7 અને 8 ઓક્ટોબરે આ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી, જાણો
રાજ્યમાં આગામી 7 અને 8 ઓક્ટોબરે દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આગામી 7 અને 8 ઓક્ટોબરે દાહોદ તેમજ પંચમહાલ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. લઘુતમ તાપમાન નીચુ અને મહત્તમ તાપમાન ઊંચું હોવાથી લોકોને બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ભાવનગર આસપાસ બે દિવસ માવઠું પડે તેવી આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાતા ઝરમર વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમાં વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. નખત્રાણાના બેરુ, ગોળજીપર સહિતના ગામડાઓમાં રસ્તા પર પાણી જોવા મળ્યા. વરસાદના કારણે મગફળીના તૈયાર પાકને નુકસાન જવાની ખેડૂતોને ભીતિ છે.
MLA મહેશ વસાવાને મોટો ઝટકો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બીટીપી)ને મોટો ઝટકો લાગ્યો છે. નર્મદા જિલ્લામાં બીટીપીના વળતા પાણી થઈ રહ્યા છે. જિલ્લામાં બીટીપીને જીવંત રાખનાર ચેતર વસાવાએ રાજીનામુ આપી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. બીટીપીના જિલ્લા પ્રમુખ ચેતર વસાવાએ પોતાનું રાજીનામુ સોશિયલ મીડિયા થકી આપી દીધું હતું.
BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા આપમાં જોડાયા છે, BTPમાંથી ડેડીયાપાડા વિધાનસભા સીટ પરથી ટીકીટ ન મળતા બળવો કર્યો. તમામ ડેડીયાપાડાનાBTPના હોદ્દેદારો રાજીનામુ આપી આપમાં જોડાયા છે. BTPના જિલ્લા પ્રમુખ ચેતર વસાવા સહિત BTPનો ડેડીયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવા BTPના ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા પણ આપમાં જોડાયા છે. આપમાં જોડાતા હવે ડેડીયાપાડા માં 4 પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવાર લડશે ચૂંટણી. અત્યાર સુધી માત્ર ત્રી પાખીઓ જંગ ખેલાતો હતો.
વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જ રાજકીય માહોલ જામવાનું શરૂ થઈ ગયું છે. બીટીપીના 3 હોદ્દેદારો સહિત 500 લોકોએ રાજીનામાં આપ્યા છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ, ડેડીયાપાડા બીટીપીના તાલુકા પ્રમુખ અને બીટીપીના આઈટીસેલના પ્રમુખે પણ રાજીનામું આપ્યું છે. અમારા સ્થાનિક પ્રશ્નો માટે મળવા જતા હતા, પણ મહેશભાઈ વસાવા ડેડીયાપાડા ધારાસભ્ય સમય ન આપતા હતા. 3 કલાક સુધી બહાર બેસાડી રાખતા હતા.
કાર્યકારિણી પ્રમુખ ચેતર વસાવા સહિત તમામ કાર્યકર્તાઓની આમ આદમી પાર્ટી સાથે વાતચીત ચાલી રહી છે. ચેતર વસાવા આજે દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલ ને મળવા માટે પહોંચ્યા છે. નોંધનીય છે કે, બીટીપી પાર્ટીના ગુજરાતમાં બે ધારાસભ્યો છે. અગાઉ તેમણે આપ સાથે ગઠબંધન કર્યું હતું. જોકે, પછી બીટીપીએ તમામ સીટી પરથી લડવાની જાહેરાત કરી હતી. આ પછી કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતો પણ ચાલી હતી. જોકે, હવે બીટીપી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે.






















