શોધખોળ કરો

કોંગ્રેસના કયા દિગ્ગજ નેતા આજે જોડાશે ભાજપમાં? જાણો મોટા સમાચાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે.

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક આગેવાનો ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજે અમદાવાદના રાજકીય સામાજિક આગેવાનો ભાજપમાં જોડાશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે. આજે બપોરે એક વાગ્યે આગેવાનો ભાજપમાં જોડાવાના છે. 

અમદાવાદમાં માંડલના પુર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલની ઘરવાપસી થશે. આજે બપોરે 1 વાગ્યે કમલમમાં ફરીથી ભાજપમાં જોડાશે. 2017 માં ભાજપ દ્રારા કરવામાં આવ્યા હતા સસ્પેન્ડ.


એપ્રિલ મહિનામાં PM મોદીના બે, અમિત શાહનો એક પ્રવાસ, જાણો સંપૂર્ણ વિગત

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ શરૂ થઈ ગયા છે. આગામી એપ્રિલ માસમાં પીએમ મોદી ગુજરાતમા બે વખત ગુજરાત પ્રવાસે આવી શકે છે. 15 એપ્રિલે PM મોદી વલસાડના પ્રવાસે આવી શકે છે. વલસાડના ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત રહી શકે છે. જ્યારે 24મી એપ્રિલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર મુલાકાતે આવે તેવી શક્યતા છે. આયુષ મંત્રાલય હેઠળ જામનગરમા WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના સ્થાપમાં કાર્યક્રમમા પીએમ મોદી હાજર રહી શકે છે.

ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત, ક્યારે અને શું છે તેમનો કાર્યક્રમ?

ગાંધીનગરઃ ફરી એકવાર કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે. ગાંધીનગર ખાતે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાઇસન્સ યુનિવર્સીટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં નરેશ પટેલ અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને લઈને રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ બન્ને દિગ્ગજોને લઈને કેટલીક વાતો સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાંત કિશોર રણનીતિકાર તરીકે નહિ એક નેતા તરીકે કોંગ્રેસમાં કામ કરશે. તેઓ ટૂંક સમયમાં જ
વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે.કોંગ્રેસના જોડાયા બાદ તેઓ ગુજરાત માટે કરશે કામ.

આ ઉપરાંત ગુજરાતમાં સૌથી વધુ અટકળો નરેશ પટેલને લઈને ચાલી રહી છે. પરંતુ નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જોડાશે તેવી વાત સામે આવી છે. નરેશ પટેલ 2022ની ચૂંટણી પણ લડશે. જો કે તેના આવવાથી હાર્દિક પટેલનું પદ યથાવત રહેશે. હાર્દિકનું કદ ન ઘટે તે માટે નરેશ પટેલને અન્ય કામગીરી સોંપાશે. નરેશ પટેલની પોતાને CMનો ચેહરો જાહેર કરવાની માગ કરી હોવાની અટકળો ચાલી રહી છે.  જોકે આ મામલે કોંગ્રેસે હજુ સુધી કોઈ કમીટમેન્ટ આપ્યું નથી. નરેશ પટેલ અને પ્રશાંત કિશોર એપ્રિલના પહેલા સપ્તાહમાં કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા છે.

ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એકવાર મોટું ભંગાણ થઈ શકે છે.  કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે છે. અશ્વિન કોટવાલ ખેડબ્રહ્માના ધારાસભ્ય છેય છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ છે. વિધાનસભાના વિપક્ષના નેતા ના બનાવતા કોટવાલ નારાજ છે. કોટવાલ છેલ્લા ઘણા સમયથી ગૃહમાં પણ ગેરહાજર રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી કોટવાલ કોંગ્રેસના નેતાઓના ફોન નથી ઉપાડી રહ્યા.  

 

નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે.  આદિવાસી નારાજ ધારાસભ્યને મનાવવા પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રભારી રઘુ શર્મા પણ તેમની નારાજગી દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધુસૂદન મિસ્ત્રીના કારણે અશ્વિન કોટવાલ નારાજ છે. 2022ની ચૂંટણીમાં મિસ્ત્રીના ઈશારે હેરાન થવાની તેમને આશંકા છે.

રાહુલ ગાંધી સુધી પહોંચ્યો મામલો

મધુસૂદન મિસ્ત્રી દ્વારા હેરાનગતિ ન થાય તેવી રાહુલ ગાંધી ગેરંટી આપે તેવી કોટવાળની માંગ હોવાનું સૂત્રએ જણાવ્યું છે. લોકપ્રિયતા હોવા છતા 2017માં ટિકિટ માટે કોટવાળને હેરાન થવું પડ્યું હતું. મધુસુદન મિસ્ત્રી તરફથી હેરાનગતિ અટકવાનું નક્કર વચન હાઈકમાંડ નહીં આપે તો કોટવાલ કોંગ્રેસ છોતે તેવી શક્યતા છે. રઘુ શર્માના પ્રયાસો નિષ્ફળ રહેતા મામલો રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વિધાનસભાનું સત્ર પૂરું થયા બાદ કોટવાલ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Weather forecast :રાજ્યના 10 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Weather forecast :રાજ્યના 10 જિલ્લામાં વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
Rain: આજે 20 જિલ્લામાં માવઠાની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 6 જિલ્લામાં યલો એલર્ટ
Rain: આજે 20 જિલ્લામાં માવઠાની આગાહી, 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 6 જિલ્લામાં યલો એલર્ટ
Gujarat Weather: વાવાઝોડા અને માવઠાથી ખેડૂતોને નુકસાન, વરીયાળી-ઘઉં સહિતનો પાક બગડ્યો
Gujarat Weather: વાવાઝોડા અને માવઠાથી ખેડૂતોને નુકસાન, વરીયાળી-ઘઉં સહિતનો પાક બગડ્યો

વિડિઓઝ

Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
Jamnagar Unseasonal Rain : જામનગરના લાલપુરમાં કરા સાથે પડ્યો બરબાદીનો વરસાદ
Hun To Bolish : હું તો બોલીશ : સર્વિસ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતો છેતરાતા નહીં
Hun To Bolish : હું તો બોલીશ : કેમ દોડ્યા ધારાસભ્યો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
કમોસમી વરસાદને અંબાલાલ પટેલની આગાહી, રાજ્યના આ જિલ્લામાં થશે માવઠુ
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
Gujarat Weather Update: રાજ્યભરના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે ઉડી ધૂળની ડમરી, હોર્ડિંગ પતરા ઉડ્યાં
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
ગુજરાત કેબિનેટ બેઠક: ધોલેરા-મેટ્રો પ્રોજેક્ટનો રિવ્યૂ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને UCC બિલ પર લેવાયા મોટા નિર્ણયો
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: કાળઝાળ ગરમી વચ્ચે 21 રાજ્યોમાં તોફાન અને વરસાદની આગાહી, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ઈરાન યુદ્ધની ભારતમાં મોટી અસર: રોજિંદી દવાઓ થઈ શકે છે મોંઘી, ફાર્મા એસોસિએશને સરકારને લખ્યો ઈમરજન્સી પત્ર!
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
ગુજરાતમાં વિધાનસભામાં UCC બિલ રજૂ: લગ્ન પછી 1 વર્ષ સુધી નહીં મળે છૂટાછેડા, જાણો કોને મળી મોટી મુક્તિ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં વરસશે કમોસમી વરસાદ
Embed widget