શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો, આજે 715 નવા કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 715 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4318 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,47,228 પર પહોંચી છે.
રાજ્યમાં હાલ 9250 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,33,660 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 9189 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, બોટાદ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 146, સુરત કોર્પોરેશનમાં 104, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 51, કચ્છ 32, વડોદરા-30, રાજકોટ-25,સુરત 23, આણંદ 17, ભરૂચ 15, મહેસાણા 14, પંચમહાલ 14, મોરબી 13, ગાંધીનગર 12, દાહોદ 11 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 938 દર્દી સાજા થયા હતા અને 51,384 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 98,10,664 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement