શોધખોળ કરો

કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે

જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે.

અમદાવાદઃ જાણીતા રામ કથાકાર મોરારીબાપુ ફરી વિવાદમાં સપડાયા છે. હાલમાં જ કોઈ કથામાં મોરારીબાપુએ નીલકંઠવર્ણી  અંગે વિવાદીત નિવેદન કર્યુ હતું. મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી કહ્યું હતું કે, નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક થાય છે. કોઇ પોતાની શાખામાં નીલકંઠનો અભિષેક કરે તો તે શિવ નથી બનાવટી નીલકંઠ છે. નીલકંઠનું છેતરામણુ રૂપ આવતુ જાય છે. જેમણે ઝેર પીધુ હોય તે નીલકંઠ કહેવાય. જેમણે લાડુડીઓ ખાધી હોય તે નીલકંઠ ન હોય. ત્યારે મોરારીબાપુની વાતને લઈને હરિભક્તોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. મોરારીબાપુની વાતને લઈને સત્સંગ સમાજ પણ ઘણો દુઃખી છે. ત્યારે આ મુદ્દે વિવાદ ન વધે તે રીતે મોરારીબાપુને વિવેકસ્વરૂપ સ્વામીએ જવાબ આપ્યો છે. વિવેકસ્વરૂપ સ્વામીએ કહ્યું કે શિવ-પાર્વતીને નીલકંઠવર્ણીએ જ વનમાં જમાડ્યા હતા. તો માર્કડ રૂષિએ ભગવાન સ્વામીનારાયણના જન્મ સમેય આવી તેમના 4 નામ પાડ્યા હતા જેમાં નીલકંઠ નામ હોવાનું પણ સ્વામી વિવેકસ્વરૂપે જણાવ્યું હતું. આ ઉપરાંત મોરારી શબ્દનો અર્થ પણ જણાવી બાપુ પર કટાક્ષ કર્યો હતો. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું કે, બાપુ ને ખબર નઈ હોય તમે જે શિવજીની વાત કરો છે એ શિવજી અને પાર્વતીમા જાતે નીલકંઠ વર્ણીને સાથવો જમાડવા વનમાં આવ્યા હતા. બાપુને આ વાતની જાણ નઈ હોય કે માર્કંડ ઋષિ પોતે ભગવાન સ્વામિનારાયણના જન્મ સમયે આવીને ૪ નામ પાડ્યા હતાં. ૧. હરિ ૨. હરિકૃષ્ણ ૩. ઘનશ્યામ ૪. નીલકંઠ. તો શું બાપુ માર્કંડ ઋષિ કરતા મહાન છે.? કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તેમણે કહ્યું મોરારીનો અર્થ (મુર દાનવ નામના રાક્ષસને મારનાર શ્રીકૃષ્ણ ભગવાન) થાય છે. જો તમારું નામ મોરારી બાપુ છે તો અમારે શું સમજવું.? બાપુ ને ભગવાન સ્વામિનારાયણ ના નામ નો દ્રોહ કરવા બદલ ક્ષમા યાચના અને માફી માંગવી પડશે.  વ્યાસ પીઠ પર બેસી તમે મનફાવે એમ શાસ્ત્ર વિરુદ્ધ અને અણસમજુ જેવી વાત કરો તો ભગવાન વ્યાસના તમે દ્રોહી થાય. કથાકાર મોરારીબાપુએ શું આપ્યું વિવાદિત નિવેદન કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મચી ગયો ખળભળાટ, જાણો વિગતે તમે જે હનુમાનજી મહારાજની નિશ્રામાં બેસી કથા કરો છો તો એકવાર સારંગપુરનો ઇતિહાસ જાણી લેજો. નિજાનંદનો (જેને વનવિચરણ વખતે નીલકંઠવર્ણી સ્વરૂપે મહારાજે દર્શન આપી એના કલ્યાણ કોલ આપ્યો હતો)કે હનુમાનજી સ્વયં એમ કહે છે કે હે નીલકંઠ વર્ણી મને ભગવાન રામના રૂપે દર્શન આપો તો નીલકંઠ વર્ણી ભગવાન શ્રી સ્વામિનારાયણે તીર કામઠા સહિત રામ ભગવાન રૂપે દર્શન આપ્યા. જે ભગવાન રામ ની કથા વાંચો છો તો એ ભગવાન રામ કેવીરીતે રાજી રેહશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
RTO નવો નિયમ: હવે વાહન ટ્રાન્સફર અને NOC માટેના નિયમો બદલાયા, જાણી લો આ મહત્વનો સુધારો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડ-નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, પારડીમાં 8.19 ઈંચ વરસાદથી જળબંબાકાર
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
નવસારીના ચીખલીમાં વરસાદના કારણે કાવેરી નદીની સપાટીમાં વધારો, તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
Highest Farming Subsidy: કઈ યોજનામાં ખેડૂતોને મળે છે સૌથી વધુ સબસિડી? જાણો યોજનાઓના નામ
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
'ઓપરેશન સુરક્ષિત સાયબરસ્પેસ': ઓનલાઇન પ્લેટફોર્મ પર મહિલાઓ અને બાળકોની સલામતિ માટે ગુજરાત પોલીસનું મેગા અભિયાન
Embed widget