શોધખોળ કરો

રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી, 9 લૂંટની ઘટના,ગુજરાત પોલીસે જાહેર કર્યા આંકડા

રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે. 

ગાંધીનગર:  ગુજરાતમાં  પોલીસ દ્વારા તહેવાર પર એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે. રજાના દિવસોમાં ફરવા જતા પહેલા ચોરી અને ઘરફોડ ચોરીથી મિલકતોને કેવી રીતે સુરક્ષિત રાખવી જોઈએ. તેમ છતાં ચોરી અને ઘરફોડ ચોરીના કેસ સતત બનતા રહે છે.  હાલમાં જ બહાર પાડવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ગુજરાત પોલીસના નિર્દેશોની કોઈ અસર થતી નથી.

પાંચ વર્ષમાં પોલીસ ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં સફળ નથી રહી

જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50 ટકા ગુનાઓ ઉકેલવામાં અસફળ રહી છે. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરી  અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાં માત્ર 46,636 કેસ ઉકેલવામાં આવ્યા છે.  2020 અને 2021ના દરમિયાન જ્યારે લોકો મોટાભાગે લોકડાઉન અને કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી. આ બે વર્ષમાં રાજ્યભરમાં ચોરીની 10,000 જેટલી ઘટના બની હતી.

માત્ર 50 ટકા જેટલા કેસ ઉકેલાયા

2018માં 14,170 ચોરીના કેસ નોંધાયા હતા જેમાંથી માત્ર 42 ટકા કેસ ઉકેલાયા હતા. જ્યારે 2023ના સપ્ટેમ્બર મહિના સુધીમાં 16,529 ચોરીના કેસ નોંધાયા હતા, જેમાંથી માત્ર 50 ટકા જેટલા કેસ ઉકેલાયા છે. ઘરફોડ ચોરીઓ માટે ગુના ઉકેલવાનો દર 2018માં 39 ટકાથી 2023 માં 55 ટકાની વચ્ચે રહ્યો હતો.

રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી અને 9 ઘરફોડ ચોરીઓ નોંધાઈ

પોલીસના આંકડા દર્શાવે છે કે 2018 થી 30 સપ્ટેમ્બર, 2023 વચ્ચે રાજ્યમાં દરરોજ સરેરાશ 38 ચોરી અને 9 ઘરફોડ ચોરીઓ નોંધાઈ છે. પોલીસ દળની કામગીરીનો બચાવ કરતાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના કેસ સોલ્વિંગના આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ સારા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) એ છેલ્લે 2021 માં ડેટા બહાર પાડ્યો હતો, જે મુજબ, તે વર્ષે ચોરી અને ઘરફોડ ચોરીઓની તપાસની રાષ્ટ્રીય સરેરાશ લગભગ 30 ટકા હતી. 

ગુજરાત પોલીસ છેલ્લા પાંચ વર્ષમાં ચોરી અને ઘરફોડ ચોરીના 50% ગુનાઓ ઉકેલવામાં સફળ થઇ શકી નથી. રાજ્યમાં 2018 અને 2023 ની વચ્ચે 97,950 ચોરીઓ અને ઘરફોડ ચોરીઓ નોંધાઈ હતી. તેમાંથી માત્ર 46,636 કેસમાં જ આરોપીઓ ઝડપાયા હતા.  કોરોના લોકડાઉન દરમિયાન જ્યારે લોકો મોટાભાગે કર્ફ્યુને કારણે ઘરે જ રહેતા હતા ત્યારે ચોરીની ઘટનાઓ ઓછી બની હતી.

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રત્નકલાકારોને ઉદ્યોગપતિઓ ક્યારે આપશે સાથ?Hun To Bolish : હું તો બોલીશ : પ્રચાર ઓછો, વિવાદ વધુSthanik Swaraj Election: મુસ્લીમનો હાથ ભાજપને સાથ..!Vadodara Love Jihad Case: મનોજ બનીને વધુ એક મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને બનાવી લવ જેહાદનો શિકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
PM મોદી-રાહુલ ગાંધી નવા ચૂંટણી કમિશનરની કરશે પસંદગી, 17મી ફેબ્રુઆરીએ બેઠક થશે
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
સોનામાં રોકાણકારો રાજી રાજી! ભાવ પહેલી વાર 87000 ને પાર, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ ભાવ શું છે?
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
2025 માં કોર્પોરેટ કર્મચારીઓ થઈ જશે માલામાલ! 40% સુધી વધશે પગાર
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
AAP ખતમ થવાના આરે! કેજરીવાલ પંજાબમાં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત; યોગેન્દ્ર યાદવે આવું કેમ કહ્યું
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: રેલવેકર્મી મોહસીન મનોજ બની ડિવોર્સી મહિલાને બનાવી શિકાર
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
વડોદરા પોલીસનો માનવીય અભિગમ: દારૂ વેચતી 300 મહિલાઓને આર્થિક રીતે પગભર કરશે
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
PM Modi US Visit: પીએમ મોદીના US પ્રવાસથી ભારતને શું મળ્યું? 10 પોઈન્ટમાં સમજો ટ્રમ્પ સાથેની મુલાકાતને લગતી દરેક બાબત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.