શોધખોળ કરો

આજથી જ્ઞાન સહાયક ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે.

Gyan Sahayak recruitment 2024: હાલમાં, ગુજરાત સરકારે સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં જ્ઞાન સહાયકોની નિમણૂકની જાહેરાત કરી છે. આ મુદ્દે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિસ્તૃત માહિતી મુજબ, હાલમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિયુક્તિની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે અનેક વખત માંગણીઓ અને વિરોધ પ્રદર્શનો થયા છે.

સરકારની જાહેરાત અનુસાર, ઉમેદવારો 27 જુલાઈથી 5 ઑગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. ત્યારબાદ, મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષણ કહાયકોની નિમણૂક કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે. ભરતી જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શિક્ષણ વિભાગ હેઠળ ગુજરાતની સરકારી અને ખાનગી અનુદાનિત સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં ‘જ્ઞાન સહાયક યોજના’ (સેકન્ડરી અને હાયર સેકન્ડરી)' માટે શાળા સ્તરે 11 મહિનાના કરાર આધારિત 'જ્ઞાન સહાયક'ની જગ્યાઓ ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસેથી હાલમાં ઓનલાઈન અરજીઓ માંગવામાં આવી રહી છે.

આ ભરતી અંગે, જ્ઞાન સહાયક (સેકન્ડરી) માટે માસિક નિશ્ચિત પગાર 24,000/  રૂપિયા છે અને વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્ઞાન સહાયક (હાયર સેકન્ડરી) માટે માસિક પગાર 26,000/  રૂપિયા આપવામાં આવશે અને અરજી કરવા માટેની વય મર્યાદા 42 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 27/07/2024 શનિવારથી શરૂ થશે. નોંધપાત્ર છે કે, ઓનલાઈન અરજી બાદ મેરિટના આધારે સરકારી અને અનુદાનિત શાળાઓમાં નિયુક્તિ કરવામાં આવે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05/08/2024 સોમવાર છે, જે દિવસે રાત્રે 11:59 વાગ્યા સુધી ફોર્મ ભરી શકાશે.

આ પહેલા પણ જ્ઞાન સહાયકની ભરતી થઈ હતી તે સમયે આ શરતો હતી

આ કરારની મુદત  ૧૧ માસની છે , એટલે કરારની મુદત પુરી થતાં આપ કામગીરી ઉ૫૨થી છુટા થયેલા ગણાશો. ૧૧ માસ પછી રીવ્યુના અંતે જ્ઞાન સહાયકની કામગીરી સંતોષકારક જણાશે તો શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC) દ્વારા સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ જગ્યાની આપની કામગીરી/વર્તણૂક સંતોષકારક નહીં જણાય તો કોઇ પણ જાતની નોટીસ વગર  કરારનો અંત લાવવામાં આવશે. આ૫ના પક્ષે  કરારનો અંત લાવવા માટે એક માસની નોટીસ આપવાની રહેશે. 

આ કામગીરી માટે  રૂ. ૨૧૦૦૦ /- ( એકવીસ હજાર પુરા) ઉચ્ચક માનદ વેતન ચૂકવવામાં આવશે. કરા૨ની મુદત દરમિયાન ઉકત ઉચ્ચક માનદવેતન ઉપર કોઈ પણ પ્રકારનો વધારો, ઇજાફો, ભથ્થાં કે અન્ય નાણાંકીય લાભ મળવાપાત્ર નથી.

આ જગ્યા પર શાળા કક્ષાએ નિયમત શિક્ષકોની ભરતી થતાં, અથવા પ્રતિની રજા કે લાંબી ૨જા ૫૨ ગયેલ શિક્ષક પાછા ફરે, અથવા બદલીથી કોઈ શિક્ષક હાજ૨ થયેથી; અગીયાર  માસ માટે, બે માંથી જે વહેલું હોય તેટલા સમય માટે ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર થશે. એટલે કે ૧૧ માસની મુદત પહેલા કોઇ નિયમિત શિક્ષક હાજર થાય તો જ્ઞાન સહાયકને ૧૧ માસની મુદત પહેલા છૂટા કરવામાંઆવશે અને તેમણે બજાવેલ ફ૨જના સમય માટેનું જ માનદ વેતન મળવાપાત્ર થશે.

