શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં આજે 685 નવા કેસ નોંધાયા, સાજા થવાનો દર 95 ટકાથી વધારે
રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 685 નવા કેસ સામે આવ્યા હતા.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 685 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4335 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8149 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,38,114 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 8088 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને તાપીમાં 1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 131, સુરત કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશનમાં 60, સુરત-27, વડોદરા 27, રાજકોટ-19, કચ્છ 18, મહેસાણા 16, આણંદ 14, દાહોદ 13, ભરૂચ 12, જૂનાગઢ 11 અને સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 892 દર્દી સાજા થયા હતા અને 49,952 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 1,00,53,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 95.02 ટકા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement