શોધખોળ કરો

Lok Sabha: સાબરકાંઠામાં ભાજપમાં ભડકો, વિરોધ કરવા જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરોનો જમાવડો, આક્રોશની તસવીર

સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે

Lok Sabha Election 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહ ઝાલાએ એક પત્ર લખીને ઉમેદવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો, આ પછી બન્ને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે. અહીં હાલમાં શોભના બારૈયાની ઉમેદવારીનો જોરદાર વિરોધ નોંધવવામાં આવ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, શોભના બારૈયા ભાજપની કાર્યકર નથી, તેમને પક્ષ માટે કામ નથી કર્યું.

આજે વહેલી સવારથી જ ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. શોભના બારૈયાની ઉમેદવારીને લઇને સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાજપ કાર્યકર્તાઓમાં આક્રોશ ફેલાયો છે. હિંમતનગરના જિલ્લા ભાજપ કાર્યાલય પર મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયાં છે, ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ રજૂઆત કરવા અહીં પહોંચ્યા હતા. આ પછી જિલ્લા પ્રમુખે તમામની રજૂઆત સાંભળવા બેઠક પણ કરી હતી. ખાસ વાત છે કે શોભના બારૈયાની ઉમેદવારી બાદ સોશલ મીડિયાની પૉસ્ટ અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં શોભના બારૈયાને પક્ષના કાર્યકર્તા ના હોવાનું બતાવવામાં આવ્યું હતુ. વિરોધ કરનારા કાર્યકરોનું કહેવું છે કે, અમે 25 વર્ષથી ભાજપ માટે કામ કરી રહ્યાં છીએ, અને પક્ષે મૂળ કોંગ્રેસી નેતાની પત્નીને સાબરકાંઠા બેઠક પર ટિકીટ આપી છે. ભાજપ કાર્યકરોને ભૂલી ગઇ છે.

સાબરકાંઠામાં ભાજપ ઉમેદવારને લઇને ફરીથી વિવાદ, કાર્યકર ના હોવા છતાં ટિકીટ અપાતા તા.પં.ના સભ્યએ લખ્યો પત્ર

સાબરકાંઠા બેઠક પર ભાજપે ત્રીજી યાદી યાદી દરમિયાન અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી દુધાજી ઠાકોરને ટિકીટ આપી હતી, ભીખાજીની અટકને લઇને વિવાદ થતાં ભાજપે પાંચમી યાદીમાં ઉમેદવાર બદલીને શોભનાબા બારૈયાને ટિકીટ આપી હતી. જોકે, હવે હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહે પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.

સાબરકાંઠામા ભાજપે ઉમેદવાર બદલ્યા છતાં ઉમેદવારને લઈને જિલ્લામાં વિરોધ યથાવત છે. ભાજપે બીજીવાર ઉમેદવાર જાહેર કર્યા છતા વિરોધ યથાવત છે. હાલમાં હિંમતનગર તા.પં.ના સભ્ય જિતેન્દ્રસિંહએ એક પત્ર લખ્યો છે, જેમાં તેમને નવા ઉમેદવારને લઇને વિરોધ નોંધાવ્યો છે. તેઓનું કહેવું છે કે, ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભાજપ કાર્યકર ના હોવા છતા ટિકિટ અપાઇ છે. કોંગ્રેસમાંથી આવેલા મહેન્દ્રસિંહ બારૈયાના પત્નીને ટિકિટ આપતા આ આખો વિરોધ શરૂ થયો છે.

જિતેન્દ્રસિંહના પત્ર બાદ અત્યારે બેઠક પર કોઇ ભાજપ કાર્યકર્તાને જ ટિકિટ આપવાની માગ ઉઠી છે. જિતેન્દ્રસિંહનું કહેવું છે કે, કાર્યકર્તાના સ્થાને કાર્યકર્તાની પત્નીને ટિકિટ કેમ કેમ અપાઇ, શોભનાબેન નહીં, તેમના પતિ પક્ષના કાર્યકર છે. મહિલા કાર્યકર્તાને ટિકિટ આપવાની માંગ છે. કૌશલ્યાકુંવરબા પસંદ ના હોય તો અન્યને ટિકીટ આપો, શોભનાબેને પક્ષ માટે કોઈ કામ નથી કર્યા. 

સાબરકાંઠામાં શરૂ થયેલા પત્રિકા વૉર પર શું બોલ્યા ભીખાજી ઠાકોર - 
ભાજપના અગાઉના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પત્રિકા વૉર બાદ પોતાની સ્પષ્ટતા કરી છે, તેમને કહ્યું કે, હું ભાજપમાં જ છું, ઉમેદવાર બદલાતા હાલમાં બેઠક પર કાર્યકર્તાઓમાં રોષ છે. હું કાર્યકર્તાઓને સમજાવીશ. કાર્યકર્તાઓનો રોષ શાંત કરવાનો પ્રયાસ કરીશ. શોભનાબેનને ઉમેદવાર જાહેર કરાતા કાર્યકરો અસમંજસમાં છે. ભીખાજી ઠાકોરે દાવો કર્યો છે કે મારા વિરોધીઓએ આ પૉસ્ટ મુકી છે. 

4 જુનના રોજ પરિણામ આવશે

  • તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
  • તબક્કો 3: 7 મે 2024 મતદાન
  • તબક્કો 4: 13 મે 2024 મતદાન
  • તબક્કો 5: 20 મે 2024 મતદાન
  • તબક્કો 6: 25 મે 2024 મતદાન
  • તબક્કો 7: 1 જૂન 2024 મતદાન

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થશે

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન યોજાશે. ગુજરાત સહિત તમામની મતગણતરી 4 જૂનના રોજ થશે. 

લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget