શોધખોળ કરો

Mass CL : 'જૂની પેન્શન યોજના લાગુ કરો', આગેવાનોના સમાધાનથી શિક્ષકો નારાજ, ગાંધીનગરમાં ઉમટ્યા કર્મચારીઓ

ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે.

ગાંધીનગરઃ ગુજરાતના અનેક શિક્ષકો આજે માસ સીએલ પર ઉતરી ગયા છે. આગેવાનોએ કરેલા સમાધાનથી શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભીખાભાઈ અને દિગ્વિજસિંહે કરેલા સમાધાનથી શિક્ષકો નારાજ છે. સોશિયલ મીડિયામાં શિક્ષકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. સરકાર સાથેની મંત્રણા પછી પણ જૂની પેન્શન યોજનાને લઈને વિરોધ યથાવત છે. ગાંધીનગર જૂના સચિવાલય પર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના કર્મચારીઓએ નારા લગાવ્યા હતા. 

અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મહેસાણા જિલ્લાની 985 શાળાના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે.  6700 પૈકીના મોટા ભાગના શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. મોરબી જિલ્લાના 3200થી વધુ શિક્ષકો માસ સીએલ પર ઉતર્યા છે. 

બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ ના શિક્ષકો માસ cl ઉપર છે. જિલ્લાની 2453 શાળાઓમાંથી ૯૦ ટકા શાળાઓને લાગ્યા ખંભાતી તાળા. વિદ્યાસહાયક શિક્ષકો, એક વર્ષમાં નિવૃત્ત થતા હોય તેવા શિક્ષકો અને પ્રવાસીઓ શિક્ષકો નથી માસ સીએલ ઉપર. જૂની પેન્શન યોજના ની મુખ્ય માંગ ની અમલવારી ન થતા શિક્ષક આલમમાં રોષ. ગઈકાલથી જ શિક્ષકોએ સરકારના વિવિધ મંડળોના નિર્ણયથી નારાજ થઈ આજે ઉતર્યા માસ સીએલ ઉપર. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા, લાખણી,દિયોદર,વાવ,થરાદ ભાભર,કાંકરેજ,ડીસા,પાલનપુર સહિતની શાળાઓને લાગ્યા તાળા. 


પંચમહાલ  જિલ્લાની મોટા ભાગની શાળાના શિક્ષકો માસ CL ઉપર . સરકારના નિર્ણયથી અસંતુષ્ટ શિક્ષકોએ માસ CL નો કાર્યક્રમ યથાવત રાખ્યો . જિલ્લાની 50 ટકા ઉપરાંત  શાળામાં શિક્ષણ કાર્ય બંધ. જૂની પેન્સન યોજના મુખ્ય માગ જેની અમલવારી ન થતા શિક્ષકો દ્વારા માસ CL ઉપર ઉતરવાનો લેવાયો નિર્ણય . ગઈકાલના  સરકાર અને વિવિધ મંડળોના નિર્ણયથી શિક્ષકો માં જૉવા મળી છે નારાજગી.

જામનગર શહેર અને જીલ્લાના શિક્ષકો માસ સી.એલ પર નથી. જામનગર જીલ્લા પંચાયતના જુજ કર્મચારીઓ માસ સી.એલ.પર છે.જામનગર જીલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળના ૭૦ અને મહેસુલી કર્મચારી મંડળના ૨૬ કર્મચારીઓ માસ સી.એલ પર છે. 

રાજ્યના સરકારી કર્મચારીના સંગઠનમાં બે ફાંટા પડી ગયા છે. મંડળના અન્ય હોદ્દેદારોએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે. ધી ગુજરાત સચિવાલય ફેડરેશન અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે માસ સીએલ પર ઉતરશે. ગઈ કાલે સરકાર સાથે સમાધાનની જાહેરાત પછી સંગઠનમાં બે ફાંટા પડ્યા છે અને માસ સીએલની જાહેરાત કરવામાં આવી છે. જેની અસર આજે જોવા મળી રહી છે. અનેક જગ્યાએ શિક્ષકો માસ સીએલ પર ઉતરી ગયા છે. 

સમાધાનની બેઠકમાં ઉપસ્થિત ભીખાભાઈ પટેલનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે. જ્યારે સમાધાનની બેઠકમાં ઉપસ્થિત દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉઠાવી રહ્યા નથી. બીજી તરફ કોઈ બે ફાંટ ન પડ્યા હોવાનો ટીમ ઓપીએસના કન્વીનરે દાવો કર્યો છે. સંગઠનના હોદ્દેદારોએ જૂની પેન્શન યોજના સ્વીકાર્યા વગર સરકાર સામે સોદો કર્યો હોવાનો આક્ષેપ NOPRUFના પ્રમુખે કર્યો છે. તેમણે કહ્યું કે, સરકાર ફરીથી વિચારણા કરે તેવી માંગ છે. કર્મચારીઓ જૂની પેન્શન યોજના માટે જ રસ્તા પર ઉતર્યા હતા. 

