શોધખોળ કરો

વડનગરમાં ઓક્સીજન પ્લાન્ટ ફેઈલ થવાના સમાચાર ખોટા, સરકાર કરશે કાયદાકીય કાર્યવાહી: આરોગ્ય કમિશનર

વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

 

ગાંધીનગર:  વડનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ બંધ થવાના કારણે  8 લોકોના મોત થયા હોય તેવા ખોટા સમાચાર વાયરલ થયા હતા.  હવે તેને લઈ  ગુજરાતના સ્વાસ્થ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મીડિયામાં સમાચાર છે કે ઓક્સીજન પ્લાન્ટ નિષ્ફળ ગયો છે અને વડનગરમાં 8 દર્દીઓના મોત થયા છે. વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત હોય. દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સીજનની અછતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં હાલ કોરોના વાયરસની મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક છે. 

કોરોના સંક્રમણના કારણે દેશમાં હાલ સંકટની પરિસ્થિતિ છે. દરરોજ દેશમાં કોરોનાના નોંધાઈ રહેલા ત્રણ લાખથી વધુ કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લાચાર બની છે. કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ છે અને ખાલી હોય તો ત્યાં ઓક્સીજન નથી. વેન્ટિલેટરનું પણ ગંભીર સંકટ છે. દેશમાં ઓક્સીજનની અછત છે તે ખુદ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્વીકાર્યું છે. 

કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દેશમાં કોરોના વાયરસને લઈ હાલ સંકટ છે. એવામાં ડૉક્ટર્સ નર્સ, સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતાઓએ આ સમયે સંવેદનશીલ થઈને લોકોની મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું ઓક્સીજનને વધારવાને લઈ સરકાર તરફથી દેશભરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ઓછો છે ક્યાંય વધારે છે. આ સ્થિતિમાં કોઈનો જીવ ન જવો જોઈએ.

નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ. તેથી થોડી તકલીફ તો રહેવાની પરંતુ લોકોના જીવ બચાવવા જરુરી છે અને અમે એ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ લોકોના જીવ બચાવવાનો છે.

નીતિન ગડકરીનું આ નિવેદન કેન્દ્ર સરકારને મુશ્કેલીમા મૂકી શકે છે. કારણ કે હજુ એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર જણાવી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમસ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથCM Bhupendra Patel | મુખ્યમંત્રી પટેલે રથયાત્રા પર્વ અને કચ્છી નવવર્ષની લોકોને પાઠવી શુભકામનાHun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: નગરચર્યાએ નીકળ્યા નગરનાથ, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
શું પીએમ મોદીનું જમવાનું બન્યા પછી કોઈ ચાખે છે, શું આજે પણ લાગુ છે રાજા-મહારાજની પરંપરા?
Embed widget