આ જગ્યા માટે નિયત કરવામાં આવેલ કર્તવ્યો અને ફરજો બજાવવાની રહેશે. તેમજ શાળા વ્યવસ્થાપન રામિતિ દ્વારા વખતો વખત આપની કામગીરીને અનુરૂપ નિર્દેશ કરવામાં આવતી કામગીરી ક૨વાની ૨હેશે. શાળામાં ફરજપાલન માટે નિયત કરેલ સમય પ્રમાણે પૂર્ણકર્ણાલન હાજરી આપવાની રહેશે.

આ કરારની અર્વાધ પૂર્ણ થતાં કામગીરી ઉ૫૨ ચાલુ રહેવા/atવીલ કરાર ક૨વા માટેનો કોઈ હકદાવો કરી શકાશે નહી.

કરારના સમયગાળા દરમ્યાન અવસાન થાય/એક તરફી કરારનો અંત લાવો તો તમોએ બજાયેલ સમયગાળાની એકત્રિત લેણી ૨કમ તેઓના કુટુંબીજનોને/તમોો મળવાપાત્ર થશે. બીજા કોઈ નાણાંકીય લાભ એક્ષગ્રેસીયા લાભ કે રહેમરાહે નોકરી જેવા અનુષાંગિક લાભ મળવાપાત્ર થશે નહી.

જે તે શાળાના અધિકૃત આચાર્યની ૫૨વાનગી વગર આપ મુખ્યમથક છોડી શકશો નહી. જ્ઞાન સહાયકએ શાળામાં કામકાજનાં દિવસો દરમિયાન શાળા સમય તેમજ જરૂર જણાયે શાળાના શૈક્ષણિક સમય ઉપરાંત વધારાના સમય શાળામાં રોકાઇને ઉપચારાત્મક શિક્ષણ, મૂલ્યાંકન, તાલીમ, હોમ ર્નિંગ સહિતની તમામ પ્રકા૨ની શૈક્ષણિક અને સહ શૈક્ષણિક વગેરે પ્રવૃતિઓ ક૨વાની ૨હેશે.

 વેકેશનના સમયગાળા દરમિયાનનું ઉચ્ચક માનદવેતન મળવાપાત્ર રહેશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Prayagraj Mahakumbh Stampede: CM Yogi :મહાકુંભમાં દુર્ઘટનાને લઈને CM યોગીનું સૌથી મોટું નિવેદનKutch: ભચાઉમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિમી દૂર Watch VideoMahakumbh Stampede News: પરિવારજનો ન મળતા લોકો ચિંતાતુર, રડી રડીને શોધી રહ્યા છેPrayagraj Mahakumbh Stampede: ભાગદોડમાં 10થી વધુના મોત, જુઓ હાલની સ્થિતિ LIVE એબીપી અસ્મિતા પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Republic Day Tableau:  ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Republic Day Tableau: ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લોએ પ્રથમ ક્રમ મેળવી નોંધાવી હેટ્રીક
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Mahakumbh Stampede LIVE: મહાકુંભમાં ભાગદોડ બાદ સ્થિતિ સામાન્ય, અખાડાઓનું અમૃત સ્નાન શરૂ
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
Weather Update:રાજયમાં ખેડૂતો માટે માઠા સમાચાર,આ તારીખથી આ જિલ્લામાં વરસાદની આગાહી
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
IND vs ENG: રાજકોટમાં ભારતની હારનું સાચું કારણ આવ્યું સામે, વરુણ ચક્રવર્તીએ જણાવ્યું કેવી રીતે પલટી ગેમ
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
'મહાકુંભને ફોટો સેશનનો અડ્ડો બનાવી દીધો છે', ભાગદોડની ઘટના પર કોંગ્રેસ યોગી સરકાર પર ભડકી, લગાવ્યા ગંભીર આરોપો
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
કરુણ કિસ્સો... 'અમે 10 લોકો આવ્યા હતા, હવે બસ 2 જ બચ્યા...' - મહાકુંભમાં ગયેલી મહિલા રડતાં-રડતાં એબીપી ન્યૂઝના કેમેરા સામે બોલી
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede:મહાકુંભમાં નાસભાગની ઘટનામાં ગુજરાતી શ્રદ્ધાળુની શું સ્થિતિ, જાણો અપડેટસ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Mahakumbh Stampede: મહાકુંભમાં ભાગદોડ બાદ રેલવેનો મોટો નિર્ણય, પ્રયાગરાજ માટેની તમામ સ્પેશ્યલ ટ્રેનો રદ્દ
Embed widget