ગુજરાતમાં 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાત મનપા ચૂંટણી 2026: પત્રકારોના પોલમાં 15 મનપામાં કોંગ્રેસનો રકાસ, જાણો ક્યા શહેરમાં કેટલી બેઠક મળશે?
એબીપી અસ્મિતાના પત્રકારોના પોલ મુજબ કોંગ્રેસ 1044 માંથી માંડ 156 બેઠકો જીતી શકશે; સૌથી વધુ બેઠકો અમદાવાદમાં (35) મળશે, જ્યારે સુરત અને પોરબંદરમાં સ્થિતિ અતિ દયનીય રહેશે.

- ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર મતદાન પૂર્ણ.
- ભાજપનો દબદબો, કોંગ્રેસને માત્ર 156 બેઠકો મળવાનો અંદાજ.
- અમદાવાદમાં કોંગ્રેસને 35, સુરતમાં ફક્ત 4 બેઠકો મળવાની શક્યતા.
- નવી બનેલી મનપામાં પણ કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઈ શકે.
Gujarat local Election 2026: ગુજરાતમાં 6 જૂની અને 9 નવી એમ કુલ 15 મહાનગરપાલિકાઓની 1044 બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પરિણામો પર છે. આ વર્ષે મનપામાં સરેરાશ 48.62 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે. જોકે, ચૂંટણીના આખરી પરિણામો પહેલા એબીપી અસ્મિતાના પત્રકારોના ગ્રાઉન્ડ રિપોર્ટ અને પોલ મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશાજનક સાબિત થઈ શકે છે.
અનુમાન મુજબ, તમામ 15 મનપામાં ભાજપનો દબદબો જોવા મળશે અને કોંગ્રેસનો સફાયો થઈ શકે છે. કુલ 1044 બેઠકોમાંથી કોંગ્રેસના ફાળે માત્ર 156 બેઠકો આવવાની શક્યતા છે.
જૂની મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની સ્થિતિ:
મોટા શહેરોમાં કોંગ્રેસ ક્યાંય પણ સત્તાની નજીક પહોંચતી દેખાતી નથી. સુરતમાં કોંગ્રેસને આમ આદમી પાર્ટી કરતા પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
અમદાવાદ (કુલ 192 બેઠકો): કોંગ્રેસને અહીં સૌથી વધુ 35 બેઠકો મળી શકે છે.
સુરત (કુલ 120 બેઠકો): અહીં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ છે અને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે.
વડોદરા (કુલ 76 બેઠકો): કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.
રાજકોટ (કુલ 72 બેઠકો): કોંગ્રેસના ફાળે 12 બેઠકો જઈ શકે છે.
જામનગર (કુલ 64 બેઠકો): કોંગ્રેસને માત્ર 12 બેઠકો મળવાની શક્યતા છે.
ભાવનગર (કુલ 52 બેઠકો): કોંગ્રેસ અહીં 13 બેઠકો જીતી શકે છે.
નવી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસની સ્થિતિ:
નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ સિંગલ અથવા ડબલ ડિજિટમાં જ સમેટાઈ જાય તેવું તારણ છે.
મોરબી (52 બેઠકો): 11 બેઠકો
કરમસદ આણંદ (52 બેઠકો): 11 બેઠકો
ગાંધીધામ (52 બેઠકો): 9 બેઠકો
મહેસાણા (52 બેઠકો): 9 બેઠકો
નડિયાદ (52 બેઠકો): 9 બેઠકો
નવસારી (52 બેઠકો): 6 બેઠકો
વાપી (52 બેઠકો): 6 બેઠકો
સુરેન્દ્રનગર (52 બેઠકો): 4 બેઠકો
પોરબંદર છાયા (52 બેઠકો): સૌથી ઓછી માત્ર 2 બેઠકો મળવાની શક્યતા છે.
એકંદરે, ગ્રાઉન્ડ રિપોર્ટના તારણો દર્શાવે છે કે આ ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પોતાનો જનાધાર વધારવામાં નિષ્ફળ રહી છે.
ક્યા પક્ષને કેટલી બેઠક મળશે
પત્રકારોના અનુમાન મુજબ મોટા શહેરોની સ્થિતિ જોઈએ તો, અમદાવાદની 192 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 153 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 35 અને અન્યના ફાળે 4 બેઠકો જઈ શકે છે. અહીં આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલે તેવું લાગતું નથી. સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપને 88, આમ આદમી પાર્ટીને 28 અને કોંગ્રેસને માત્ર 4 બેઠકો મળવાનું અનુમાન છે. વડોદરાની 76 બેઠકોમાંથી ભાજપ 62, કોંગ્રેસ 13 અને અન્ય 1 બેઠક જીતી શકે છે. જ્યારે રાજકોટની 72 બેઠકોમાંથી ભાજપને 57, કોંગ્રેસને 12 અને આમ આદમી પાર્ટીને 3 બેઠકો મળવાની શક્યતા છે. જામનગરમાં 64 બેઠકોમાંથી ભાજપ 45, કોંગ્રેસ 12, આપ 5 અને અન્ય 2 બેઠકો મેળવે તેવો અંદાજ છે. જ્યારે ભાવનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 39 અને કોંગ્રેસને 13 બેઠકો મળી શકે છે.
આ ઉપરાંત નવી બનેલી મહાનગરપાલિકાઓની બેઠકો પર નજર કરીએ તો, મોરબીની 52 બેઠકોમાં ભાજપ 35, કોંગ્રેસ 11, આપ 2 અને અન્ય 4 બેઠક જીતી શકે છે. નવસારીમાં ભાજપ 45, કોંગ્રેસ 6 અને આપ 1 બેઠક મેળવે તેવું તારણ છે. વાપીમાં ભાજપને 45, કોંગ્રેસને 6 અને અન્યને 1 બેઠક મળી શકે છે. ગાંધીધામમાં ભાજપ 42, કોંગ્રેસ 9 અને આપ 1 બેઠક પર કબ્જો જમાવી શકે છે.
મહેસાણા અને નડિયાદ બંને મનપામાં 52 52 બેઠકોમાંથી ભાજપને 43 અને કોંગ્રેસને 9 બેઠકો મળવાનું સમાન અનુમાન છે. કરમસદ આણંદમાં ભાજપ 39, કોંગ્રેસ 11 અને અન્ય 2 બેઠક મેળવી શકે છે. સુરેન્દ્રનગરમાં 52 બેઠકોમાંથી ભાજપને 46, કોંગ્રેસને 4 અને અન્યને 2 બેઠકો મળવાની શક્યતા છે. જ્યારે પોરબંદર છાયામાં ભાજપ 47, કોંગ્રેસ 2, આપ 2 અને અન્ય 1 બેઠક જીતે તેવો પત્રકારોનો સ્પષ્ટ મત છે.
(નોંધ: આ માત્ર પત્રકારોના તારણ પર આધારિત અનુમાન છે, કોંગ્રેસની બેઠકોનું આખરી ચિત્ર મતગણતરીના દિવસે જ સ્પષ્ટ થશે.)
Frequently Asked Questions
ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાઈ હતી?
આ ચૂંટણીમાં સરેરાશ કેટલું મતદાન થયું?
આ વર્ષે મનપામાં સરેરાશ 48.62 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું છે.
સુરતમાં કોંગ્રેસની સ્થિતિ કેવી રહેવાનું અનુમાન છે?
સુરતમાં કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ રહેવાનું અનુમાન છે, જ્યાં માત્ર 4 બેઠકો મળવાની શક્યતા છે.
અમદાવાદમાં કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે છે?
અમદાવાદમાં કોંગ્રેસને સૌથી વધુ 35 બેઠકો મળવાની શક્યતા છે.
નવી બનેલી મહાનગરપાલિકાઓમાં કોંગ્રેસનું પ્રદર્શન કેવું રહેવાનું અનુમાન છે?
નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસ સિંગલ અથવા ડબલ ડિજિટમાં જ સમેટાઈ જાય તેવું તારણ છે.





















