શોધખોળ કરો

'સુરજ બીજી દિશામાંથી ઉગશે, પણ ગોપાલ ઇટાલિયા ભાજપમાં નહીં જાય'; કેજરીવાલે વિસાવદરમાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Gopal Italia BJP controversy: AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય બનવા પર એફિડેવિટ પર કામો કરી આપવાનો સંકલ્પ જાહેર કર્યો, કેજરીવાલે કોંગ્રેસને મત બગાડવા સમાન ગણાવી.

Kejriwal on Gopal Italia: ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિસાવદરના કાલસારી ખાતે પક્ષના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. સભાની શરૂઆતમાં કેજરીવાલે તાજેતરની અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 2 મિનિટનું મૌન રખાવ્યું હતું. ત્યારબાદ તેમણે ભાજપ પર ધારાસભ્યોની ખરીદી કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને ગોપાલ ઇટાલિયાને 'ટાઈગર' ગણાવીને તે ક્યારેય પક્ષ નહીં છોડે તેવી ગેરંટી આપી હતી.

ભાજપ પર ધારાસભ્યો ચોરવાનો આરોપ

કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "હું દિલ્હીથી વિસાવદરના લોકોની મદદ કરવા આવ્યો છું. ગત વખતે વિસાવદરની જનતાએ જેમને મત આપીને જીતાડ્યા હતા, એ ધારાસભ્યને ભાજપે ચોરી લીધા. ભાજપ ખુલ્લેઆમ કહે છે કે તમે ગમે તેને વોટ આપો, સરકાર તો અમે જ બનાવીશું કારણ કે અમે ધારાસભ્યોને ખરીદી લઈશું."

તેમણે ઉમેર્યું, "આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના સૌથી કટ્ટર, ઇમાનદાર અને ટાઈગર જેવા નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. હું તમને વચન આપું છું, ભલે સુરજ બીજી દિશામાંથી ઉગી જાય, પણ ગોપાલ ઇટાલિયા ક્યારેય ભાજપમાં નહીં જાય. પોલીસની સારી એવી કમાણીવાળી નોકરી છોડીને સમાજ સેવા અને ખેડૂતોના હિત માટે કામ કરવા નીકળેલા આવા નીડર અને દેશભક્ત માણસ પર ભરોસો રાખજો."

કોંગ્રેસ મત બગાડવા બરાબર

કેજરીવાલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, "આજે કોંગ્રેસ ક્યાંય સ્પર્ધામાં જ નથી. તેથી કોંગ્રેસને મત આપવો એ તમારો મત ખરાબ કરવા બરાબર છે. અમે તમારા મતનું મૂલ્ય સમજીએ છીએ, એટલે જ મત માંગવા આવ્યા છીએ. જેમ લગ્નમાં આમંત્રણ વગર નથી જતા, તેમ જે પક્ષ મત માંગવા ન આવે તેને મત ન આપતા." તેમણે લોકોને સવારમાં વહેલા ઉઠીને મતદાન કરવા અપીલ કરી જેથી ફરજી મતદાન રોકી શકાય.

ગોપાલ ઇટાલિયાનો 'એફિડેવિટ સંકલ્પ'

આ જનસભામાં ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક અનોખો સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. તેમણે કહ્યું, "ભાજપના નેતાઓ લોકોને ખરીદવા નીકળ્યા છે, પણ હું આજે મારો સંકલ્પ જાહેર કરવા આવ્યો છું. જો હું ધારાસભ્ય બનીશ તો કયા કામો કરીશ, તે તમામ બાબતોનું એફિડેવિટ કરીને લાવ્યો છું, જે હું તમને બધાને મોકલી આપીશ."

ઇટાલિયા દ્વારા જાહેર કરાયેલા મુખ્ય સંકલ્પો:

  • ખેડૂત અને જમીન: ઇકો ઝોન આ વિસ્તારમાં લાગુ નહીં થવા દઉં, ભલે જીવ આપવો પડે. ખેડૂતોની જમીન માપણીના અન્યાય સામે વિધાનસભા સુધી લડીશ અને સૌની યોજનાનું પાણી દરેક ખેતરે પહોંચાડીશ.
  • ભ્રષ્ટાચાર મુક્તિ: ટેકાના ભાવે ખરીદી અને સહકારી મંડળીઓમાં થતો ભ્રષ્ટાચાર માથે ઉભા રહીને અટકાવીશ. રોડ, રસ્તા, નાળાના કામોમાં થતો ભ્રષ્ટાચાર બંધ કરાવીશ અને મારી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી 10 ટકા તો શું, એક રૂપિયો પણ કમિશન નહીં લઉં.
  • જનસુવિધા: ધારાસભ્ય તરીકે 3 કાર્યાલય ખોલીશ, જ્યાં નિષ્ણાંત વકીલ બેસાડીશ અને લોકોના નાનામાં નાના સરકારી કામ મફતમાં કરાવી આપીશ. ગરીબોને 100 વારના પ્લોટ અને જરૂરિયાતમંદોને BPL કાર્ડ અપાવીશ.
  • ન્યાય અને રોજગાર: વન વિભાગ અને PGVCL દ્વારા નિર્દોષ ખેડૂતો પર થયેલા ખોટા કેસમાં વકીલ તરીકે મફત મદદ કરીશ. યુવાનોને સરકારી ભરતી માટે માર્ગદર્શન મળી રહે તે માટે લાઈબ્રેરી ખોલીશ અને મહિલાઓને ઘરે બેઠા રોજગારી મળે તે માટે ટ્રસ્ટોના સહયોગથી કૌશલ્ય વિકાસના વર્ગો શરૂ કરાવીશ.

પોતાના સંબોધનના અંતે ગોપાલ ઇટાલિયાએ ભાવુક થઈને કહ્યું, "મારો વિજય થાય કે પરાજય, હું વિસાવદર છોડીને ક્યાંય જવાનો નથી. હું અહીં જ રહીશ અને મારા છોકરાઓ પણ તમારી વચ્ચે રહીને સાવજ જેવા થશે, એ મારો સંકલ્પ છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-વિકસીત ભારત સંકલ્પ માટે ગુજરાત જ લીડ લેશે
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
Embed widget