શોધખોળ કરો

PM મોદીએ સોમનાથ સર્કિટ હાઉસનું કર્યું લોકાર્પણ, કહ્યું, એક પછી એક વિકાસના કામ થઈ રહ્યા છે, તે સોમનાથ દાદાની વિશેષ કૃપા

નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી જે રીતે અહીં એક પછી એક વિકાસના કામ થઈ રહ્યા છે.

વેરાવળઃ સોમનાથમાં 30 કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહનો પીએમ મોદી વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. નવનિર્મિત સરકીટ હાઉસ ખાતેથી અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર પરિસરનો નજારો માણી શકાશે. તેમણે આ પ્રસંગે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયથી જે રીતે અહીં એક પછી એક વિકાસના કામ થઈ રહ્યા છે. તે સોમનાથ દાદાની વિશેષ કૃપા છે. હું આને મારું સૌભગ્ય માનું છું કે, સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા પછી અહીં હું આટલું બધું થતું જોઇ શકું છું. તાજેતરમાં જ થયેલી ગેલેરીના લોકાર્પણને પણ યાદ કર્યું હતું. તેમણે આ પ્રસંગે ગુજરાત સરકાર અને સોમનાથ ટ્રસ્ટને શુભકામના પાઠવી હતી. 

PM મોદીએ સોમનાથ સર્કિટ હાઉસનું કર્યું લોકાર્પણ, કહ્યું, એક પછી એક વિકાસના કામ થઈ રહ્યા છે, તે સોમનાથ દાદાની વિશેષ કૃપા

તેમણે કહ્યું કે, સર્કિટ હાઉસ બન્યા પછી સોમનાથ મંદિર ટ્રસ્ટની મુશ્કેલી ઘટશે. આ સર્કિટ હાઉસમાંથી દરિયાની લહેરો પણ દેખાશે અને સોમનાથનું શિખર પણ દેખાશે. નવું સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક આવેલું છે.

તે સ્યુટ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો મળી શકે.

રાજનીતિમાં એન્ટ્રીને લઈને ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

રાજકોટઃ રાજનીતિમાં એન્ટ્રને લઈને ખોડલધામના નરેશ પટેલે ફરી એકવાર નિવેદન આપ્યું છે. રાજકારણમાં આવવું કે નહીં તે સમયનો પ્રશ્ન. સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. તેમણે આ નિવેદન પત્રકાર પરીષદમાં આપ્યું હતું. આજે ખોડલધામનો પંચ વર્ષીય પાટોત્સવ છે, ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું. 

ખોડલધામ ખાતે સમાજજોગ સંબોધનમાં નરેશ પટેલે કહ્યું હતું કે, જે યજ્ઞ હતો તે વિશિષ્ટ પ્રકારનો યજ્ઞ હતો. 2011માં પ્રસાદ તરીકે લાડવો આપવામાં આવ્યો હતો. પડધરી તાલુકાના ડુંગરકા ગામના ખેડૂતે પોતાના મંદિરમાં આજદિન સુધી લાડવો સાચવી રાખ્યો હતો. આજે પણ એ લાડવો એવોને એવો છે. આજના દિવસે આ ખેડૂત મહાયજ્ઞના યજમાન હતા. 2017 ની નરેશભાઈ પટેલે વાત કરી. 2017 થી આજ સુધી ખોડલધામએ અનેક રેકોર્ડ સ્થાપ્યા હતા. કેશુબાપાને નરેશભાઈ પટેલે યાદ કર્યા. બાપાએ રાજકોટથી મૂર્તિનું પ્રસ્થાન કરાવ્યું હતું. પાંચ વર્ષ દરમીયાન દીકરા દીકરીઓને માર્ગદર્શન આપી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થયા. સરદાર પટેલ ફાઉન્ડેશનમાં અનેકવિધ સેવાકીય અને શિક્ષણના કાર્ય થયા.

ખોડધામમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી બનાવવામાં આવશે. 2022 પછી રાજકોટ 25 કિમિ દૂર અમરેલી ગામમાં શિક્ષણ અને આરોગ્યધામ બનશે. અમરેલી ગામમાં ખોડલધામ મંદિરે જમીન લીધી. વાર બપોર સાંજ માતાજીની આરાધના થાય છે. મેગેજીન પણ પ્રસારિત થાય છે. ખોડલધામ ચેરમેન નરેશ પટેલની મોટી જાહેરાત, દરેક સમાજના મહાપુરુષો પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 

તેમમે કહ્યું કે, વાત લાંબી થશે. દરેક વર્ષે કાર્યક્રમ થયા. જે ઉત્સવો ઉજવણી થઈ તે સૌ સાક્ષી છે. ખોડલધામ પરિસર માં ઘણા રેકોર્ડ પ્રસ્તાવિત થતા રહ્યા છે. ગિનિસ બુક.... લિમ્કા બુક.... ગોલ્ડન બુક... વગેરે મળ્યા છે. 2017 થી નક્કી કરીય કે 7 દિસથી થી મૂર્તિ આવી હતી. સવારે 4 વાગ્યે રાજકોટ થી પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પ્રતિમા પ્રસ્તાવિત કરવી હતી. લાખો ટુ વહીલર એક પણ અણબનાવ વગર અહીં પહોંચ્યા હતા.  ખોડલધામ ટ્રસ્ટની ઓફિસમાં એક ઓફિસ ખેડૂતો માટે પણ બનાવવામાં આવી. ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ કરવાનું આયોજન છે. પાટીદાર સમાજ માટે મોટી જાહેરાત નરેશ પટેલે કરી. રાજકોટથી 25 કિલોમીટર દૂર અમરેલી ગામે શિક્ષણ અને આરોગ્ય ધામ બનાવવામાં આવશે.. અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ જમીન ખરીદી. લોકોએ સામાજિક પ્રસન્નગો સાદાઈથી ઉજવણી કરવી જોઈએ. કોરોનાએ આપણને સાદાઈથી જીવન જીવતા શીખવ્યું.

સોમનાથ દાદા ના સાનિધ્યમાં સોમનાથ ભવન નું લોકાર્પણ થશે જે શ્રાવણ મહિનામાં થશે. ખોડલધામ એ સંસ્થા નથી એક વિચાર છે. વિચાર ક્યારેય નષ્ટ થતો નથી. માત્ર લેઉવા પટેલ સમાજ નહિ સર્વ સમાજ નો સાથ મળ્યો છે. દરેક સમાજ નો સાથ સહકાર મળ્યો છે. દરેક સમજે અહીં સહકાર આપ્યો છે. દરેક સમાજના મહાપુરુષોની પ્રતિમા અહીં સ્થાપિત થશે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ
ગુજરાતમાં કાલથી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ: 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ, કપરાડામાં સૌથી વધુ 15.63 ઈંચ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ
Embed widget