શોધખોળ કરો

સુરેન્દ્રનગરના લખતરમાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું, ગ્રામજનોએ ડ્રાઈવરને કાઢ્યો બહાર

ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.

સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું. મળતી જાણકારી અનુસાર, લખતર તાલુકાના લીલાપુર અને કારેલા ગામ વચ્ચે પસાર થતી ઉમય નદીના કોઝવે પરથી જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરના ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉમય નદીના કોઝવે ઉપરથી નદીની અંદર ટ્રેક્ટર ખાબક્યું હતું.

જોકે ગામના લોકોએ ડ્રાઇવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઇ નહોતી. લીલાપુર ગામના ગ્રામજનોને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરના ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અન્ય ટેકટરની મદદ લેવામાં આવી હતી. ઉમય નદીનો કોઝવે ઉપર પુલ બનાવવા માટે ઢાંકી, કારેલા, લીલાપુર, ઈંગરોળી જેવા ગામના લોકો દ્ધારા અનેકવાર સરકારમાં રજૂઆત લેખિત અને મૌખિક કરવામાં આવી છે. તેમ છતાં આજ દિન સુધી આ કોઝવે ઉપર પુલ બનાવવામાં આવ્યો નથી. ચોમાસાના દિવસોમાં આ કોઝવે ઉપર પાણી હોય ત્યારે કારેલા અને ઇંગરોળી તેમજ ઢાંકી જવા માટે ગ્રામજનોને 30થી 40 કિલોમીટર ફરવા મજબૂર બનવું પડે છે.

મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લુણાવાડામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંડવી બજાર, હાટડીયા બજારમાં પાણી ભરાયા હતા. તે સિવાય હુસેની ચોક, પીપળી બજાર, વરધરી રોડ પર પણ પાણી ભરાયા હતા. ગઈકાલે પણ લુણાવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લા 24 કલાકમાં લુણાવાડા શહેરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. વિરપુર તાલુકામાં પોણા ચાર ઇંચ, સંતરામપુર તાલુકામાં બે ઇંચ, ખાનપુર તાલુકામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. લુણાવાડા તેમજ વીરપુર શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.

હવામાન વિભાગે 5 જુલાઇ સુધી વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મઘ્ય ગુજરાતમાં ભારે  વરસાદનું અનુમાન છે. રાજ્યમાં આજે પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 9 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદને લઇને  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડને લઈને કલેક્ટર સામે ફરિયાદ, નાયબ મામલતદારના ઘરેથી મળ્યા હતા 67.50 લાખ રોકડા
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
સરકારે કેબ એપ્સ પર પ્રી-રાઇડ ટિપ્સ પર મુક્યો પ્રતિબંધ, મહિલા ડ્રાઈવરોનો વિકલ્પ આપવાનું કરાયું ફરજિયાત
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
Kankaria Carnival 2025: અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ, લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસરની 51 જગ્યા પર ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
ઉન્નાવ રેપ કેસઃ કુલદીપ સેંગરને મળેલા જામીનને પડકારશે CBI, સુપ્રીમ કોર્ટમાં જવાનો લીધો નિર્ણય
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
Embed widget