શોધખોળ કરો

જમ્મુ કશ્મીરના રામબનમાં ભુસ્ખલન: ગુજરાતના ૫૦ પ્રવાસીઓ ફસાયા, તમામ સુરક્ષિત હોવાનો દાવો

ગાંધીનગરના ૩૦ અને પાલનપુરના ૨૦ લોકો બસમાં શ્રીનગરથી પરત ફરતી વખતે નેશનલ હાઈવે પર અટક્યા, વહીવટી તંત્ર દ્વારા સલામતીની ખાતરી અપાઈ.

Ramban landslide: જમ્મુ અને કશ્મીરના રામબન જિલ્લામાં ભુસ્ખલન અને ખરાબ વાતાવરણના કારણે ગુજરાતના ૫૦ જેટલા પ્રવાસીઓ ફસાયા છે. આ પ્રવાસીઓમાં ગાંધીનગરના ૩૦ અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ૨૦ લોકોનો સમાવેશ થાય છે. તેઓ શ્રીનગરથી બસમાં પરત ગુજરાત આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ૧૪ ઉપર રામબન જિલ્લામાં ફસાઈ ગયા હતા.

પાલનપુરના પ્રવાસીઓ ફસાતા તેમણે તાત્કાલિક બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલનો સંપર્ક કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા બનાસકાંઠા કલેક્ટર શ્રી મિહિર પટેલે તુરંત જ રામબન જિલ્લાના કલેક્ટરનો સંપર્ક સાધ્યો હતો. તેમણે બસમાં સવાર એક મુસાફર શ્રી કેતન સાથે પણ વ્યક્તિગત રીતે વાત કરી હતી અને તમામની સુરક્ષિતતા અંગે પૂછપરછ કરી હતી.

બનાસકાંઠા કલેક્ટરના સંપર્ક બાદ રામબન જિલ્લાના કલેક્ટરે તાત્કાલિક બચાવ ટુકડીને ઘટના સ્થળે રવાના કરી હતી. રામબન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ અત્યંત ખરાબ હોવાથી મોડી રાત સુધીમાં તેમને કોઈ સુરક્ષિત ઇમારતમાં આશ્રય આપવામાં આવશે અને સવારે પરિસ્થિતિ જોઈને બસને બનિહાલ તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે.

બનાસકાંઠા પ્રશાસન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે હાલમાં તમામ ફસાયેલા પ્રવાસીઓ સુરક્ષિત છે અને તેમને જરૂરી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રામબન જિલ્લા વહીવટીતંત્રની ટીમ બચાવ કામગીરીમાં સંપૂર્ણ મદદ કરી રહી છે. આ ઘટનાને કારણે પ્રવાસીઓના પરિવારજનો ચિંતિત છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા તેમની સલામતી સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને કરા બાદ ભૂસ્ખલનને કારણે મોટાપાયે વિનાશ થયો છે. ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું છે. ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ભારે વરસાદ બાદ આ વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેને જોતા મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વરસાદ અને અચાનક પૂરને પગલે જિલ્લાના ડીએમએ બચાવ અને રાહત કામગીરીનું નેતૃત્વ કર્યું હતું.

જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર કુમાર ચૌધરી રામબનમાં સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં જિલ્લામાં ભારે વરસાદ અને કરા સાથે ભૂસ્ખલનને કારણે ઘણી ઇમારતો અને વાહનોને નુકસાન થયું હતું. ડેપ્યુટી કમિશનર બસીર-ઉલ-હક ચૌધરીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી

વિડિઓઝ

Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર
યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Embed widget