![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Coronavirus Cases LIVE: કોરોનાને લઈ મોદી કરી રહ્યાં છે ઉચ્ચ સ્તરીય બેઠક, વધુ એક સુપરસ્ટાર કોરોનાની ઝપેટમાં
Gujarat Coronavirus Cases LIVE Updates: રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.
LIVE
![Coronavirus Cases LIVE: કોરોનાને લઈ મોદી કરી રહ્યાં છે ઉચ્ચ સ્તરીય બેઠક, વધુ એક સુપરસ્ટાર કોરોનાની ઝપેટમાં Coronavirus Cases LIVE: કોરોનાને લઈ મોદી કરી રહ્યાં છે ઉચ્ચ સ્તરીય બેઠક, વધુ એક સુપરસ્ટાર કોરોનાની ઝપેટમાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/04/9298136bbed4950956a000a690e00190_original.jpg)
Background
રાજ્યમાં ફરી કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શનિવારે અત્યાર સુધીના સૌથી વધુ 2815થી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 13 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં અત્યાર સુધી 2,96,713 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 315566 થઈ ગઈ છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 14 હજારને પાર નજીક પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 14298 પર પહોંચ્યો છે. જેમાંથી 161 લોકો વેન્ટિલેટર પર અને 14137 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.03 ટકા છે.
એક્ટર ગોવિંદા કોરોના પોઝિટિવ
અક્ષય કુમાર બાદ અભિનેતા ગોવિંદા (Govinda) પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. ગોવિંદાને કોરોનાન સામાન્ય લક્ષણો છે. ગોવિંદા હાલમાં હોમ ક્વોરંન્ટાઈન થયો છે. તેઓ ડોક્ટરોની સલાહ હેઠળ સારવાર અને તમામ જરૂરી સાવચેતીના પગલાં લઈ રહ્યા છે.
તાપીના વ્યારાના વેપારીઓનો મોટો નિર્ણય
કોરોના સંક્રમણ વચ્ચે વ્યારા નગરના વેપારીઓ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. આવતીકાલથી 15 મી એપ્રિલ સુધી વ્યારા નગર ના બજારો સવારે 9 થી 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. માત્ર વ્યારા નગરના વેપારીઓનો જ આ નિર્ણય છે અન્ય તાલુકા મથકો ચાલુ રહેશે. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરી હતી.
આસામ સરકારે RT-PCR ટેસ્ટનો ભાવ નક્કી કર્યો
કોરોનાની સ્થિતિને લઈ PM મોદી કરી રહ્યાં છે મીટિંગ
સુરત સિવિલની બેદરકારી
કોવિડ વિભાગમાં મૃતદેહ બદલાયા હોવાનો સુરતની નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પર આરોપ લાગ્યો છે. 10 દિવસથી દાખલ દર્દીના મૃત્યુ બાદ પરિવારને અન્ય વ્યક્તિનો મૃતદેહ સોંપાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)