શોધખોળ કરો

Morbi: જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે આવશે અંત, આંદોલન પાર્ટ 3ની થશે શરુઆત

મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોરબીના જેતપરમાં ખેડૂતોનો 19 દિવસનો ઉપવાસ આજે સમાપ્ત.
  • ખેડૂતોનું સ્વાસ્થ્ય બગડતા આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય.
  • આંદોલનનો ઉપવાસ સમાપ્ત, પણ
  • જેતપર છાવણી સત્યાગ્રહ બનશે, ગુજરાતના ખેડૂતો જોડાશે.

મોરબીના જેતપર ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને લડત ચલાવી રહેલા અન્નદાતાઓના આંદોલનમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા 19 દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે રાત્રે 9 વાગ્યે સત્તાવાર અંત આવશે. જોકે, આ ઉપવાસનો અંત આંદોલનનો અંત નથી, પરંતુ સરકાર સામે આરપારની લડાઈના એક નવા પ્રકરણની શરૂઆત છે. આજે રાત્રે ઉપવાસી ખેડૂતોને પારણા કરાવીને આંદોલનના ત્રીજા તબક્કા એટલે કે 'આંદોલન પાર્ટ-3'નું રણશિંગું ફૂંકવામાં આવશે.

જેતપર ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે અંત આવશે. ઉપવાસ પર ઉતરેલા ખેડૂતોને આજે રાત્રે પારણા કરાવાશે. પારણા સાથે જ આંદોલન પાર્ટ 3ની જાહેરાત થશે. આમરણાંત ઉપવાસ પૂર્ણ થશે પરંતું ખેડૂતોનું આંદોલન યથાવત રહેશે. જેતપરની ઉપવાસ છાવણી મંગળવારથી સત્યાગ્રહ છાવણી બનશે.

આ પણ વાંચોઃ જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

આંદોલનનું સ્વરૂપ બદલાશે

જેતપર ખાતે 19 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આમરણાંત ઉપવાસ સમેટવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ ખેડૂતો પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવાના મૂડમાં નથી. મંગળવારથી આ આંદોલન વધુ વ્યાપક અને આક્રમક સ્વરૂપ ધારણ કરશે. અત્યાર સુધી જે સ્થળ ‘ઉપવાસ છાવણી’ તરીકે ઓળખાતું હતું, તે આવતીકાલથી ‘સત્યાગ્રહ છાવણી’માં ફેરવાઈ જશે અને મહાત્મા ગાંધીના ચીંધ્યા માર્ગે સરકાર સામે અહિંસક લડત આગળ ધપાવવામાં આવશે.

મોડી રાત્રે ઉપવાસી નેહુલ અમૃતિયાની તબિયત લથડયા બાદ આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂત આગેવાન વૈભવભાઈ અમૃતિયાએ જાહેર કર્યા મુજબ ખેડૂત હિત, જમીન અને અધિકારોની લડાઈને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલ ઉપવાસ આંદોલનમાં મળેલા અમૂલ્ય સહકાર બાદ, હવે જેતપર ખાતે ઉપવાસના પારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પારણા કાર્યક્રમમાં એક મોટી જાહેરાત પણ થવા જઈ રહી છે. ખેડૂતોના હિત અને તેમના ભવિષ્ય માટે પારણાં કરી 'પાર્ટ-3' ની રજૂઆત બધા સમક્ષ કરવામાં આવશે. આ પાર્ટ-3 અંતર્ગત ગુજરાતના ખેડૂતોને એકઠા કરીને ભવિષ્યની નવી વ્યૂહરચનાની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ઉપવાસ પૂર્ણ થઈ રહ્યા છે, લડત યથાવત રહેશે. આ જાહેરાતને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દોડતું થયું છે. જેતપરમાં ખેડૂતોના આ આક્રમક વલણને જોતા આગામી દિવસોમાં આ સત્યાગ્રહ મોરબી સહિત સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનશે તે નક્કી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
Gujarat Rain:  9 જિલ્લામાં 44 તાલુકામાં વરસાદ,  પારડીમાં સૌથી વધુ 1.54 ઇંચ
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget