Gujarat Rain: ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા છે.

ગાંધીનગર: ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે. 3 દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દાહોદ, ,પંચમહાલ, ખેડા, મહીસાગરમાં માવઠું પડવાની શક્યતા છે. સાયક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદ પડી શકે છે. હાલ તો તાપમાન સામાન્ય રહેશે જો કે 3 દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો નોંધાશે.
હવામાન વિભાગેની આગાહી મુજબ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ફરી એકવાર જગતના તાતની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છોટાઉદેપુર, તાપી, દાહોદ, નર્મદા, ડાંગ, નવસારી તેમજ વલસાડમાં સામાન્ય વરસાદની સંભાવના છે.
મહીસાગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. લુણાવાડા તાલુકાના મલેકપુર ગોરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
દક્ષિણના બે રાજ્યો તમિલનાડુ અને આંધ્રપ્રદેશના ભાગોમાં ચક્રવાતી તોફાનનો ખતરો છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ચક્રવાતી તોફાન 4 ડિસેમ્બરની સાંજની આસપાસ આંધ્ર પ્રદેશના માછલીપટ્ટનમ અને તમિલનાડુના ચેન્નાઈના દરિયાકાંઠાને પાર કરશે. ગઈકાલે આઈએમડી બુલેટિન અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા છેલ્લા 12 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે.
'ચક્રવાતી તોફાનનો ખતરો'
IMD મુજબ તોફાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની, 2 ડિસેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં તીવ્ર બનવાની અને 3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને ચક્રવાતી તોફાન તરીકે 4 ડિસેમ્બરની સાંજની આસપાસ ચેન્નાઈ અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાને પાર કરશે.
ચેન્નઇમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે શુક્રવારે સવારે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી. આગામી ત્રણ કલાકમાં તમિલનાડુના તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, નાગપટ્ટનમ અને રામનાથપુરમ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રે એમ પણ જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાનો અનુભવ થશે. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને અસર થઈ શકે છે. છૂટક/અસુરક્ષિત માળખાને કારણે નજીવું નુકસાન થશે.
https://t.me/abpasmitaofficial
























