શોધખોળ કરો

ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધતા તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના આદેશ

ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા.

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસ વધતા પ્રશાસન એક્સનમાં જોવા મળી રહ્યું છે. જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા આદેશ અપાયા છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રદીપસિંહ રાઠોડે તમામ ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરી 10 પથારીની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે અને આ કામગીરીની જવાબદારી તાલુકા વિકાસ અધિકારીઓને અપાઈ છે અને 29 એપ્રિલે આ કામગીરી માટે ગ્રામ્ય સ્તરે બેઠક બોલાવવા આદેશ કરાયો છે. બેઠકમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓની મદદ લેવાનું સુચન કરાયું છે. સ્ત્રી અને પુરુષને અલગ સારવાર ગ્રામ્ય સ્તરે આપી શકાય તેવું આયોજન છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14120 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે મંગળવારે કોરોનાના 14352 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસની સંખ્યમાં ઘટાડો થયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 174 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6830 પર પહોંચી ગયો છે.

રાજ્યમાં ગઈકાલે 8595 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી3,98,824 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 33 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,33,191 પર પહોંચ્યો છે. જેમાંથી 421 લોકો વેન્ટિલેટર પર અને 1,32,770 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.01 ટકા છે.

કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26, સુરત કોર્પોરેશન-16, વડોદરા કોર્પોરેશન-11, મહેસાણા-2, જામનગર કોર્પોરેશન- 14, રાજકોટ કોર્પોરેશન-9, સુરત-3, જામનગર-11, સુરેન્દ્રનગર-8, વડોદરા-5, બનાસકાંઠા-6, કચ્છ-10, દાહોદ-3, પાટણ-2, ગાંધીનગર-2, ગાંધીનગર કોર્પોરેશન-0, મહીસાગર-2, નવસારી-1, જુનાગઢ-4, ભરુચ-5, પંચમહાલ-1, આણંદ 1, જુનાગઢ કોર્પોરેશન-3, આણંદ-1, અરવલ્લી-3, સાબરકાંઠા-8, મોરબી-5, રાજકોટ-6, છોટા ઉદેપુર-2, દેવભૂમિ દ્વારકામાં 5ના મૃત્યુ સાથે કુલ 174 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

 અમદાવાદ કોર્પોરેશનમાં 5672, સુરત કોર્પોરેશન-1764, વડોદરા કોર્પોરેશન-622, મહેસાણા-491, જામનગર કોર્પોરેશન- 407, રાજકોટ કોર્પોરેશન-363, સુરત-352, જામનગર-314, સુરેન્દ્રનગર-251, ભાવનગર કોર્પોરેશન-250, વડોદરા-236, બનાસકાંઠા-233, કચ્છ-183, દાહોદ-181, પાટણ-182, ગાંધીનગર-162, ગાંધીનગર કોર્પોરેશન-162, મહીસાગર-155, નવસારી-140, ખેડા-139, તાપી-138, અમરેલી-137, ભાવનગર-135,. ગીર સોમનાથ-128,  જુનાગઢ-127, ભરુચ-123, પંચમહાલ-123, વલસાડ-119, જુનાગઢ કોર્પોરેશન-110, આણંદ-109, અરવલ્લી-94, સાબરકાંઠા-84, મોરબી-74, રાજકોટ-71, છોટા ઉદેપુર-58, દેવભૂમિ દ્વારકામાં 41, પોરબંદરમાં 34, ડાંગમાં 19 અને બોટાદમાં 10 કેસ સાથે કુલ 14120 કેસ નોંધાયા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95,64,559 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 21,93,303 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,17,57,862 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Indian Deported From US : અમેરિકાથી ડિપોર્ટ થયેલા 8 ગુજરાતી અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા શું થયું?Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
'વર્કપ્લેસ પર સીનિયરનો ઠપકો ક્રિમિનલ એક્ટ નહીં...', સુપ્રીમ કોર્ટે ફગાવી કર્મચારીની અરજી
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોની ત્રીજી ફ્લાઇટ પહોંચી, જાણો ગુજરાતીઓના નામ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Prayagraj: પ્રયાગરાજ સંગમ સ્ટેશન બંધ, મહાકુંભમાં જતા અગાઉ જાણો લેટેસ્ટ અપડેટ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Train Cancelled News: ટ્રેનમાં પ્રવાસનો પ્લાન છે તો સાવધાન, આ ટ્રેન કરાઇ કેન્સલ અને અન્ય ટ્રેન કરાઇ રિશિડ્યુલ
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
Mahashivratri 2025: મહાશિવરાત્રી અગાઉ ઘરે લાવો આ શુભ ચીજો, થશે ભોળાનાથની કૃપા
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા, ડરના કારણે ઘરની બહાર નીકળ્યા લોકો
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
Maha Kumbh Bus Accident:મહાકુંભથી પરત ફરી રહેલી કારની બસ સાથે જબરદસ્ત ટક્કર, 3નાં ઘટનાસ્થળે મૃત્યુ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.