PM નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે આદિવાસી મહાસંમેલનમાં 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે.

Background
પ્રધાનંમંત્રી દાહોદના ખરોડ ખાતે આદિવાસી મહાસંમેલન ભાગ લેવા પહોંચ્યા છે. આદિવાસી મહાસંમેલનમાં 5 ટ્રાયબલ જિલ્લાના અંદાજીત 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1259 કરોડના કામોનુ લોકાર્પણ અને 550 કરોડ જેટલા કામોનુ ખાતમુહૂર્ત કરશે. સભા સ્થળે પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. સુરક્ષાને લઈ પોલીસ સજ્જ છે. 10 જેટલા IAS ઓફીસર વ્યવસ્થામા રહેશે. પોલીસ-3 હજાર કરતા વધુ હોમગાર્ડ તેમજ જી.આર.ડી-700 , SP-12, DYSP-36, PI-100 , PSI-300 , RANG IG & IGP તથા spg ,ચેતક કમાન્ડો ,તેમજ NSG કમાન્ડો ની 1 -1 ટીમ હાજર રહેશે . સમગ્ર ડોમને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામા આવ્યું.
રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રીએ દાહોદમાં આવેલા રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે 9000 HP ઇલેક્ટ્રિક લોકોમોટીવનું ઉત્પાદન કરવા માટેના પ્લાન્ટનો પણ શિલાન્યાસ કર્યો. આ પરિયોજનાનો ખર્ચ લગભગ રૂપિયા 20,000 કરોડ છે. વરાળ એન્જિન લોકોમોટીવની સમયાંતરે જાળવણી કરવા માટે 1926માં દાહોદ વર્કશોપની સ્થાપના કરવામાં આવી હતી. હવે તેને ઇલેક્ટ્રિક લોકોમોટીવ વિનિર્માણ એકમમાં અપગ્રેડ કરવામાં આવશે અને ત્યાં માળખાકીય સુવિધાઓને લગતા સુધારાઓ કરવામાં આવશે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 120 કરોડના લાભો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 120 કરોડના લાભો પંચમહાલ અને દાહોદ જિલ્લાના લગભગ 10,000 આદિવાસી સમૂહોને પહોંચાડવામાં આવશે. પ્રધાનમંત્રી 66 KV ઘોડિયા સબસ્ટેશન, પંચાયત ભવનો અને આંગણવાડીઓ તેમજ અન્ય પરિયોજનાઓનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું.





















