શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

વડનગરમાં ઓક્સીજન પ્લાન્ટ ફેઈલ થવાના સમાચાર ખોટા, સરકાર કરશે કાયદાકીય કાર્યવાહી: આરોગ્ય કમિશનર

વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

 

ગાંધીનગર:  વડનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ બંધ થવાના કારણે  8 લોકોના મોત થયા હોય તેવા ખોટા સમાચાર વાયરલ થયા હતા.  હવે તેને લઈ  ગુજરાતના સ્વાસ્થ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મીડિયામાં સમાચાર છે કે ઓક્સીજન પ્લાન્ટ નિષ્ફળ ગયો છે અને વડનગરમાં 8 દર્દીઓના મોત થયા છે. વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત હોય. દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સીજનની અછતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં હાલ કોરોના વાયરસની મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક છે. 

કોરોના સંક્રમણના કારણે દેશમાં હાલ સંકટની પરિસ્થિતિ છે. દરરોજ દેશમાં કોરોનાના નોંધાઈ રહેલા ત્રણ લાખથી વધુ કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લાચાર બની છે. કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ છે અને ખાલી હોય તો ત્યાં ઓક્સીજન નથી. વેન્ટિલેટરનું પણ ગંભીર સંકટ છે. દેશમાં ઓક્સીજનની અછત છે તે ખુદ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્વીકાર્યું છે. 

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દેશમાં કોરોના વાયરસને લઈ હાલ સંકટ છે. એવામાં ડૉક્ટર્સ નર્સ, સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતાઓએ આ સમયે સંવેદનશીલ થઈને લોકોની મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું ઓક્સીજનને વધારવાને લઈ સરકાર તરફથી દેશભરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ઓછો છે ક્યાંય વધારે છે. આ સ્થિતિમાં કોઈનો જીવ ન જવો જોઈએ.

નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ. તેથી થોડી તકલીફ તો રહેવાની પરંતુ લોકોના જીવ બચાવવા જરુરી છે અને અમે એ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ લોકોના જીવ બચાવવાનો છે.

નીતિન ગડકરીનું આ નિવેદન કેન્દ્ર સરકારને મુશ્કેલીમા મૂકી શકે છે. કારણ કે હજુ એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર જણાવી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમસ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Embed widget