શોધખોળ કરો

Ram Mandir: સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર, 6 ફૂટની અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ મુકાઇ, જુઓ તસવીર

આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે

Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે. ઠેર ઠેર અને ગામે ગામે લોકો રામ ભક્તિમાં ડુબ્યા છે, ગુજરાતના મંદિરોમાં પણ આજે રામ નામના નારાઓથી ગુંજી ઉઠ્યા છે, હાલમાં જ સમાચાર સામે આવ્યા છે, તે પ્રમાણે, સારંગપુરના કષ્ટભંજન દેવ દાદા હનુમાનજી મંદિરમાં આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. કષ્ટભંજન દાદાને આજે વિશેષ શણગારની સાથે અયોધ્યા મંદિરની વૂડન પ્રતિકૃતિ મુકવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, આ વૂડન પ્રતિકૃતિ 6*10 ફૂટની છે.


Ram Mandir: સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર, 6 ફૂટની અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ મુકાઇ, જુઓ તસવીર

આજે વહેલી સવારે સારંગપુર હનુમાનજી મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આજે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારે “શ્રી રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ” નિમિત્તે આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય શણગાર સાથે અયોધ્યા શ્રીરામ મંદિરની ઝાંખી કરવામાં આવી છે. "જય જય શ્રી રામ"ના નાદ સાથે ભક્તોનો મંદિર પરિસરમાં જોરદાર જયઘોષ ગુંજી ઉઠ્યો હતો, ખાસ વાત છે કે આજે મંદિરમાં વિશેષ રીતે 6 * 10 ફૂટની શ્રી રામ મંદિરની વૂડન પ્રતિકૃતિ મૂકવામાં પણ આવી છે. મંદિરને ડેકોરેશન કરી ફૂલોથી શણગારીને પટાંગણમાં રંગોળી પુરવામાં આવી છે, આ ઉપરાંત 1 હજારથી વધુ કેસરી કલરના ભગવા ધ્વજ સાથે સમગ્ર પરિસર સુશોભિત પણ કરવામાં આવ્યુ છે. 


રામ મંદિર ભારતીય ધરોહરને સમૃદ્ધ કરશેઃ પીએમ મોદી
આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં થઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રામ મંદિર ભારતીય વિરાસત અને સંસ્કૃતિને સમૃદ્ધ કરવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે રામ મંદિર દેશની વિકાસ યાત્રાને નવી ઉંચાઈઓ પર લઈ જશે. વાસ્તવમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો જેના જવાબમાં વડાપ્રધાને આ વાત કહી છે.

ગુજરાતના તમામ મંદિરોમાં આજે રામધૂન થઇ રહી છે
ગુજરાતના તમામ મંદિરોમાં આજે રામધૂન થઇ રહી છે. ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, સોમનાથમાં રામધૂન થઇ રહી છે. મહેસાણા, પાટણ, પાલનપુરમાં દિવાળી જેવો માહોલ છે. અમદાવાદના વાડજ, રાણીપ, ઠક્કરબાપાનગર, નિકોલ રામભક્તિમાં રંગાયું છે. નવસારી, સુરત, બારડોલી, વલસાડમાં ઉજવણીના આયોજનો છે. અમદાવાદની તમામ સોસાયટીઓ શણગારાઈ છે. અમદાવાદમાં અનેકના આંગણે રામ રંગોળી બનાવવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર

વિડિઓઝ

Goa night club fire: ગોવાની નાઈટ ક્લબમાં અગ્નિકાંડમાં 25નાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યુ દુઃખ
Anandiben Patel : યુનિ.ની ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો, આંગણવાડીને પોતાના મકાનો નથી
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજો સામે કર્મચારીઓનો જંગ
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીના બ્રિજ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Gujarat Politics: હવે વાત પહોંચશે સીધી PM મોદી અને અમિત શાહ સુધી! મનસુખ વસાવા કોની સામે લાલઘૂમ?
Ahmedabad News: અમદાવાદમાં  સિનેમા, હોસ્પિટલ સહિત  BU પરમિશન વગરની 8  ઈમારતો સીલ
Ahmedabad News: અમદાવાદમાં સિનેમા, હોસ્પિટલ સહિત BU પરમિશન વગરની 8 ઈમારતો સીલ
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
અણબનાવના સમાચાર વચ્ચે ખોડલધામ ખાતે એકબીજાના ગળે મળ્યા નરેશ પટેલ અને જયેશ રાદડીયા
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Surat Crime: અડધા વાળ અને ભ્રમર કાપીને લીધો 'પિશાચી આનંદ', સુરતમાં 20 હજારની ઉઘરાણીમાં ડબલ મર્ડરથી ચકચાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Cold Wave: સૂસવાટા મારતા પવનો સાથે ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ 11.9 ડિગ્રી સાથે દાહોદ બન્યું ઠંડુગાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
Surendranagar: ધ્રાંગધ્રામાં યુવકની કરપીણ હત્યા, અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા મારી ફરાર
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
સસ્તી ટિકિટ અને ફ્રી સીટ અપગ્રેડ પણ... ઇન્ડિગો સંકટ વચ્ચે એર ઇન્ડિયાએ મુસાફરોને રાહત આપવા લીધો મોટો નિર્ણય
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Goa Cylinder Blast: ગોવાની ફેમસ નાઈટક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા 23 લોકોના મોત, અનેક ઘાયલ
Embed widget