PM Modi Gujarat Visit Live: ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, મારૂતિની પહેલી ઇલેક્ટ્રિક કારને લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જાણીએ આજે ગુજરાતમાં બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીના શું-શું કાર્યક્રમ છે.
LIVE

Background
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી 26 ઓગસ્ટના રોજ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. પીએમ મંગળવારે સવારે 10 વાગ્યે હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટની મુલાકાત લેશે. અહીં તેઓ કંપનીના નવા EV યુનિટનું લોન્ચિંગ કરશે. તેઓ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) "E Vitara"નું ઉદ્ઘાટન કરશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે.
— BJP Gujarat (@BJP4Gujarat) August 25, 2025
🕙 આવતીકાલે સવારે 10:00 કલાકે
સ્થળ: હાંસલપુર, જિ.અમદાવાદ
લાઈવ નિહાળો:
* https://t.co/dSqhPS9ngD
* https://t.co/k3tr0N9Xn4
*… pic.twitter.com/5GLZ5tGAya
-પીએમ દ્વારા ઉદ્ઘાટન પછી આ બ્રાન્ડના ઇલેક્ટ્રિક વાહનના પ્રથમ બેચનું ઉત્પાદન પણ આજથી શરૂ થશે. કંપનીની આ કાર ઇલેક્ટ્રિક SUV સેગમેન્ટમાં પ્રથમ કાર હશે. મોદી પ્લાન્ટમાંથી કારથી ભરેલી માલગાડી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપશે. રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં પ્લાન્ટમાંથી કુલ ત્રણ ટ્રેનો દોડી રહી છે, જે દરરોજ સરેરાશ 600 કારનું પરિવહન કરે છે.
વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતના હાંસલપુર પ્લાન્ટની મુલાકાત લેશે અને મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV મારુતિ E વિટારાની ઉત્પાદન લાઇનને લીલી ઝંડી આપશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 26 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદી હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પહેલું ગ્રીન ટ્રાન્સપોર્ટેશનના વૈશ્વિક કેન્દ્ર તરીકે અને બીજું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે પીએમ મોદીનો સંકલ્પ છે.
બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી વડાપ્રધાન ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે. આ સાથે એંસી ટકાથી વધુ બેટરી હવે ભારતમાં જ બનાવવામાં આવશે. આ કાર્યક્રમો પછી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સની મોટી ભેટ આપી હતી. તેમણે 5400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આમાં રેલવે, રસ્તા, વીજળી, આવાસ અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રેલવે માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આમાં 65 કિમી લાંબી મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇન (530 કરોડ રૂપિયા), 37 કિમી કલોલ-કડી-કટોસણ રોડ લાઇનનું ગેજ કન્વર્ઝન અને 40 કિમી બિચરાજી-રનુજ રેલ્વે લાઇન (860 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, આ કામો મુસાફરોની સુવિધામાં વધારો કરશે, માલ પરિવહનને સરળ બનાવશે અને ઉત્તર ગુજરાતના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
-
વિદેશી કંપનીઓ ભારતમાં કાર નિર્માણ કરી રહી છેઃPM મોદી
હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે. “EVને પહેલા વિકલ્પ તરીકે જોવાતો હતો., EV હવે અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે. ભારતના નવા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, પાછલા વર્ષોમાં બનાવેલી નીતિઓ હવે કામ લાગે છે. મોબાઈલ નિર્માણ 2700 ટકાની વૃદ્ધિભારત-જાપાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત-જાપાન એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.ભારત-જાપાનની દોસ્તી અતૂટ છે અને અતૂટ રહેશે, વોકલ ફોર લોકલને મંત્ર બનાવવા PM મોદીએ હાકલ કરી છે. 2027 સુધીમાં વિકસિત ભારત બનાવીને રહીશું”
મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર: PM મોદી
ઇવી બેટરી પ્લાન્ટના ઉદઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે, ઇવી બેટરીનું પ્રોડશન ભારત માટે જરૂરી બની ગયું છે. આ ઇલેક્ટ્રીક વાહન અનેક મુશ્કેલીનું સમાધાન છે. મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર મેડ ઈન ઈન્ડિયા લખેલી ઈવી કાર દુનિયાના દેશોમાં દોડશે, ઈવી કાર માટેની બેટરીનું નિર્માણ ભારતમાં જરૂરી હતું. ઈવી વાહનો અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે,ઇ વી એમ્બ્યુલન્સ માટે પણ કેન્દ્રએ બજેટ નિર્ધાર કર્યું છે.





















