શોધખોળ કરો

'શક્તિ' વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસશે ભારે વરસાદ , જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું  130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું  130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે.  પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું નબળું પડી જશે. 

આ યુ-ટર્ન ની અસર હેઠળ 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમના અનુમાન મુજબ, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જોકે આ સમયે દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક ની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે, જે આગામી મહિનાઓ માટે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વિચારણાનો વિષય છે.

અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું નબળું પડવાના કારણે ગુજરાત રાજ્ય પરથી તેનો ગંભીર ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં, 'શક્તિ' વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર પહોંચી ગયું છે, જેના કારણે તેની ગતિ ધીમી પડી છે. જોકે, આ સિસ્ટમની અસરને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક હળવો વરસાદ વરસવાની શક્યતા છે.

હવામાન વિભાગે શું કરી છે આગાહી

હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડુ ગુજરાતમાં પહોંચે તે પહેલા વિખેરાય જશે. જેથી ગુજરાતમાં વાવાઝોડાને લઇને કોઇ ખતરો નથી. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા હવે નહિવત છે. જેથી હવે હવામાન વિભાગના મોડલ મુજબ ચોમાસાની વિદાય 11 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે. 

વાવાઝોડાના યુર્ટન અને ચોમાસાની વિદાયની વચ્ચે  પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રિના સમયમાં વરસાદ વરસ્યો હતો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના વરસાદ વરસ્યો હતો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દારૂનિયા, પોપટપુરા સહિતના  ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

નવસારીમાં જામ્યો વરસાદી માહોલ

હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.નવસારીના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા  છે. નવસારી શહેરના મંકોડિયા, વીજલપોર, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.   વરસાદથી શેરડી, ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Ind vs NZ: રાજકોટમાં KL રાહુલનું વાવાઝોડું, સદી સાથે અઝહરુદ્દીનનો રેકોર્ડ તોડ્યો
Embed widget