શોધખોળ કરો

Gujarat: એસટી કર્મચારી સંગઠનની વાહનવ્યવહાર મંત્રી સાથે બેઠક, સમાધાન અંગે શુ લેવાયો નિર્ણય ?

એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી.

ગાંધીનગર: એસટી એટલે કે સ્ટેટ ટ્રાંસપોર્ટના કર્મચારી મંડળના પદાધિકારીઓ અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની સાથે-સાથે સરકારના સચિવ અને અધિકારીઓની ઉપસ્થિતમાં થયેલી આ બેઠકમાં કર્મચારીઓની ત્રણ અલગ-અલગ માંગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

સકારાત્મક માહોલમાં આ ચર્ચા દરમિયાન એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગોના નિકાલને લઈ સરકારનો હકારાત્મક પ્રત્યુતર આવતા એસટી કર્મચારી મંડળ સાથે સમાધાનના સ્પષ્ટ સંકેત મળ્યા છે. પડતર પ્રશ્નોના સમાધન પહેલા એસટી કર્મચારી સંગઠને ખુશી વ્યક્ત કરી છે. મંત્રી હર્ષ સંઘવી સાથેની બેઠક બાદ પદાધિકારીઓની મોડી રાત સુધી અમદાવાદના રાણીપ ડેપો પર બેઠક મળી હતી.  જેમાં આંદોલન સમેટવાનો નિર્ણય લેવાયો છે.  

એસટી કર્મચારીઓની નાણાંકીય બાબતો અને પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા તંત્ર દ્વારા ખાતરી આપી છે. છેલ્લા ઘણા વર્ષોથી એસટી કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને લડત આપી રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા 23 ઓક્ટોમ્બરથી 2 નવેમ્બર સુધી હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ વિવિધ કાર્યોક્રમો પણ રાખવામાં આવ્યા હતા. 

એસટી વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી હડતાળ કુલ 7 જેટલા મુદ્દાઓને લઈને કરવામાં આવી હતી. 11 ટકામાંથી 7 ટકા મોંઘવારી ભથ્થું આપ્યું જેનો વિરોધ કરવાને લઈ હડતાળ કરવામાં આવી હતી. આ સાથે જ આ અગાઉની જાહેરાત પ્રમાણે મોંઘવારી ભથ્થાનું એરિયર્સ 3 હપ્તામાં આપતા વિરોધ નોંધાવામાં આવ્યો હતો. હાઉસ રેન્ટ એલાઉન્સ અને સીટી એલાઉન્સ આપવામાં ન આવતુ હોવાથી પણ હડતાળમાં વિરોધ નોંધાવામાં આવ્યો હતો.


વર્ષ પૂર્ણ થવા છતાં નવા વર્ષનું બોનસ એસટી વિભાગના કર્મચારીઓને આપવામાં આવ્યું ન હતુ. ગત દિવાળીનું બોનસ આ દિવાળી આવવા છતાં નહિ મળતા  કર્મચારીઓમાં રોષ ભરાતા હડતાળ કરવામાં આવી હતી. 7 માં પગાર પંચ મુજબ ઓવરટાઈમ આપવાના બદલે છઠ્ઠા પગાર પંચ મુજબ અપાય છે જેનો પણ વિરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 6 મહિનાથી પત્ર વ્યવહાર કરાય છે છતાં નિકાલ ન આવતા આંદોલન જાહેર કરવામાં આવ્યુ હતું.

કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આંદોલનમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. જેમાં 23 ઓક્ટોબરે કર્મચારી કાળી પટ્ટી પહેરી કામ કરી વિરોધ હતો. તેમજ દરેક ડેપો ખાતે આવેદનપત્ર આપ્યા હતા.        

ટોપ સ્ટોરી

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: રાજ્યમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
Embed widget