શોધખોળ કરો

Mahisagar: મહીસાગરમાં સરકારી શાળામાં બળાત્કારી આસારામની કરાઇ પૂજા, સરકારે મંગાવ્યો રિપોર્ટ

મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતીનો પર્દાફાશ થયા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે

મહિસાગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં આસારામની આરતીનો પર્દાફાશ થયા બાદ હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સરકારી શાળામાં બળાત્કારી આસારામની આરતી મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે મૌન તોડ્યું હતું. શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું કે આસારામની આરતીની ઘટના ખૂબ જ ખોટી છે. કોર્ટ દ્વારા આસારામને સજા સંભળાવવામાં આવી છે. સરસ્વતી માતા પાસે આસારામનો ફોટો ન મૂકી શકાય. અમે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જે પણ દોષિત હશે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા કલેકટરને આ મુદ્દે રિપોર્ટ ફાઈલ કરવાની સૂચના અપાયાનો દાવો કરાયો છે.

મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના જામાપગીના મુવાડા પ્રાથમિક શાળામાં ગઈકાલે માતૃ પિતૃ પૂજન કાર્યક્રમમાં દુષ્કર્મના દોષીત આસારામની પૂજા અને આરતી કરાતા વિવાદ પેદા થયો હતો. શિક્ષકોની હાજરીમાં આસારામના પોસ્ટરની આરતી ઉતારી પૂજા કરાઇ હતી. જ્યારે કડાણા તાલુકાની શાળામાં આજ દિવસે આસારામની પૂજા કરવામાં આવી હતી. આ અંગે જ્યારે આચાર્યને સવાલ કરાયા તો તેમણે આખરે ભૂલ સ્વીકારી હતી.

આ અંગે જામાપગીના મુવાડા પ્રાથમિક શાળાના આચાર્ય સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો એ અમારી ભૂલ છે. દુષ્કર્મના દોષીતની પૂજા ન જ થવી જોઈએ અને આગામી સમયમાં આવી ભૂલ ફરીથી નહીં થાય.

આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરત માલીવાડે જણાવ્યું હતું કે આજે સમગ્ર અહેવાલ પ્રકાશિત થયો છે તેને લઈ  હાલ તપાસ કરવામાં આવી રહી છે. હું શાળામાં તપાસ કરી નિવેદન લઈ અને બંધ કવરમાં અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને સોંપીશ અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે મહીસાગર જિલ્લા અન્ય એક કડાણા તાલુકાની શાળામાં પણ દુષ્કર્મના દોષીત આસારામની પૂજા થઈ હોય તેવા ફોટો સામે આવ્યા હતા.

Mahashivratri: મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી

Mahashivratri: આજે પવિત્ર મહાશિવરાત્રીના પર્વ નિમિતે સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો પૂજા અર્ચના કરવા માટે આવી રહ્યા છે. સામાન્ય લોકોની લઈને નેતા અને ઉદ્યોગપતિઓ દાદાના દર્શને આવી રહ્યા છે. સવારથી જ મંદિરમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી દાદાના દર્શને આવ્યા હતા, તો બપોર  રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. શિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજન અર્ચન માટે મુકેશ અંબાણી પહોંચ્યા છે. તેમની સાથે તેમનો પુત્ર આકાશ પણ દાદાના દર્શને આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ કોઈ પહેલીવાર નથી જ્યારે અંબાણી પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હોય. આ પહેલા પણ સમયે સમયે અંબાણી પરિવારના સભ્યો દાદાના દર્શને આવતા રહે છે.

મહાશિવરાત્રી પર સોમનાથ દાદાના દર્શને પહોંચેલા વિજય રુપાણીનું મોટું નિવેદન

 મહાશિવરાત્રીના પાવન પર્વે દીવસે ભાવિકભક્તોની ભીડ શિવાલયોમાં ઉમટી છે.  હર-હર મહાદેવના નાદથી વાતાવરણ શિવમય બન્યું છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ 400 સીટ જીતશે તેવું નિવેદન પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
હોળીની મજા બગાડશે ગરમી! રાજ્યમાં આગામી 5 દિવસ ભુક્કા કાઢે એવી લૂ લાગશે
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
છત્તીસગઢમાં ED ની ટીમ પર હુમલો, રેડ કર્યા બાદ ઘરથી નિકળતા સમયે કરાયો એટેક 
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પાછળ આ ખેલાડી હતો ટીમ ઇન્ડિયાનો 'સાયલન્ટ હીરો', રોહિત શર્માએ જણાવ્યું નામ
Embed widget