનાને ફેલાતો અટકાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પહેલાથી જ રાજ્યોને માર્ગદર્શિકા બહાર પડી દીધી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: સનરાઇઝર્સ હૈદરાબાદની સાતમી વિકેટ પડી, અભિનવ મનોહર 2 રન બનાવીને આઉટ
SRH vs LSG live score: સનરાઇઝર્સ હૈદરાબાદની સાતમી વિકેટ પડી, અભિનવ મનોહર 2 રન બનાવીને આઉટ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: સનરાઇઝર્સ હૈદરાબાદની સાતમી વિકેટ પડી, અભિનવ મનોહર 2 રન બનાવીને આઉટ
SRH vs LSG live score: સનરાઇઝર્સ હૈદરાબાદની સાતમી વિકેટ પડી, અભિનવ મનોહર 2 રન બનાવીને આઉટ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget