શોધખોળ કરો

Salangpur : વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિર અને સ્વામિનારાયણ મંદિરોની વધારાઈ સુરક્ષા

અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે

સાળંગપુરઃ વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરની સુરક્ષામાં બે SRPની ટુકડી, પાંચ ડિવાયએસપી, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તે સિવાય અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો. ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પણ સુરક્ષા વધારાઇ છે.

ભાવનગર સ્વામિનારાયણ મંદિરોમાં પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે. ભાવનગર શહેરમાં આવેલ છ જેટલા મંદિરોમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ મંદિર વિવાદને લઈને ભાવનગર પોલીસનો પણ બંદોબસ્ત સાળંગપુર ખાતે તૈનાત કરવામાં આવ્યો.

બીજી તરફ વડતાલ સ્વામિનારાયણના સાધુએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું હતું કે ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.

દર્શન સ્વામીએ કહ્યું હતું કે મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.                          

ગઇકાલે સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.                          

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા હતા.
અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા હતા.
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
Advertisement

વિડિઓઝ

Jagdeep Dhankhar Resigns: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાથી ગરમાયું રાજકારણ
Ahmedabad PG Guideline : સોસાયટીની NOC વગર PG નહીં ચલાવી શકાય, સોસાયટીઓને મળશે મોટી રાહત
Ahmedabad Auto Rickshaw Strike : અમદાવાદમાં રીક્ષા હડતાળનું સૂરસૂરિયું , જુઓ અહેવાલ
Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast:રાજ્યમાં ફરી આ તારીખથી અતિભારી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ
અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા હતા.
અશોક ચૌધરી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન બન્યા હતા.
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
IND vs ENG 4th Test: ચોથી ટેસ્ટમાં વિકેટકીપિંગ કરશે ઋષભ પંત કે નહીં? મળી ગયો જવાબ, જુઓ વીડિયો
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી  પોલિસી
Ahmedabad News:સોસાયટીમાં પીજી ચલાવવા માટે રહેશે આ શરત, જાણો AMCની નવી પોલિસી
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
સરકારે જાહેર કર્યું સાયબર એલર્ટ, દેશભરમાં ફેલાઈ રહ્યો છે નકલી પરિવહન એપ સ્કેમ, આ રીતે બચો
સરકારે જાહેર કર્યું સાયબર એલર્ટ, દેશભરમાં ફેલાઈ રહ્યો છે નકલી પરિવહન એપ સ્કેમ, આ રીતે બચો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
New Income Tax Bill: કરદાતાઓને મળશે રાહત, ડેડલાઈન પછી ITR ભરવા પર મળશે TDS રિફંડ
Embed widget