શોધખોળ કરો

Gujarat Rain: સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો 

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

અમદાવાદ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો છે. અનેક જિલ્લાઓમાં વિજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમૂક જગ્યાએ તો કરા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે.  સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. અમરેલી, રાજકોટ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે છોટા ઉદેપુરમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. દાહોદમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. 

અમરેલી જિલ્લામાં જોરદાર વરસાદ

રાજ્યમાં આજે શનિવારે અમરેલી સહિત 14 જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહીને પગેલે અમેરલી જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી સહિત મોટાભાગના તાલુકાઓ અને ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો હતો. 

અમરેલી જિલ્લાના બાબરા, ખાંભા, વડિયા, બગસરા, કુંકાવાવ અને ધારી પંથકમાં જોરદાર વરસાદ પડ્યો છે.  ગામડાઓમાં ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો હતો. 

છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ

છોટા ઉદેપુર જિલ્લામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.   વાવાઝોડાની સૌથી મોટી અસર છોટાઉદેપુરના ઝોઝ કેવડી રસ્તા પર જોવા મળી છે, જ્યાં વૃક્ષો ધરાશાયી થવાને કારણે રસ્તો  બંધ થઈ ગયો છે. માર્ગ ખુલ્લો કરવા માટે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં અન્ય જગ્યાઓએ પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો મળ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ,  નસવાડી, બોડેલી, પાવીજેતપુર, સંખેડા તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  16 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આ સમય દરમિયાન  30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના  જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગે (IMD) આગામી 5 દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો અને ઓરેન્જ એલર્ટ  જાહેર કર્યું છે, જેમાં 15 થી વધુ જિલ્લાઓનો સમાવેશ થાય છે.  નોંધનીય છે કે, જૂન 15-16 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ
16 વર્ષ બાદ વસ્તી ગણતરી: 17 મેથી ગુજરાતમાં ઘરે બેઠા જાતે જ કરી શકાશે ‘સેલ્ફ સેન્સસ’, જાણો આખી પ્રોસેસ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget