શોધખોળ કરો

રાજ્યમાં બ્રિજ તૂટવાનો ઈતિહાસ છે ‘જર્જરિત’, પ્રશાસનની ‘બેદરકારી’થી ધડામ થયા આટલા પુલ

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હતા

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હતા. બ્રિજ દુર્ઘટનામાં પાંચથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા. અત્યાર સુધીમાં પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. હજુ પણ નદીમાં ખાબકેલા લોકોની રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા. ફાયર વિભાગ અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો હતો. દક્ષિણ-મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સૌથી મોટો સવાલ એ થાય છે કે બ્રિજ જર્જરીત છતાં કેમ બંધ નહોતો કરાયો?  વારંવારની દુર્ઘટના બાદ જ સરકાર કેમ બેદરકાર રહે છે? રાજ્યમાં અગાઉ પણ અનેક વખત આ પ્રકારની બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનાઓ સર્જાઇ છે જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જાણો રાજ્યમાં અત્યાર સુધીમાં કેટલા બ્રિજ તૂટ્યા

-તાજેતરમાં જ બોટાદ જિલ્લાના જનડા ગામમાં પાટલીયા નદી પર બનેલો પુલ ધોધમાર વરસાદને કારણે ધરાશાયી થયો હતો. માત્ર ત્રણ વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે બનેલો આ પુલ તૂટી ગયો હતો.

- વર્ષ 2023માં ખેડાના પરીએજથી બામણ ગામ વચ્ચે આવેલો નાનો બ્રિજ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. જોકે કોઇ જાનહાનિ ટળી નહોતી.

-પાલનપુર આરટીઓ સર્કલ પર નિર્માણાધીન બ્રિજના સ્લેબનો એક ભાગ ધરાશાઈ થયો હતો. ચાલુ કામ દરમિયાન સ્લેબનો એક ભાગ ધરાશાઇ થતા નીચે પડેલા ટ્રેક્ટર અને રીક્ષા દબાયા હતા. બ્રિજનો ભાગ ધરાશાય થતા વાહનોને  નુકશાન થયું છે. બ્રિજના કાટમાળમાં દટાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું છે.

-વર્ષ 2020માં મહેસાણા બાયપાસ હાઇવે પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. ખારી નદી પરનો બ્રિજ બેન્ડ થઈ ગયો હતો. 6 વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ બેન્ડ થઈ જતા તંત્ર પર સવાલો ઉઠ્યા હતા.

- 2021માં અમદાવાદમાં શાંતિપુરા મુમતપુરા બ્રિજમાં પણ આવી જ દુર્ઘટના બની હતી. ફ્લાયઓવરના બે કટકા થઇ ગયા હતા.

-મહેસાણા બાયપાસ પાસે પોદ્દાર સ્કૂલનો બ્રિજ તૂટી પડ્યો હતો. આ જ રીતે 2022માં રાજકોટમાં માધાપર ચોકડી પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડતા 135ના મોત થયા હતા.

-વર્ષ 2023માં વડોદરા સિંઘરોટ ખાતે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. 2023માં પણ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો હતો.

-વર્ષ 2023માં જૂનાગઢમાં ઉબેણ નદી પરનો 45 વર્ષ જૂનો ધંધુસરના બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. બ્રિજ તુટતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધંધુસરના આ બ્રિજનું 1975માં નિર્માણ થયું હતું.

-જૂન 2022માં ભરૂચ શહેરને જોડતો નિર્માણાધીન નંદેલાવ બ્રિજનો એક ભાગ એકા-એક જમીનદોસ્ત થયો હતો. સદનસીબે આ ઘટનામાં નીચે બેસેલા લોકોનો બચાવ થયો હતો.

-તે સિવાય 2020માં રાજકોટ જિલ્લાના આજીડેમ ચોકડી પાસે પણ પુલ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. મહેસાણા જિલ્લામાં બાયપાસ ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે 2019માં રાજકોટના સટોડક ગામમાં પુલ તૂટી પડ્યો હતો. આ ઉપરાંત આ જ વર્ષે સુરતમાં પીપોક ફ્લાયઓવર બ્રિજ દુર્ઘટનાનો શિકાર બન્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

વિડિઓઝ

Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો
Surat Deputy Mayor : સુરતના ડે. મેયર સુધાકર ચૌધરી આવ્યા વિવાદમાં, પુત્રો પર શું લાગ્યો આરોપ?
Share Market News: ભારતીય શેર માર્કેટમાં કડાકો, સેન્સેક્સમાં 550થી વધુ પોઇન્ટનો કડાકો
School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
સ્કૂલ ખૂલતા જ વાલીઓ પર મોંઘવારીનો માર! અમદાવાદમાં રિક્ષા અને વાનના ભાડામાં મોટો વધારો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
મમતા બેનર્જીને મોટો ફટકો: 20 ટીએમસી સાંસદોએ સ્પીકરને પત્ર લખી NDAને ટેકો જાહેર કર્યો
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
ઐતિહાસિક ટેસ્ટ જીત બાદ ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, વનડે સિરીઝમાંથી 7 ખેલાડી આઉટ
Embed widget