શોધખોળ કરો

Morbi Bridge Collapse: શું મોરબી બ્રીજની સંભાળ રાખતી કંપનીની આ ભૂલે નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલ્યા?

મોરબીમાં આવેલી મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા બ્રીજ પર એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી ગયા બાદ મોડી સાંજે પુલ તૂટી પડ્યો હતો.

Morbi Bridge Collapse: મોરબીમાં આવેલી મચ્છૂ નદી પર આવેલા ઝૂલતા બ્રીજ પર એક સાથે મોટી સંખ્યામાં લોકો આવી ગયા બાદ મોડી સાંજે પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાં હોવાની પુષ્ટી થઈ ચુકી છે. આ સાથે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. હાલ તંત્ર દ્વારા બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, આ દુર્ઘટના પાછળ જવાબદાર કોણ છે? શું બ્રીજની સંભાળ રાખતી કંપનીની ભૂલના કારણે આ દુર્ઘટના બની છે?

પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટઃ

તમને જણાવી દઈએ કે, ઓરેવા કંપની મોરબીના ઝૂલતા બ્રીજની જવાબદારી સંભાળતી હતી. મહત્વનું છે કે, મોરબીના ઝૂલતા બ્રીજને 4 દિવસ પહેલાં જ મરામત કર્યા બાદ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ 7 મહિના સુધી બંધ રહ્યો હતો. ઓરેવા કંપની દ્વારા આ પુલ પર જવા માટે 12 રુપિયા અને 17 રુપિયાની ટિકિટ પણ રાખવામાં આવી હતી. રવિવારના દિવસે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઝૂલતા બ્રીજને જોવા માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન પુલ પર અંદાજે 400થી વધુ લોકો એક સાથે પહોંચી ગયા હતા જેથી પુલ પર વજન પણ વધી ગયું હતું. 

મોરબી પાલિકાના ચીફ ઓફિસરે કર્યો ખુલાસોઃ

એબીપી અસ્મિતા સાથીની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી માહિતી આપી હતી. સંદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, કેબલ બ્રીજનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો. તેઓએ કહ્યું હતું કે ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે એમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.​​

આ પણ વાંચો...

Morbi Cable Bridge Collapses: મોરબીની કેબલ બ્રીજ દુર્ઘટના અંગે PM Modiએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરી આ સૂચનાઓ આપી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sea Link Project: દહેજ-ભાવનગર વચ્ચે રેલ્વે સી લિંક પ્રોજેક્ટને મંજૂરી, હવે ગણતરીના કલાકોમાં પહોંચશોRajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવાSurat Shivshkati Fire News: આગમાં કરોડોની નુકસાની વચ્ચે વેપારીઓેને અપાઈ મોટી રાહત, જુઓ વીડિયોમાંGujarat Heatwave: હજુ 24 કલાક સુધી ગરમીનું જોર રહેશે યથાવત, રાજકોટ રહ્યું સૌથી વધુ ગરમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
વાલીઓ ફટાફટ કરો! RTE ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, હવે આ દિવસ સુધી ભરી શકાશે ફોર્મ
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
'15 માર્ચ બાદ ગરમીથી રાહત મળશે, પરંતુ આ દિવસોથી શરૂ થશે અગનવર્ષા' - અંબાલાલનું અનુમાન
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Cricket: હવે નહીં તૂટે રોહિત શર્માનો આ વર્લ્ડ રેકોર્ડ, પાકિસ્તાને બાબર આઝમ સાથે કરી દીધો ખેલ
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
Shubman Gill: ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતી ગિલે બનાવ્યો રેકોર્ડ, બુમરાહને પાછળ છોડ્યો
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
WPL 2025: શું ફાઇનલમાં પહોંચી શકશે મુંબઇ ઇન્ડિયન્સ? આજે રમાશે એલિમિનેટર મેચ
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
PAK આર્મીનો દાવો- તમામ આતંકી માર્યા ગયા, બલોચ આર્મીએ કહ્યુ- 'હજુ 150 લોકો બંધક, 100 જવાન માર્યા ગયા'
Embed widget