![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 490 કેસ નોંધાયા, 1278 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 490 કેસ નોંધાયા છે.
![Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 490 કેસ નોંધાયા, 1278 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત gujarat corona cases 490 new cases registred and 6 death in last 24 hours in gujarat Gujarat Corona cases: રાજ્યમાં કોરોનાના 490 કેસ નોંધાયા, 1278 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/11/094bfb049d95ce02a47a5c4b1d6331a0_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 490 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6 દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9991 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1278 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.46 ટકા છે.
ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,94,583 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1278 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.46 ટકા છે.
રાજ્યમાં અત્યાર સુધી 7,99,012 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10863 પર પહોંચ્યો છે. જેમાંથી 272 દર્દી વેન્ટિલેટર પર અને 10591 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.46 ટકા છે.
ક્યાં નોંધાયા કેટલા કેસ ?
રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં સુરત કોર્પોરેશનમાં 74, સુરત કોર્પોરેશનમાં 62, વડોદરા કોર્પોરેશનમાં 44, વડોદરામાં 33, સુરત 26, રાજકોટ કોર્પોરેશનમાં 22, જૂનાગઢમાં 20, ભરુચ 19, ગીર સોમનાથ 18, રાજકોટ 16, જામનગર કોર્પોરેશન 12, મહેસાણા 12, વલસાડ 12, અમરેલી 11, દેવભૂમિ દ્વારકા 10, ખેડા 10, પંચમહાલ 9, પોરબંદર 9, કચ્છ 8, નવસારી 8, ગાંધીનગર કોર્પોરેશન 6, જામનગર 6, આણંદ 4, બનાસકાંઠા 4, ભાવનગર કોર્પોરેશન 4, જૂનાગઢ કોર્પોરેશન 4, સાબરકાંઠા 4, ભાવનગર 3, ગાંધીનગર 3, મહીસાગર 3, મોરબી 3, અમદાવાદ 2, દાહોદ 2, પાટણ 2, સુરેન્દ્રનગર 2, તાપી 2 અને અરવલ્લી 1 કેસ સાથે કુલ 490 કેસ નોંધાયા છે.
ક્યાં કેટલા મોત થયા ?
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2, જૂનાગઢ 1, ભરુચ 1, જામનગર કોર્પોરેશન 1, અને અરવલ્લી 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 97.46 ટકા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)