શોધખોળ કરો

'શક્તિ' વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસશે ભારે વરસાદ , જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું  130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું  130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે.  પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું નબળું પડી જશે. 

આ યુ-ટર્ન ની અસર હેઠળ 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમના અનુમાન મુજબ, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જોકે આ સમયે દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક ની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે, જે આગામી મહિનાઓ માટે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વિચારણાનો વિષય છે.

અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું નબળું પડવાના કારણે ગુજરાત રાજ્ય પરથી તેનો ગંભીર ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં, 'શક્તિ' વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર પહોંચી ગયું છે, જેના કારણે તેની ગતિ ધીમી પડી છે. જોકે, આ સિસ્ટમની અસરને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક હળવો વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડુ ગુજરાતમાં પહોંચે તે પહેલા વિખેરાય જશે. જેથી ગુજરાતમાં વાવાઝોડાને લઇને કોઇ ખતરો નથી. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા હવે નહિવત છે. જેથી હવે હવામાન વિભાગના મોડલ મુજબ ચોમાસાની વિદાય 11 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે. 

વાવાઝોડાના યુર્ટન અને ચોમાસાની વિદાયની વચ્ચે  પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રિના સમયમાં વરસાદ વરસ્યો હતો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના વરસાદ વરસ્યો હતો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દારૂનિયા, પોપટપુરા સહિતના  ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

નવસારીમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.નવસારીના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા  છે. નવસારી શહેરના મંકોડિયા, વીજલપોર, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.   વરસાદથી શેરડી, ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
પાટણ નપાનું ભોપાળું: ખાનગી માલિકીના જમીન પર બનાવી દીધો રોડ, માલિકે ફેન્સિંગ લગાવી કર્યો બંધ
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
સતત 8 ટર્મમાં અજેય રહેલા ધારાસભ્ય યોગેશ પટેલના આજે અંતિમ સંસ્કાર, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
ઊર્જા રાજ્ય તરીકે ગુજરાતે બનાવી ઓળખ વધુ મજબૂત, જીત્યા પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
ગૃહ મંત્રાલયને લઈને ભડકાઉ ટિપ્પણી કરવા પર મમતા બેનર્જીની વધી મુશ્કેલી, FIR દાખલ
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Embed widget