શોધખોળ કરો

ભક્તો માટે ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિરના ખોલાયા દ્વાર, શું રખાયા છે કડક નિયમો? જાણો

લોકડાઉનના ત્રણ મહિના ઉપરાંતના સમયથી બંધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.

લોકડાઉનના ત્રણ મહિના ઉપરાંતના સમયથી બંધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જોકે પ્રથમ દિવસે વરસાદી માહોલ અને ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. કોરોના મહામારીને લઈ લોકડાઉન દરમિયાન રાજ્યના અનેક મંદિરો સાથે પંચમહાલ જિલ્લામાં આવેલ યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. જે અંદાજીત ત્રણ માસ ઉપરાંતના સમયગાળા બાદ આજે સરકારના નિયમોને અનુસરી ખોલવામાં આવ્યા છે. દર્શન માટે મંદિરનો સમય સવારે 6 કલાકથી સાંજના 7 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. વરસાદી માહોલના કારણે વહેલી સવારેથી ડુંગર આસપાસ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ડુંગરની ચારે કોર વાદળોનો ડેરો જોવા મળ્યો હતો. આકાશમાંથી વાદળો જાણે માતાજીના ચરણે આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ કોરોના વાયરસ સંક્રમણથી ભક્તો સુરક્ષિત રહે તે માટે મંદિર ટ્રસ્ટ અને રોપવે ઉડન ખટોલા સંચાલકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝ સહિતની તમામ વ્યવસ્થા મંદિર પરિસરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે મંદિર દ્વારા પ્રસાદી વિતરણ અને ભોજન શાળા હાલ બંધ રાખવામાં આવી છે. દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શન કરવાનો લાંબા સમય બાદ દર્શન કરવાનો લ્હાવો પ્રાપ્ત થતાં ભક્તોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ હાલ પ્રસાદ, ચુંદડી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ હોવાથી સ્થાનિક વેપારીઓ માટે આવકનો કોઈ સ્ત્રોત નહીં હોવાથી તેઓની ચિંતા યથાવત રહી છે. કોરોના મહામારીને કારણે છેલ્લા ત્રણ મહીના ઉપરાંતથી દર્શનાર્થીઓ માટે બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરના દ્વાર આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા હતાં. કોવીડ 19ને લગતા તમામ નિયમો અનુસરી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર આજથી ખોલવામાં આવ્યા. શ્રી કાલિકા મંદિર માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ માટે મંદિર પેરિસરમાં સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના વાયરસના સંક્રમણથી તમામ ભક્તો સુરક્ષિત રહે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વાર સરકારની ગાઈડલાઇન મુજબ જરૂરી નિયમનો બહાર પાડવામાં આવ્યા છે. ગાઈડલાઇન મુજબ દર્શનાર્થીઓએ માસ્ક ફરજીયાત પહેરીને આવવું કતાર માં બે ગજનું અંતર રાખવા સહીત ટેમ્પરેચર ગન દ્વારા તપાસ દરમિયાન જે દર્શનાર્થીઓનું ટેમ્પરેચર તાપમાન 100થી વધારે માલુમ પડશે તેમને મંદિરમાં પ્રવેશ પાવામાં આવશે નહીં તેમજ 10 વર્ષથી નાના બાળકો તેમજ 65 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓની પણ મંદિરમાં પ્રવેશ બંધી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
15 વર્ષથી નાના બાળકો માટે કેમ ઘાતક છે આ રોગ? ગુજરાતમાં વધ્યો ખતરો, જાણો કેવી રીતે બચવું?
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાળકોના નાસ્તામાં છેતરપિંડી ?
Hun To Bolish : હું તો બોલીશ : સાંસદ અને મંત્રીએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહથી સાવધાન
Ambalal Patel Rain Forecast: ઓગસ્ટમાં વરસશે અણધાર્યો વરસાદ: અંબાલાલ પટેલની મોટી આગાહી
Nitin Patel on Patidar Andolan : પાટીદાર આંદોલનને લઈ નીતિન પટેલનો મોટો ખુલાસો!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
IND vs ENG: ભારતનું 4 વર્ષ જૂનું સામ્રાજ્ય ખતમ! 4-0 થી સિરીઝ જીતી ઇંગ્લેન્ડ બની વિશ્વની નવી No.1 ટીમ
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
આવતીકાલનું હવામાનઃ 12 જુલાઈએ 18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70km ની ઝડપે પવન અને વાવાઝોડાની આશંકા
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ગુજરાતમાં અષાઢી બીજે નીકળશે 230 રથયાત્રા, શાંતિપૂર્ણ આયોજન માટે તંત્ર સજ્જ, મુખ્યમંત્રીએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: આ સ્ટાર ખેલાડી થયો બહાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
IND vs ENG: 5મી T20માં વૈભવ સૂર્યવંશી બહાર! શ્રેયસ અય્યરે પ્લેઇંગ 11 માં કર્યા મોટા ફેરફાર
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
દર્દીઓને મોટી રાહત: સરકારે ડાયાબિટીસ અને હાર્ટની 39 નવી દવાઓના છૂટક ભાવ નક્કી કર્યા, જુઓ લિસ્ટ
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
આ રાજ્યમાં ધારાસભ્યને પક્ષ બદલવા ₹30 કરોડની ઓફર મળી! મુખ્યમંત્રીના દાવાથી ખળભળાટ
Embed widget