શોધખોળ કરો

શંકરસિંહે રાજ્યસભામાં જેમને હરાવવા ધમપછાડા કરેલા એ અહેમદ પટેલના વખાણ કરી શું કહ્યું?

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. હવે કોંગ્રેસનું જી-23 જૂથ ફરી સક્રીય થયું છે. આ જૂથની બેઠક ગુલામ નબી આઝાદને ત્યાં મળી હતી.

ગાંધીનગર: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસમાં ફરી કકળાટ શરૂ થયો છે. હવે કોંગ્રેસનું અસંતુષ્ટ જૂથ જે જી-23ના નામે પણ ઓળખાય છે તે ફરી સક્રીય થયું છે. આ જૂથની બેઠક કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને ત્યાં મળી હતી. તેમા ગુજરાતના વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ભાગ લીધો હતો. શંકર સિંહ વાઘેલા ફરી કોંગી નેતાઓ સાથે સંપર્કમાં આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે તેઓ ફરી કોંગ્રેસમાં પરત ફરશે. જો કે આ બધી અટકળો વચ્ચે શંકર સિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, આજે હોલિકા દહનનો પવિત્ર તહેવાર તમામના પરિવાર સ્વસ્થ રહે તેવી પ્રાર્થના. આ ઉપરાંત કોંગ્રેસના પણ તમામ પ્રોબ્લેમનું દહન થાય તેવી પ્રાર્થના. રાહુલ ગાંધી  વિશે તેમણે કહ્યું કે તેઓ સારા વ્યક્તિ છે, ઓપન વ્યક્તિ છે. શંકરસિંહે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટે અંગે પણ ટિપ્પણી કરી, તેમણે કહ્યું, હું અહેમદ પટેલની સાથે રહ્યો છું. દિલ્હીમાં કોંગ્રેસમાં અહેમદ પટેલનું ખૂબ સંભાળવામાં આવતું હતું. તેઓ સોનિયા ગાંધીને ઘણા બ્રીફ કરતા હતા. જો અહેમદ પટેલ પછી કોઈ સારો વ્યક્તિ આવ્યો હોત આ આવી પરિસ્થતિ ઉભી ન થાત.

તેમણે અટલ બિહારીની કવિતાનો પણ ઉલ્લેખ કરીને કહ્યું, જાઉં તો કહા જાઉં મે. આ બાજપાઈની વેદના હતી. તેમણે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ અંગે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ પાસે સારા અને સાચા સલાહકર નથી રહ્યા. અમારી જે કાલે વેદના હતી તે એ જ હતી કે, અમારું કોઈ સંભાળે. જેમ જૂની દારૂ,જૂનો મિત્ર અને જૂના ડોક્ટર સારા તેમ રાજકારણમાં પણ જૂના નેતા સારા. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, પંજાબમાં કેપ્ટનને બદલ્યા તો શું પરિણામ આવ્યું?

દેશને આવનારા દિવસોમાં કોંગ્રેસ ખૂબ જરૂરી છે. ભાજપને ટક્કર આપવા કોંગ્રેસ જરૂરી છે. રાજનીતિમાં સ્પોર્ટ્સ મેન સ્પિરિટ હોવું જોઈએ. બાજપાઈએ કહ્યુ હતું કે, મતદારો આગળ ક્યારે ચિટિંગના કરવી જોઈએ. જ્યારે શંકર સિંહ વાઘેલાને નરેશ પટેલ અંગે સવાલ કરમાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, નરેશ પટેલ પર પર્સનલ નહિ કહું. તેઓ ખોડલ ધામમાં અગ્રણી છે. તેમણે G 23નો ઉલ્લેખ કરતા કહ્યું કે,
G-23માં તમામ લોકો ચિંતિત છે. સોનિયા જી રાજનીતિના વિરુદ્ધમાં હતા. સોનિયા ગાંધી ઈચ્છતા તો બે છોકરાને લઈને જ્યાં હતા ત્યાં જઈ શકતા હતા. તેમણે આગળ કહ્યું, રાજનીતિ પર્સનલ લાઇફ નથી પબ્લિક લાઇફ છે. બીજેપી મજબૂત પાર્ટી નથી સામે કોંગ્રેસ નબળી છે. BJPને ગુજરાતમાં હરવવી જરૂરી છે. બે મહિનામાં રિઝલ્ટ આવી શકે છે. જો આજે અહેમદ ભાઈ હોત તો G-23ના હોત.


એ તો આપણે બધા જાણીએ જ છીએ કે હાલમાં કોંગ્રેસ પાસે ફૂલ ટાઈમ અધ્યક્ષ નથી. તેની ચૂંટણીને લઈને પણ ઘણી વાતો સામે આવતી રહે છે. સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની તરફેણ કરી રહ્યા છે તો બીજી તરફ કપિલ સિબ્બલ ગાંધી પરિવાર ખુરશી ખાલી કરે તેવા પણ સંકેત આપી ચૂક્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
એરપોર્ટ પર રાષ્ટ્રપતિ પુતિનનું ભવ્ય સ્વાગત કર્યા બાદ PM મોદીનું પ્રથમ નિવેદન, જાણો શું બોલ્યા 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
કાલે મળશે મોટી રાહત! શું RBI રેપો રેટમાં કરશે ઘટાડો ? જાણો શું કહે છે એક્સપર્ટ 
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
IPL 2026: અત્યાર સુધી આ 4 દિગ્ગજ ખેલાડીઓએ IPL 2026 માંથી પોતાના નામ પાછા ખેંચ્યા
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Indigo Flights Cancelled: 300 ફ્લાઈટ્સ રદ અને Indigo ના શેર ધડામ, DGCA એક્શનની જોવા મળી અસર 
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
Supermoon: આજે દુનિયા જોશે ચમકતો સુપરમૂન, જાણો કેમ આજના ચાંદને કહેવામાં આવી રહ્યો છે કોલ્ડ મૂન
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
ENG vs AUS: ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે 6 વિકેટ લઈ તહેલકો મચાવ્યો, હરભજન સિંહને પાછળ છોડી દીધો 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા, PM મોદીએ કર્યું સ્વાગત, VIDEO 
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા સમાચાર,  પગારમાં ધરખમ વધારો થશે, ક્યારથી થશે લાગુ ?
Embed widget