શોધખોળ કરો

સરકારે અતિવૃષ્ટિનો સ્વીકાર કર્યો છે તો પછી રાહત પેકેજ કેમ જાહેર નથી કરતાઃ પાલ આંબલિયા

આંબલિયાએ કૃષિમંત્રી પર આક્ષેપ કર્યો કે તેમણે અંતરિયાળ ગામોની મુલાકાત કેમ રદ કરી. તેમણે આરોપ મૂક્યો કે, "જો મંત્રી અંતરિયાળ ગામોમાં ગયા હોત તો R&B વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાત."

Pal Ambalia relief package statement: કૃષિમંત્રીની જૂનાગઢ મુલાકાત દરમિયાન કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આજે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે સરકાર પર અનેક મુદ્દે આકરા સવાલો ઉઠાવ્યા હતા.

આંબલિયાએ જણાવ્યું કે, "કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં અતિવૃષ્ટિનો સ્વીકાર કર્યો છે, તો પછી રાહત પેકેજ કેમ જાહેર કરવામાં નથી આવ્યું?" તેમણે ઉમેર્યું કે ઘેડનો પ્રશ્ન કાયમી છે એવું સરકારે સ્વીકાર્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારે આ સમસ્યાના નિવારણ માટે કોઈ નક્કર પગલાં લીધા નથી.

કિસાન નેતાએ માગણી કરી કે સરકારે બે મહિનામાં ઘેડના પ્રશ્નો ઉકેલવા માટે એક્શન પ્લાન જાહેર કરવો જોઈએ. તેમણે ઊબેણ નદીમાં ઠાલવાતા કેમિકલ્સ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી અને ઘેડ વિકાસ નિગમની સ્થાપના કરવા જણાવ્યું.

આંબલિયાએ કૃષિમંત્રી પર આક્ષેપ કર્યો કે તેમણે અંતરિયાળ ગામોની મુલાકાત કેમ રદ કરી. તેમણે આરોપ મૂક્યો કે, "જો મંત્રી અંતરિયાળ ગામોમાં ગયા હોત તો R&B વિભાગનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જાત."

આ ઉપરાંત, માણાવદર અને પાદરડી ગામની મુલાકાત રદ કરવા અંગે પણ તેમણે સવાલો ઉઠાવ્યા હતા.

કૃષિમંત્રીએ જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારની મુલાકાત લીધી

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી રાઘવજીભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત જૂનાગઢ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે માણાવદર, વંથલી અને કેશોદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી.

મુલાકાત દરમિયાન કૃષિમંત્રીએ જણાવ્યું કે, "રાજ્ય સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે." તેમણે ઉમેર્યું કે ઊભા પાકને થયેલ નુકસાન, ખેતરોનું ધોવાણ અને પ્રભાવિત માર્ગોની મરામત જેવા મુદ્દાઓ પર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવશે.

ઘેડ પંથકની સમસ્યાઓ અંગે બોલતા મંત્રીએ કહ્યું, "આ વિસ્તારના નાગરિકોને ચોમાસામાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે." તેમણે જણાવ્યું કે હાલમાં સર્વે સહિતની કામગીરી ચાલી રહી છે અને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જોકે, સ્થાનિક લોકોએ ધ્યાન દોર્યું છે કે દર વર્ષે ચોમાસામાં ઘેડ પંથકમાં આવી સમસ્યાઓ સર્જાય છે અને સરકાર તરફથી આશ્વાસનો અપાય છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાયમી સમાધાન મળ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે

વિડિઓઝ

Devayat Khavad News : લોકસાહિત્યકાર દેવાયત ખવડે કયા કેસમાં કર્યું સમાધાન?
Hun To Bolish : હું તો બોલીશ : ગૌહત્યારાઓનો સામાજિક બહિષ્કાર
Hun To Bolish : હું તો બોલીશ : જે મા-બાપને ભૂલશે,એને સમાજ ભૂલશે
Hun To Bolish : હું તો બોલીશ : ડોક્ટર્સ કેમ નથી લખતા સસ્તી દવા?
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
ટ્રમ્પનો વધુ એક ધડાકો! ‘મેં યુદ્ધ રોક્યું, UN તો ઊંઘતું હતું’, થાઈલેન્ડ-કંબોડિયા પર મોટો ખુલાસો
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
Bangladesh Violence: ભારતે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાનો મુદ્દો ઉઠાવ્યો તો યુનુસ સરકારે આપ્યો જવાબ, જાણો શું કહ્યું..
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
‘ભાજપે અમારો દુરુપયોગ કર્યો અને કોંગ્રેસ સાથે...’, BMC Election પહેલા ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
BMC Election 2026: અજિત પવારની NCP એ 37 ઉમેદવારોની યાદી જાહેર કરી, 'એકલા હાથે' લડશે
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
બાકાજીકી કરનાર દેવાયત ખવડે સનાથલના ચૌહાણ પરિવાર સાથે કર્યું સમાધાન, જાણો શું હતો વિવાદ
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
Pak ની મોટી કબૂલાત: ભારતે 36 કલાકમાં 80 ડ્રોન ઝીંક્યા, 7 મહિના પછી દુશ્મને સ્વીકાર્યું નુકસાન
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
શું કોચ પદેથી ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે? BCCI એ કર્યો મોટો ખુલાસો
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
ગુજરાતમાં 'બેટી બચાવો' ના લીરેલીરા: 13 થી 16 વર્ષની 1633 કિશોરીઓ સગર્ભા, ચોંકાવનારો રિપોર્ટ
Embed widget