Gujarat cyclone update: ગુજરાત પર આ તારીખે ત્રાટકશે વિનાશક વાવાઝોડું, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat cyclone update: ગુજરાતમાં છેલ્લા 2 સપ્તાહથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ દરમિયાન વાવાઝોડાનો પણ ખતરો તાળાઇ રહ્યો છે. હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે.

Gujarat cyclone update: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24મેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાશે. અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહિ. હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22મેથી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. 27 મે મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટ્ટાછવાયા વરસાદની આગાહી છે.હવામાન વિભાગે ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે બે- બે સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીત સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.
વામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઇ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં પીણી ભરાયા હતા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલનો સામલો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેરી સહિતના પાકને નુકસાન થયું છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ છે. વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.





















