શોધખોળ કરો

વીજ ચોરી પકડવા આ શહેરમાં અચાનક 61 ટીમો ઉતરી, પોલીસના કાફલા સાથેની ગાડીઓથી લોકોમાં ફફડાટ

રાજ્યમાં સતત વધી રહેલી વીજ ચોરીને રોકવા માટે હવે વીજ કંપનીઓ એક્શન મૉડમાં આવી ગઇ છે. આજે પંચમહાલમાં MGVCLની ટીમે એક મેગા ડ્રાઇવ શરૂ કરી હતી,

MGVCL Checking: રાજ્યમાં સતત વધી રહેલી વીજ ચોરીને રોકવા માટે હવે વીજ કંપનીઓ એક્શન મૉડમાં આવી ગઇ છે. આજે પંચમહાલમાં MGVCLની ટીમે એક મેગા ડ્રાઇવ શરૂ કરી હતી, જેમાં 61 ટીમોએ શહેરમાં તાબડતોડ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી પ્રમાણે, આજે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં MGVCLની ટીમે અચાનક દરોડા પાડવાના શરૂ કરી દીધા હતા, શહેરમાં વધી રહેલી વીજ ચોરી પકડવા માટે આજે અચાનક MGVCLની 61 ટીમોએ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી, આ ટીમે શહેરમાં સ્ટેશન રૉડ, પટેલ વાડા, ગોન્દ્રા, જહુરપુરા, રેહમત નગર કેપ્સ્યૂલ સોસાયટી સહિતના વિસ્તારોમાં તાબડતોડ વીજ ચેકીગ હાધ ધર્યુ હતુ. ખાસ વાત છે કે MGVCLની મેગા ચેકિંગ ડ્રાઇવમાં નડિયાદ, આણંદ, વડોદરા સર્કલ MGVCL વિજિલન્સ ટીમ સહિત સ્થાનિક પોલીસ ટીમ બંદોબસ્ત સાથે રહી હતી. 

MGVCLના કર્મચારી પર હુમલાની ઘટના

આણંદમાં રોયલ સિટી રોડ પર મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારી પર હુમલાની ઘટના બની છે.  MGVCLના કર્મચારી બાકી લાઈટબીલના નાણાં નહીં ભરનાર ગ્રાહકને જાણ કરવા ગયા હતાં.  આ સમયે ગ્રાહકે ઉશ્કેરાઈને કર્મચારીને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંક્યા હતા.  રાજેશ રાઠોડ નામના કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ સમગ્ર બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

સોલર અવર્સ દરમિયાન 20 સસ્તી મળશે વીજળી, રાતે AC ચલાવવું પડશે મોંઘુ

વીજળીના વપરાશના મોરચે ગ્રાહકોને આગામી દિવસોમાં મોટી રાહત મળવાની છે. આગામી દિવસોમાં તમારા વીજળીના બિલમાં ઘટાડો થઈ શકે છે. સૌર કલાકો દરમિયાન સપ્લાય કરવામાં આવતી વીજળી ગ્રાહકોને 10 થી 20 ટકા સસ્તા દરે ઉપલબ્ધ થશે. રાજ્ય વિદ્યુત નિયમન પંચ દિવસના 8 કલાકને સૌર કલાક માને છે. આ સમયગાળા દરમિયાન, જેને દિવસનો સમય કહેવામાં આવે છે, તમારે તે સમયગાળા દરમિયાન સપ્લાય કરવામાં આવતી વીજળી માટે સામાન્ય દરો કરતાં ઓછા પૈસા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે વર્તમાન પાવર ટેરિફ સિસ્ટમમાં બે મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ માટે સરકારે વીજળી (ગ્રાહકનો અધિકાર) નિયમો 2020માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ ફેરફાર સૌર કલાક દરમિયાન વીજળીના ભાવને લગતો છે, જેને ટાઈમ ઓફ ડે ટેરિફ સિસ્ટમ કહેવામાં આવે છે. ટાઈમ-ઓફ-ડે ટેરિફ સિસ્ટમ સૌપ્રથમ વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને લાગુ થશે જેમનો મહત્તમ વપરાશ 10 kW સુધી છે. તેમના માટે, આ નિયમ 1 એપ્રિલ, 2024 થી લાગુ થશે અને કૃષિ ઉપભોક્તા સિવાયના ગ્રાહકો માટે, આ જોગવાઈ 1 એપ્રિલ, 2025 થી લાગુ થશે. જે ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેમના માટે ટાઈમ ઓફ ડે ટેરિફ સિસ્ટમ તરત જ લાગુ કરવામાં આવશે.

ગ્રાહકો તેમની વીજળી વપરાશની પદ્ધતિઓ બદલી શકશે

સરકારના આ નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહે જણાવ્યું હતું કે ટાઈમ ઓફ ડે ટેરિફ સિસ્ટમ દેશની પાવર સિસ્ટમની સાથે ગ્રાહકોની તરફેણમાં છે. તેમણે કહ્યું કે દિવસની ટેરિફ સિસ્ટમનો સમય પીક અવર્સ, સોલર અવર્સ અને સામાન્ય કલાકો જેવી ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલો છે. આ સાથે, ગ્રાહકો ટેરિફ અનુસાર લોડનું સંચાલન કરી શકશે. સોલાર અવર્સ દરમિયાન વીજળી સસ્તી થશે. જો કે બિન-સૌર કલાકો દરમિયાન જેમ કે થર્મલ અથવા હાઇડ્રો અથવા ગેસ આધારિત પાવર સૌર ઊર્જા કરતાં મોંઘી હશે. આ સાથે, ગ્રાહકો તેમની વીજળી વપરાશની પદ્ધતિઓ બદલી શકે છે.

સ્માર્ટ મીટરના નિયમો પણ સરળ કરવામાં આવ્યા

સ્માર્ટ મીટર માટેના નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે. ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે, મહત્તમ લોડ કરતા વધુ વીજ લોડ વધારવા માટે હાલના દંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મીટરની જોગવાઈ પરના સુધારેલા નિયમો મુજબ, સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી, જો સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા પહેલાના સમયગાળા માટે મહત્તમ લોડ રેકોર્ડ કરે તો ગ્રાહકને કોઈ દંડ ચૂકવવો પડશે નહીં. લોડ રિવિઝન માટેના નિયમો પણ સરળ કરવામાં આવ્યા છે. એક નાણાકીય વર્ષમાં લોડ પરિબળ ત્રણ વખત નિયત લોડ કરતાં વધી જાય પછી જ લોડમાં વધારો થશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: રાજ્યના 6 જિલ્લાઓમાં આજે વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી
Morbi News: જાણીતા લોક સાહિત્યકાર હકાભા ગઢવીને નડ્યો અકસ્માત,સાપને બચાવવા જતા કાર પાણીમાં ખાબકી

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Assam Flood: અસમમાં પૂરનો કહેર: 68 લોકોના મોત, 5 લાખથી વધુ લોકો પ્રભાવિત, NDRF નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
Embed widget