શોધખોળ કરો

રાજ્યમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદને લઈને  હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.  

ગાંધીનગર: ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.  હવામાન  વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેશે.  28 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસશે ભારેથી અતિભારે વરસાદ. તો સૌરાષ્ટ્રમાં વરસશે ભારે વરસાદ. જ્યારે 29 તારીખે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં વરસશે ધોધમાર વરસાદની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં પણ છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે માત્ર 10 ટકા જ વરસાદની ઘટ છે.  મહેસાણામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણામાં ભારે વરસાદ  વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.  મહેસાણા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. જેના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોઢેરા રોડ, સ્વામિનારાયણ મંદિર, ગ્રીનપાક સોસાયટી,  સરદારનગર, સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કેટલાક વાહન ચાલકોના તો વાહનો પાણીની વચ્ચે ફસાઈ ગયા  હતા. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે.  જિલ્લામાં અત્યાર સુધી સીઝનનો 69 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.  મહેસાણા શહેરમાં અત્યાર સુધી સીઝનનો 65 ટકાથી વધુ વરસાદ પડ્યો છે.

સીઝનનો 82.40 ટકા વરસાદ

રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 82.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. નજર કરીએ ક્યાં ઝોનમાં કેટલો વરસાદ વરસી ચૂક્યો છે તેના પર તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 93 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે કચ્છમાં 88 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને મધ્ય ગુજરાતમાં 74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 67 ટકા વરસાદ વરસ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજકોટ ડિમોલીશનનો વધુ એક વિવાદ,ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!
રાજકોટ ડિમોલીશનનો વધુ એક વિવાદ,ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: 16 રાજ્યોમાં વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ, 80 કિમીની ઝડપે ફૂંકાશે પવન
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
કર્ક સંક્રાંતિ 2026 ક્યારે છે? આ દિવસથી વધી જશે નકારાત્મક ઊર્જા, ભૂલથી પણ આ કામો ન કરતા!
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
વાલીઓ ચેતજો! અમદાવાદની શાળામાં વિદ્યાર્થી સાથે શારીરિક અડપલાં, સફાઈકર્મી વોશરૂમમાં લઈ ગયો અને...
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
ટ્રમ્પની મોટી ધમકી: આ દેશો પર લાગશે 100% ટેરિફ, જાણો હવે શું થશે?
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
Embed widget