શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાત પર હજુ 24 કલાક લગી 'વાયુ' વાવાઝોડાનો કેમ છે ખતરો? જાણો હવામાન અધિકારીએ શું કહ્યું?
હવામાન વિભાગનાં અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવત છે.
![ગુજરાત પર હજુ 24 કલાક લગી 'વાયુ' વાવાઝોડાનો કેમ છે ખતરો? જાણો હવામાન અધિકારીએ શું કહ્યું? Gujarat gears up for severe Cyclone Vayu ગુજરાત પર હજુ 24 કલાક લગી 'વાયુ' વાવાઝોડાનો કેમ છે ખતરો? જાણો હવામાન અધિકારીએ શું કહ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/13110704/cyclone-4.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત પર ત્રાટકનારું 'વાયુ' વાવાઝોડું બુધવારે મધરાત્રે ઓમાન તરફ ફંટાયુ હતું પણ ગુજરાત પર હજુ 24 કલાક માટે ખતરો છે. હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે ‘વાયુ’ વાવાઝોડું શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી આ વાવાઝોડું દ્વારકાથી દૂર ઓમાન તરફ ફંટાઈ જશે પણ 24 કલાક ગુજરાત પર ખતરો છે જ.
હવામાન વિભાગનાં અધિકારી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાની દિશા બદલાઈ રહી હોવા છતાં જોખમ હજુ પણ યથાવત છે, કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને પવન પણ ફૂંકાશે. આ વરસાદ તથા તોફાની પવનના કારણે મોટા પાયે નુકસાન થઈ શકે છે.
તેમણે જણાવ્યું કે, 'વાયુ' વાવાઝોડાના કારણે દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોમાં બપોરે 135થી 160 કિમીની ઝડપે પવનો ફૂંકાશે. વાવાઝોડાને પગલે દક્ષિણ ગુજરાતમાં પણ હળવાં વરસાદી ઝાપટાંની શક્યતા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)