શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં હવે રસી નહીં લીધી હોય તો ભરવો પડશે દંડ, જાણો કોને લાગુ થશે આ નિયમ

જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે રસીકરણને વધુ વેગવંતુ બનાવવા માટે કમર કસી છે. હવે ખાસ કરીને શાકભાજી, હોટેલ-રેસ્ટોરંટ, ચાની કિટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તેની સામે દંડ અને શિક્ષાત્મક કાર્રવાઈ કરાશે. આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્રવાઈ કરવામાં આવશે.

જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ કલેક્ટર આ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરશે. રાજકોટ, સુરેંદ્રનગર જિલ્લા કલેક્ટરોએ તો જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધુ છે. અમદાવાદમાં પણ બે દિવસમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

ખાસ કરીને સુપરસ્પ્રેડરો જેમ કે શાકભાજી-ફ્રુટ વેંચનારા, ચાની કિટલી, પાનના ગલ્લા, રિક્શા ટેક્સ ચાલક, ક્લિનર,હેર સલુન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યોરિટી, પ્લંબર, લુહાર, ઈલેક્ટ્રિશિયન, ઉપરાંત હોટેલ અને રેસ્ટોરંટમાં કામ કરનારાઓને રસી આપવાનું નક્કી કરાયું છે.

આ તમામ વ્યવસાયકારોને રસી લઈ લેવા અપીલ કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેમણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. દસ દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો તે રજુ કરવાનો રહેશે. એટલુ જ નહી જેણે રસી લઈ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટિફિકેટ દેખાવડુ પડશે.

આ પહેલા સુરત શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મહાનગરપાલિકાએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે. વેક્સિનના બે ડોઝ કે કોરોના થઈ ચૂક્યો હશે તેવા વેપારીઓને પાલિકા ગ્રીન કાર્ડ આપશે. તો જે દુકાનદારોએ હજુ સુધી વેક્સીન લીધી નથી કે જેને કોરોના થયો નથી તેવા દુકાનદારોને વ્હાઈટ કાર્ડ આપવામાં આવશે. આ તમામ દુકાનદારોએ દર અઠવાડિયે કોરોનાનો ટેસ્ટ કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને નેગેટિવ હશે તો જ દુકાન ખોલી શકશે. બીજી બાજુ જેની પાસે ગ્રીન કાર્ડ હશે તેવા વેપારી કે દુકાનદારોને ચેકિંગ અને પૂછપરછથી રાહત મળશે.

છેલ્લા બે દિવસમાં મનપાએ વિવિધ ઝોનમાં બે હજારથી વધુ ગ્રીન કાર્ડ આપ્યા છે. સમગ્ર દેશમાં આવી રીતે વ્હાઈટ કાર્ડ અને ગ્રીનકાર્ડનો કોન્સેપ્ટ શરૂ કરનાર સુરત મનપા પ્રથમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
રાતના અંધારામાં આ દેશના બોર્ડર એરિયામાં પાકિસ્તાનની એર સ્ટ્રાઇક, સાત બાળકોના મોત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.