શોધખોળ કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

Gujarat Politics Newsરાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા, પાર્ટીનો આભર માની રાજુ કરપડાએ કેજરીવાલને રાજીનામું મોકલ્યું છે.

Gujarat Politics News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAPના કિસાન સેલના અધ્યક્ષ રાજુ કરપડાએ આજે પાર્ટીમાંથી  રાજીનામું આપી દીધું છે. અગાઉ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પણ  AAPમાંથી રાજીનામું આપી ચૂક્યા છે 

રાજુ કરપડાએ પાર્ટીનો આભાર માની આજે કેજરીવાલને રાજીનામું  મોકલ્યું છે.  તેઓ 5 વર્ષથી AAPમાં સક્રિય હતા. હાલ તેમણે રાજીનામુ આપવા માટે  વ્યક્તિગત કારણોનો  ઉલ્લેખ કર્યો છે, જો કે ગોપાલ ઈટાલિયા સાથે નારાજગીના કારણે રાજીનામું આપ્યાની ચર્ચા પણ છે. રાજુ કરપડાની કડદા પ્રથાને લઈને થયેલા વિવાદમાં  ધરપકડ થઈ હતી. કિસાન આંદોલનમાં થયેલી બબાલને લઈ તાજેતરમાં  જેલમુક્ત થયા હતા. રાજુ કરપડા હડદડ ગામે થયેલી હિંસા બાદ વધુ ચર્ચામાં આવ્યા હતા.

રાજુ કરપડાએ રાજીનામાનો પત્ર સોશલ મીડિયામાં  જાહેર કર્યો છે. પાર્ટીમાં ઝુઝારૂ નેતા તરીકેની રાજુ કરપડાની ઓળખ  છે .પાંચ વર્ષથી આમ આદમી પાર્ટીમાં  રાજુ કરપડા સક્રિય હતા. રાજુ કરપડા 2021-22માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી AAPના ઉમેદવાર હતા.  રાજુ કરપડા આમ આદમી પાર્ટીની કિસાન વિંગના પ્રમુખ  હતા.આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી પણ હતા. 


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

રાજુ કરપડાએ શું કહ્યું ? 

રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે, "જય કિસાન સાથીઓ... દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું..! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.!  પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્ત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે.  મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું.  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું...! "


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા AAPને ઝટકો, રાજુ કરપડાએ આપ્યું રાજીનામુ, જાણો કારણ

 

રાજુ કરપડા રાજીનામા પાછળ અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યાં છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી વિધાનસભાની ચુંટણી લડેલા રાજુ કરપડા AAP ગુજરાતના સક્રિય નેતા હતા. તેઓ હંમેશા ખેડૂતોના હિત માટે કાર્યરત રહ્યાં  છે. તેમણે રાજીનામું આપતા  અનેક કારણો અંગે હાલ ચર્ચા થઇ રહી છે. એક બાજુએ એવી પણ ચર્ચા છે કે, તેઓ  ગોપાલ ઇટલીયાથી નારાજ હતા અને આ નારાજગીના પગલે તેમણે સોશિયલ મીડિયા પર રાજીનામાની પોસ્ટ મૂકી. .તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. રાજીનામાનું કોઇ સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. સત્તાવાર રીતે પાર્ટી દ્વારા પણ આ મુદ્દે હજુ સુધી કોઇ નિવેદનમાં રાજીનામાના કારણની સ્પષ્ટતા નથી થઇ. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ફરી એકવાર માવઠાનો માર
Hun To Bolish : હું તો બોલીશ : આજ કા નેતા
Hun To Bolish : હું તો બોલીશ : હવે થશે નકલી પનીરનો પર્દાફાશ
Gujarat Unseasonal Rains : સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાનો માર , 3 જિલ્લામાં પડ્યો કમોસમી વરસાદ
Ambalal Patel Prediction : 48 કલાકમાં આવશે ગુજરાતના વાતાવરણમાં પલટો , અંબાલાલ પટેલની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
પાકિસ્તાન પર અફઘાનિસ્તાનની સર્જિકલ સ્ટ્રાઇક, સૈનિક કેમ્પ પર અંધાધૂંધ ફાયરિંગ, 3 પાકિસ્તાની સૈનિકના મૃત્યુ
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ ગાજવીજ અને તોફાન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, આ તારીખે લેવાશે લેખિત પરીક્ષા
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
KKR vs SRH Highlights: સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા સામે 65 રને મોટી જીત મેળવી, જયદેવ ઉનડકટની 3 વિકેટ 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
₹9000 સસ્તી થઈ ચાંદી, સોનું પણ એક ઝટકામાં આટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
અભિષેક શર્માએ બનાવ્યો ખાસ રેકોર્ડ, SRH માટે IPL માં આવું કરનારો માત્ર બીજો ખેલાડી 
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
Vitamin D: રાત્રે વિટામિન D લેવું યોગ્ય કે નહીં? જાણો તમારી ઊંઘ અને હોર્મોન્સ સાથે શું છે કનેક્શન?
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ નિકળ્યો 21 વર્ષનો બેટ્સમેન, રોહિત શર્માને છોડ્યો પાછળ 
Embed widget