શોધખોળ કરો

સુરેન્દ્રનગર:  વઢવાણમાં સ્થાનિકોએ  પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો

વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો હતો.  રસ્તા, ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા ચક્કાજામ કરી વિરોધ કર્યો

સુરેન્દ્રનગર: વઢવાણ ગણપતિ ફાટસર પાસે સ્થાનિક રહીશોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતા ચક્કાજામ કર્યો હતો.  ગણપતિ ફાટસર પાસે આવેલ કંકુ પાર્ક સહિત આસપાસના વિસ્તારોમાં રોડ,  ગટર અને સફાઈ સહિતની સુવિધાઓ ન મળતા ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો.  અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતા તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.   પોલીસે ઘટના સ્થળે પહોંચી રહીશોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. 

વઢવાણના કેટલાક વિસ્તારમા જાણે હજુ પણ વિકાસ ન પહોંચ્યો હોય તેમ રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમીક સુવિધાથી વંચીત રહેતા રહીશોને ના છુટકે ચક્કાજામ કરવાનો માર્ગ અપનાવવો પડે છે. વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા રહીશોએ પ્રાથમીક સુવિધાઓ માટે રજુઆતો કરીને થાકયા પછી ચક્કાજામ કર્યો હતો.

વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમીક સુવિધાઓના અભાવે રહીશો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે ચોમાસામાં આ વિસ્તારની હાલત બદતર બની જાય છે. વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ભરાવાની, કાદવ કિચડ થવાની સમસ્યા ઉભી થાય છે. પરિણામે બાળકો, મહિલાઓ, વૃદ્ધો ખુબજ હેરાન થાય છે. આ વિસ્તારના જાગૃત નાગરીકો દ્વારા અવાર નવાર તંત્રવાહકોને રજુઆતો કરવામાં આવી છે.  

ભૂપેન્દ્ર પટેલે સરકાર બનાવવાનો રાજ્યપાલ સમક્ષ દાવો કર્યો રજૂ

ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે.  ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. નવી સરકાર રચવા માટે પાર્ટીએ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની નિરીક્ષકો તરીકે નિમણુંક કરી છે. 

આજે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠક માટે ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સહીત ભાજપના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. આ બેઠકમાં નાણાં મંત્રી કનુ દેસાઈએ ધારાસભ્ય દળના નેતા તરીકે પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં સર્વ સંમિતિથી ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતમાં બીજી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ થયા છે. હવે 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધી યોજાશે.

12 ડિસેમ્બરે શપથવિધિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલને રાજીનામું આપ્યા બાદ હવે નવી સરકારની 12 ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ યોજાશે. જેની તૈયારીઓ જોરશોરથી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત ભાજપમાં પણ કમલમ ખાતે નવી સરકારની શપથવિધીને લઈને તૈયારીઓ શરૂ કરાઈ છે. નવી સરકારમાં કોને મંત્રી પદ મળશે તેની પણ ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. ત્યારે શપથવિધીમાં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા ભાજપના સ્ટાર પ્રચારકો પણ ઉપસ્થિત રહેશે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ચોમાસું પકડશે જોર! આવતીકાલે 11 જિલ્લામાં વરસાદની આગાહી, 2-3 જુલાઈએ ભારે પૂરનું સંકટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજકોટ ડિમોલીશનનો વધુ એક વિવાદ,ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!
રાજકોટ ડિમોલીશનનો વધુ એક વિવાદ,ચા પાણી, નાસ્તા બાદ વીડિયોગ્રાફીનું પણ બનાવ્યું 22 લાખનું બિલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાળામાં શિસ્ત, ક્લાસિસમાં અત્યાચાર
Hun To Bolish : હું તો બોલીશ : રાજકોટમાં ભ્રષ્ટાચારના ઉલટા ચશ્મા
Mansukh Vasava: ચૈતર વસાવાના જેલવાસ પર રાજકારણ, મનસુખ વસાવાએ AAP પર લગાવ્યા આરોપ
Ambalal Patel Rain Prediction : 29 જૂનથી આ જિલ્લામાં થશે મેઘમહેર: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
સરકાર માત્ર મંદિરોમાં જ કેમ દખલ કરે છે? ચર્ચ-મસ્જિદમાં કેમ નહીં: શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના આ જિલ્લાઓમાં આગામી 7 દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા; જાણો લેટેસ્ટ અપડેટ
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
સોનું ₹15,000 અને ચાંદી ₹45,000 સસ્તી થઈ! જૂનમાં કિંમતોમાં થયો અત્યાર સુધીનો મોટો ઘટાડો
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
'ભારત ટેક્સી'નો ગુજરાતમાં આજથી શુભારંભ, લોકોની સુવિધા સાથે ડ્રાઇવરની વધશે સમૃદ્ધિ: અમિત શાહ
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Weather Forecast: મોનસૂન પકડશે ગતિ, રાજ્યના આ જિલ્લામાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
Tatkal Passport: હવે માત્ર ૩ જ દિવસમાં ઘરે આવશે તમારો પાસપોર્ટ, જાણો ઓનલાઈન અરજી અને ફીની પૂરી વિગત
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાન-અમેરિકા વચ્ચેનું સીઝફાયર તૂટ્યું? તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો, મિસાઇલ-ડ્રોન સાઇટ્સ પર અટેક
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
ઈરાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, હોર્મુઝમાં જહાજ પર કર્યો ડ્રોન હુમલો : ડૉનાલ્ડ ટ્રમ્પ
Embed widget