શોધખોળ કરો

કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ, સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, AAP અને કોંગ્રેસની અલગ-અલગ માંગ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ શરૂ થઈ હતી. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, આપ અને કોંગ્રેસે અલગ-અલગ માંગ કરી હતી

કમોસમી વરસાદથી થયેલા નુકસાન પર રાજનીતિ શરૂ થઈ હતી. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘ, આપ અને કોંગ્રેસે અલગ-અલગ માંગ કરી હતી. સહાય પેકેજ મુદ્દે કિસાન સંઘની 18થી 28 હજાર હેકટરદીઠ સહાયની માંગ કરી રહ્યા છે. તો ગોપાલ ઈટાલિયાએ હેકટર દીઠ 50 હજારની સહાયની માંગ કરી હતી. ઈટાલિયાએ દાવો કર્યો હતો કે 50 હજારની સહાય ચૂકવે તો ચાલીને સરકારનો આભાર માનીશ. કોંગ્રેસના નેતા ધાનાણીએ આટલી સહાયમાં કંઈ ન થવાનો દાવો કર્યો હતો. કોંગ્રેસના ધાનાણીનો ખેડૂતોને વીઘા દીઠ 52 હજારનો ખર્ચનો દાવો કર્યો હતો. કોંગ્રેસે વીઘા દીઠ 50 હજારથી વધુની સહાય ચૂકવવા માંગ કરી હતી.

કમોસમી વરસાદમાં ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ટ્વિટ કર્યું હતું. ધાનાણીએ લખ્યું હતું કે "જગતના તાતને જીવવા દેજો" ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞાના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ. ખરીફ 2025 ની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિઘા દીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ 18370 રૂપિયા તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31640 ગણાય છે.

વધુમાં ધાનાણીએ લખ્યું હતું કે આમ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ અંદાજીત 50010 જેટલું પાક નુકશાન થયું હોવાનો અંદાજ છે. ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી 8000 રૂપિયાની સરકારી ભીખ.

કૃષિ પાકોને નુકસાન મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કૃષિમંત્રી અને કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નુકસાની અંગે કૃષિ વિભાગ મુખ્યમંત્રીને પ્રાથમિક રિપોર્ટ સોંપશે. પ્રાથમિક રિપોર્ટના આધારે મુખ્યમંત્રી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ખેડૂતોને કરવાની સરકારી મદદ અંગે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

તે સિવાય રાજકોટ જિલ્લામાં ખેતી પાકને નુકસાન થયું છે. રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી મહદઅંશે પૂર્ણ થઈ છે. 4.30 લાખ હેક્ટરમાં નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો છે. 102 કર્મચારીની ટીમે સહાયની કામગીરી કરી હતી. સૌથી વધુ મગફળી અને કપાસના પાકને નુકસાન થયુ છે. 600થી વધુ ગામમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી. સર્વેની કામગીરી પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ખેતી પાકને નુકસાન થયું હતું તેને લઈને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ એકર દીઠ 50 હજારની સહાય આપવાની માંગ કરી હતી. ખેડૂતોએ કહ્યું કે AAP કે કૉંગ્રેસ સહાય મુદ્દે રાજનીતિ ન કરે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget