સરકારે અતિવૃષ્ટિનો સ્વીકાર કર્યો છે તો પછી રાહત પેકેજ કેમ જાહેર નથી કરતાઃ પાલ આંબલિયા
આંબલિયાએ કૃષિમંત્રી પર આક્ષેપ કર્યો કે તેમણે અંતરિયાળ ગામોની મુલાકાત કેમ રદ કરી. તેમણે આરોપ મૂક્યો કે, "જો મંત્રી અંતરિયાળ ગામોમાં ગયા હોત તો R&B વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાત."

Pal Ambalia relief package statement: કૃષિમંત્રીની જૂનાગઢ મુલાકાત દરમિયાન કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આજે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સરકાર પર અનેક મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા હતા.
આંબલિયાએ જણાવ્યું કે, "કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિનો સ્વીકાર કર્યો છે, તો પછી રાહત પેકેજ કેમ જાહેર કરવામાં નથી આવ્યું?" તેમણે ઉમેર્યું કે ઘેડનો પ્રશ્ન કાયમી છે એવું સરકારે સ્વીકાર્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારે આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી.
કિસાન નેતાએ માગણી કરી કે સરકારે બે મહિનામાં ઘેડના પ્રશ્નો ઉકેલવા માટે એક્શન પ્લાન જાહેર કરવો જોઈએ. તેમણે ઊબેણ નદીમાં ઠાલવાતા કેમિકલ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી અને ઘેડ વિકાસ નિગમની સ્થાપના કરવા જણાવ્યું.
આંબલિયાએ કૃષિમંત્રી પર આક્ષેપ કર્યો કે તેમણે અંતરિયાળ ગામોની મુલાકાત કેમ રદ કરી. તેમણે આરોપ મૂક્યો કે, "જો મંત્રી અંતરિયાળ ગામોમાં ગયા હોત તો R&B વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાત."
આ ઉપરાંત, માણાવદર અને પાદરડી ગામની મુલાકાત રદ કરવા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.
કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