ટીમ ઓપીએસ દ્વારા આજનો માસ સીએલ નો કાર્યક્રમ યથાવત રહેશે. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જુની પેંશન યોજના નથી મળી એવા કર્મચારીઓ જોડાશે. ગઈ કાલે સંયુક્ત મોરચાની જાહેરાત બાદ વિરોધ થયો હતો. સરકારની ભાગલા પાડો નિતિ વખોડી આજે માસ સીએલ રાખવાનો નિર્ણય. સાબરકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ જારી રાખ્યો. આજે જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. એક દિવસ માટે જિલ્લાના શિક્ષકો માસ સીએલ મુકશે.

જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે કહ્યુ સરકાર સામેની હડતાળ જારી રહેશે. રાજ્ય સરકાર દ્વારા પેંશન યોજનાની જાહેરાતમાં વિસંગતા હોવાને લઇ શિક્ષકોની હડતાલ ચાલુ રહેશે. સાબરકાંઠા જિલ્લાના 6018 શિક્ષકો માસ સીએલ પર. જિલ્લામાં કુલ 6258 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. 157 શિક્ષકો ફિક્સ પગાર પર છે તો 66 શિક્ષકો લાંબી રજા પર.

અમદાવાદ જિલ્લાના 5000 જેટલા શિક્ષકો માસ સીએલ યથાવત્. રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓ અને જૂની પેન્શન યોજના નથી મળી તેને લઈને આજે માસ સી એલ પર. જો સરકાર તેમની જૂની પેન્શન યોજના નહીં સ્વીકારે તો વધુ આક્રમક રીતે કરશે વિરોધ. આજે અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની શાળાઓને આપવામાં આવી છે રજા.

તાપી જિલ્લાના પ્રાથમિક અને ઉચ્ચતર વિભાગના શિક્ષકો માસ સી એલ પર ઉતર્યા. તાપીમાં આજનો માસ સીએલનો કાર્યક્રમ યથાવત રાખ્યો. વિવિધ માંગોને લઈ માસ સી એલ પર ઉતર્યા શિક્ષકો. પંચમહાલ  પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા આવતીકાલે "માસ સી એલ "નું એલાન યથાવત રાખવા એલાન.   જુની પેંશન યોજના અંગે ની સરકાર ની જાહેરાત સંઘ ને મંજુર ના હોઈ આંદોલન મોફૂંક રાખવા ની જાહેરાત પછી ખેંચાઈ.  રાજ્ય કક્ષાએથી  કાલના માસ સીએલના કાર્યક્રમની મોકુફ રાખવા સાથે પંચમહાલ મહાસંઘ  સંમત ના હોઈ આવતીકાલે માસ સીએલ પર ઉતરશે પંચમહાલના શિક્ષકો.

દાહોદ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના શિક્ષકોએ માસ સીએલ પર જવાનો કાર્યક્રમ  યથાવત. જિલ્લાના શિક્ષકો ફરજ નહી બજાવે. આજે એક દિવસ માટે શિક્ષકો માસ સીએલ પર અને ત્યારબાદ આગામી કાર્યકર્મ નક્કી કરશે. સંઘના પ્રમુખે માસ સી એલ ને લઈ આપી માહિતી.  શિક્ષકોની હડતાલ યથાવત.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
Advertisement

વિડિઓઝ

Morbi News : મોરબીમાં ખાનગી ગરબા ક્લાસિસનો પાટીદાર સમાજે કર્યો વિરોધ
Dholka Child Trafficking Case Update : અમદાવાદમાં ધોળકામાં બાળ તસ્કરીના કેસમાં ઘટસ્ફોટ
AAJ No Muddo : આજનો મુદ્દો : સુરક્ષિત અમદાવાદમાં આવા પોસ્ટર કેમ?
Mehsana news: બહુચરાજી મંદીર અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, આ ખર્ચ જાય છે ક્યાં તે સૌથી મોટો સવાલ?
Ahmedabad Police: અમદાવાદમાં ટ્રાફિક અવેરનેસ પોસ્ટરના વિવાદ પર પોલીસે કરી સ્પષ્ટતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા, નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષિત ઠેરવ્યો
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
Rain:ઓગસ્ટમાં રાજ્યમાં મનમુકી વરસશે મેઘરાજા કે ખેડૂતને કરશે નિરાશ?જાણો IMDનીએ શું કરી આગાહી
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
PM Modi in Varanasi: વારાણસીમાં પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા, PM મોદીએ કહી આ મહત્વની વાત
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
રાજકોટ એઈમ્સની ભરતીમાં કૌભાંડ? દિવ્યાંગને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવાયાનો આરોપ
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
શું ખરેખર ભારતે ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર રશિયા પાસેથી તેલ લેવાનું કર્યું બંધ? જાણો શું છે હકીકત
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે  જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
PM Kisan Yojana: આજે ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2 હજાર રૂપિયા? જાણો અન્ય મહત્વની ડિટેલ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
Health Alert: સાવધાન, સવારે ઉઠ્યાં બાદ આ એક ભૂલ કરશો તો વધી જશે કેન્સરનું જોખમ
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કશ્મીરના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન,આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Embed widget