શોધખોળ કરો
ભારતનો આ પાડોશી દેશ ફરી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાના સ્વાગતમાં ચિક્કાર ભીડ જોવા મળી....
નેપાળમાં ફરી હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી સ્થાપિત કરવાની માંગણીએ જોર પકડ્યું છે. તાજેતરમાં, પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના કાઠમંડુ પરત ફર્યા બાદ એરપોર્ટ પર હજારો લોકોનું એકઠું થવું આ વાતનો પુરાવો છે.
એરપોર્ટ પર પૂર્વ રાજાના સમર્થનમાં 10,000 થી વધુ લોકોની ભીડ ઉમટી પડી હતી અને રાજાશાહી પાછી લાવવાના નારા લગાવ્યા હતા.
1/6

2008 સુધી નેપાળ વિશ્વનો એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર હતો, પરંતુ માઓવાદી ચળવળ અને ડાબેરી ક્રાંતિ પછી દેશ ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર બન્યો હતો. જો કે, હવે નેપાળમાં રાજકીય પરિસ્થિતિમાં ફરી એકવાર પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે. રાષ્ટ્રીય પ્રજાતાંત્રિક પાર્ટી (RPP) જેવી રાજકીય પાર્ટીઓ હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહીના મુદ્દાને ફરીથી ઉઠાવી રહી છે.
2/6

RPPના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રવિન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે, નેપાળની વર્તમાન રાજકીય વ્યવસ્થાથી લોકો નારાજ છે અને તેઓ રાજાશાહીના જૂના દિવસોને યાદ કરી રહ્યા છે. નેપાળી જનતા વર્તમાન સરકારથી મોહભંગ થઈ ચૂકી છે અને હવે રાજાશાહી અને હિન્દુ રાષ્ટ્ર તરફ ઝુકાવ વધી રહ્યો છે.
Published at : 10 Mar 2025 07:15 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
ગેજેટ




















