શોધખોળ કરો

હળવદ દીવાલ ધરાશાયી થવા મામલે પોલીસની મોટી કાર્યવાહી

મોરબી: હળવદ દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોતનો થયા હતા. હવે આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેમા કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત 8 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મોરબી: હળવદમાં દીવાલ ધરાશાયી થતા 12 શ્રમિકોના મોતનો થયા હતા. હવે આ મામલે હળવદ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જેમા કારખાનાના માલિક, સંચાલક અને સુપરવાઈઝર સહીત 8 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાગર સોલ્ટ કારખાનામાં સિમેન્ટના બેલાની દીવાલ ચણેલી હતી જેમાં એક પણ બીમ કે કોલમ કે પાયા ઉભા કરવામાં આવ્યા ન હતા. દીવાલની ઉંચાઈ તથા લંબાઈ વધુ હોય અને દીવાલ નબળી હોવાનું માલિકો અને સુપરવાઈઝર સહિતના આરોપીઓ જાણતા હોય છતાં દીવાલના લગોલગ મીઠું ભરેલ પ્લાસ્ટિકની બોરી રાખી દીવાલની ઉંચાઈ કરતા વધુ ઉચાઇ સુધી ગોઠવી હતી. મીઠાની બોરીઓનો એક બીજાને ધક્કા લાગવાથી દીવાલ પર દબાણ આવતા દીવાલ ધરાશાયી થઈ હતી.

બાળકો સહિત 12 લોકોના મૃત્યુ નીપજ્યા હતા 

આ ઘટનામાં બાળકો સહિત 12 લોકોના મોત થયા હતા. હવે આ અંગે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમા બાળ મજુરી કરાવવામાં આવતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવી છે. ઘટનામાં પિતા અને બેન ગુમાવારનાર રાજેશભાઈ ઉર્ફે લખું રમેશભાઈ પીરાણાએ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.  (૧) અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા રહે.હળવદ(માલીક) (૨) રાજેશકુમાર મહેંદ્રકુમાર જૈન રહે.જયપુર રાજસ્થાન(માલીક) (૩) કિશનરામ લાલારામ ચૌધરી રહે. જયપુર, રાજસ્થાન (માલીક) (૪) દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા રહે.હળવદ (સંચાલક) (૫) આત્મારામ કિશનરામ ચૌધરી રહે. હાલ ગિરનારીનગર હળવદ મૂળ રહે.જયપુર વૈશાલીનગર રાજસ્થાન (સંચાલક) (૬) સંજયભાઇ ચુનીલાલ ખત્રી રહે. હળવદ (સુપરવાઇઝર) (૭) મનોજભાઇ રેવાભાઇ સનુરા રહે. હળવદ (સુપરવાઇઝર) (૮) આસીફભાઇ નુરાભાઇ રહે. હળવદ (સુપરવાઇઝર) (૯) તથા તપાસમાં ખુલ્લે તે તમામ સામે ગુન્હો નોંધાયો છે. આ ઘટનામાં આઇપીસી 304, 308,114 તથા બાળ મજૂરીની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે.

CBIએ ગાંધીનગરમાં આ IASને ત્યાં દરોડા પાડતા ફફડાટ,જાણો વિગતે
CBI Raid: CBIન ટીમે ગાંધીનગરમાં દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. આઈએએસ કે. રાજેશને ત્યાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આઈએએસ જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દિલ્હીની CBI ટીમે દરોડા પાડતા ફફડાટ ફેલાયો છે. નોંધનિય છે કે, કે. રાજેશ સુરેન્દ્રનગર કલેક્ટર રહી ચૂક્યા છે. આ દરોડ મોડી રાતે પાડવામાં પાડવામાં આવ્યા હતા. આંધ્રપ્રદેશના વતની અને વર્ષ 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે કે. રાજેશ. આ કાર્યવાહી ગાંધીનગર, સુરત અને સુરેન્દ્રનગરમાં કરવામાં આવી છે. આ ઉપરાંત બંદૂક લાયસન્સ માટે મંજૂરી આપવામાં પણ લાંચ લીધી હોવાનો આરોપ આઈએએસ ઉપર લગાવવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget