શોધખોળ કરો

વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ

PM Modi Gujarat visit:વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવી રહ્યા છે. સુરતમાં તેઓ અંદાજે 18 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ખાસ વાત એ છે કે આ સમગ્ર કાર્યક્રમને ઈકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પીએમ મોદી સુરતમાં ₹18,000 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન.
  • આ સંપૂર્ણ કાર્યક્રમ ઈકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક-મુક્ત આયોજિત કરાયો.
  • હાઈવે, પુલ, અંડરપાસ તેમજ NHAI પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન-લોકાર્પણ થશે.
  • લક્ષદ્વીપના ₹885 કરોડના બંદર-પ્રવાસન પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન.

PM Modi Gujarat visit: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અંદાજે 18 હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ખાસ વાત એ છે કે, પીએમ મોદીનો આ સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે ઈકો-ફ્રેન્ડલી અને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 1:30 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટથી તેઓ હેલિકોપ્ટર મારફતે સીધા હજીરાના L&T પ્લાન્ટ ખાતે જશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ પ્લાન્ટની મુલાકાત લેશે અને 2:30 થી 3:15 વાગ્યા સુધી ત્યાં રોકાશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી રોડ માર્ગે સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચશે, જ્યાં તેઓ જનસભાને સંબોધશે અને 18 હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ ગુજરાતને આપશે.

વિશ્વ પર્યાવરણ દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમને ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવ્યો છે. સ્ટેજ પર તૈયાર કરાયેલ બેકડ્રોપ રિસાયકલ કરાયેલા કાપડમાંથી બનાવવામાં આવ્યું છે, જેને ફાઈન આર્ટ્સના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. કાર્યક્રમ સ્થળે પ્લાસ્ટિકની પાણીની બોટલોને બદલે માટલાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, અંદાજે બે હજાર લોકો સાઇકલ પર કાર્યક્રમમાં પહોંચશે, જેથી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ મજબૂત બને.

મહેમાનો અને મુલાકાતીઓના સ્વાગત માટે ફ્લેક્સ બેનરોના બદલે હેન્ડમેડ શિલ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કાર્યક્રમને અનોખી ઓળખ આપી રહ્યા છે.એક તરફ વિકાસના 18 હજાર કરોડના પ્રોજેક્ટ્સ અને બીજી તરફ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ... સુરતમાં યોજાનારો પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ વિકાસ અને ગ્રીન ઈનિશિયેટિવ્સનો અનોખો સમન્વય બનવા જઈ રહ્યો છે.

સુરત અને દમણ પછી, લક્ષદ્વીપમાં વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
સુરતમાં, પ્રધાનમંત્રી હાઇવે, મોટા અને નાના પુલ, રેલ્વે પુલ, ફ્લાયઓવર અને 70 અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. 4,732 કરોડ રૂપિયાના NHAI ના ચાર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.

આમાં ધમસિયાથી બિટાડા સુધી NH-56 નું ચાર-લેનિંગ (પેકેજ 4), નસરપુરથી માલોથા સુધીનું ચાર-લેનિંગ (પેકેજ 6), રિલાયન્સ નજીક છ-લેન વાહન અંડરપાસ અને NH-53 ના સુરત-હઝીરા સેક્શન પર કાવાસ ખાતે VUP-કમ-ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.

વધુમાં, દમણથી, મોદી લક્ષદ્વીપ માટે 885 કરોડ રૂપિયાના બંદર અને પ્રવાસન પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન પણ કરશે.

તેમની છેલ્લી મુલાકાત દરમિયાન, પીએમએ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઘટાડવાની અપીલ કરી હતી.

11 મેના રોજ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. વડોદરામાં એક જાહેર રેલી દરમિયાન તેમણે લોકોને બળતણ અને સંસાધનોનો વપરાશ ઘટાડવા અપીલ કરી. તેમણે શક્ય હોય ત્યાં સુધી પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અને મેટ્રો, ઇલેક્ટ્રિક બસો અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું, "સોનાની આયાત પર દેશના નાણાંનો નોંધપાત્ર હિસ્સો ખોવાઈ જાય છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સોનું ખરીદવાનું મુલતવી રાખવું જોઈએ. સોનાની જરૂર નથી."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
Embed widget