શોધખોળ કરો

Jamnagar : ધોળા દિવસે શિક્ષિકાની હત્યા થઈ જતાં ખળભળાટ, હત્યારાનું નામ જાણીને ચોંકી જશો?

મહા પ્રભુજી બેઠક પાસે રોડ પર જાહેરમાં નીતાબેન ડાભી નામની શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. સ્કૂલ જતા સમયે તેમના પતી દ્વારા જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પતિ પ્રફુલ્લ ડાભીએ જ કરી પત્નીની હત્યા કરી છે. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને કારણે હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને શિક્ષિકાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. 

જામનગરઃ શહેરમાં ધોળા દિવસે શિક્ષિકાની ખૂદ પતિએ જ હત્યા કરી નાંખતા ખળભળાટ મચી ગયો છે. શિક્ષિકા સ્કૂલે જઈ રહી હતી, તે સમયે રસ્તા પર જ પતિએ તેને છરીના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. ખુલ્લેઆમ શિક્ષિકાની હત્યાને પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. 

મહા પ્રભુજી બેઠક પાસે રોડ પર જાહેરમાં નીતાબેન ડાભી નામની શિક્ષિકાની હત્યા કરવામાં આવી છે. સ્કૂલ જતા સમયે તેમના પતી દ્વારા જ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પતિ પ્રફુલ્લ ડાભીએ જ કરી પત્નીની હત્યા કરી છે. અવાર નવાર પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાને કારણે હત્યા કરી છે. પોલીસે તપાસ હાથ ધરી છે અને શિક્ષિકાના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. 

મૃતક શિક્ષિકાના ભાઈએ જણાવ્યું હતું કે, તેમની બહેન અને બનેવી વચ્ચે છેલ્લા 8 વર્ષથી ઝઘડા થઈ રહ્યા હતા. લગ્ન પછી બનેવી કોઈ કામ ધંધો કરતો નહોતો અને બહેન પાસે વારંવાર પૈસા માંગતો હતો. તેમજ લોન લઇને પૈસા વેડફી નાંખતો હતો. જેને કારણે બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થતા હતા. આ બધુ સહન ન થતાં 10 દિવસથી બહેન પિયર આવી ગઈ હતી. ત્યારે આજે બનેવીએ મારી બહેનની હત્યા કરી નાંખી છે. તેમને 21 વર્ષની દીકરી છે. 

Mehsana : કોરોનામાં  મોત થયું હોવાનું કહીને પુત્રે પિતાની લાશ કરી નાંખી સગેવગે, પછી શું થયો મોટો ધડાકો? જાણીને લાગી જશે આંચકો

મહેસાણાઃ  કડીના કણઝરી ગામે પુત્રોએ  પિતાની હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે.  અમદાવાદમાં મકાન ખરીદવા નાણાંના ઝગડામાં બે પુત્રોએ પિતાની હત્યા કરી નાંખી હતી. પોતાનાં પિતાનું કોરોનાથી મોત થયું હોવાનું લોકોને કહી લાશને સગેવગે કરી હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર પુત્રોની ધરપકડ કરી હતી. 

આ અંગેની વિગતો એવી છે કે, કડીના ભાલઠી ગામના હુસેનભાઈ કાસમભાઈ મલેક છેલ્લા 10 માસથી તેમની સાસરી કણજરી ખાતે બે પુત્રો સમીર અને સફિર સાથે રહે છે. પુત્ર સમીરે અમદાવાદમાં નવું મકાન બૂક કરાવ્યું હોવાથી પિતાને ભાલઠીવાળું મકાન વેચી દેવા કહ્યું હતું. આ બાબતે 10 દિવસથી પિતા-પુત્ર વચ્ચે તકરાર ચાલતી હતી. ગત 29 મેએ રાત્રે હુસેનભાઈએ કડીમાં રહેતા નાનાભાઈ સાબીરને ફોન કર્યો હતો. તેમજ પુત્ર સમીર ભાલઠીનું મકાન વેચવાનું કહે છે તેમ કહી પુત્રને ન વેચવા સમજાવવા કહ્યું હતું. 


દરમીયાન, ગત 2 જૂને રાત્રે 2 વાગે સમીરે તેના કાકા સબીરભાઈને ફોન કરી તેના પપ્પા હુસેનભાઈનું કોરોનામાં નિધન થયું હોવાનું ઝણાવ્યું હતું. આથી સાબિરભાઈ અને અન્ય પરિવારના સભ્યો બીજા દિવસે કણજરી આવ્યા હતા. તેમને સમીર પર શંકા જતાં હુસેનભાઈની કોરોના રિપોર્ટની ફાઇલ માંગી અને ક્યાં દફનાવ્યા તેની પહોંચ માંગી હતી. આથી ભત્રીજા સમીરે ફાઇલ મિત્ર વિશાલ પાસે હોવાનું જણાવ્યું હતું. સબીરભાઈને શંકા જતાં વધુ પૂછતાં તેણે રિપોર્ટ અને ફાઇલ માટે કાલે આવજો. બીજી તરફ સમીરે બેસણું અને વિધિ પતાવી દીધી હતી. 

બીજા દિવસે સમીરે કાકા સબીરભાઈ અને કુટુંબીઓને પંથોડા ફાઇલ પડી હોવાનું જણાવી ત્યાં લઈ ગયો હતો. જોકે, સબીરભાઈએ કડકાઇથી પૂછપરછ કરતાં તેણે સાચી હકિકત જણાવી દીધી હતી. બંને ભાઈઓએ પિતા હુસેનભાઈને મારી નાખ્યાનું કબૂલ્યું હતું. તેમણે કહ્યું કે, અમે નવું મકાન અમદાવાદમાં રાખેલું છે અને તેના પૈસા ભરવાના હતા અને પિતા આપતા નહોતા. ભાલઠીનું મકાન વેચવા કહ્યું પણ માનતા ન હતા. 31 મેની રાત્રે પિતા આંગણામાં સૂતા હતા ત્યારે માથામાં ઊંધું ધારિયું મારી ગળું દબાવી મારી નાખ્યા હતા, તેમજ લાશ રાત્રે જ બાઇક ઉપર લઇ થોળથી સેડફા ગામથી રડાર જવાના રસ્તે જેસીબીથી ખોદેલા ખાડામાં દાટી દીધી હતી. 

આમ, બંને ભાઈઓએ હત્યા કરી હોવાનું કબૂલતા સાબીરભાઇએ બાવલુ પોલીસને જાણ કરતાં રવિવારે બાવલુ પીએસઆઈ એ.એન. દેસાઈએ ઘટના સ્થળે જઇ લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલી આપી હતી. તેમજ સમીર હુસેનભાઈ મલેક અને સફિર હુસેનભાઈ મલેકની હત્યાના ગુનામાં ધરપકડ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget